Surah Al-Hujurat

સૂરહ અલ-હુજુરાત

રૂકૂ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُقَدِّمُوْا بَیْنَ یَدَیِ اللّٰهِ وَ رَسُوْلِهٖ وَ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ (1)

(૧) હે ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલથી આગળ ન વધો, અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) બધું જ સાંભળનાર અને જાણનાર છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَرْفَعُوْۤا اَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِیِّ وَ لَا تَجْهَرُوْا لَهٗ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ اَنْ تَحْبَطَ اَعْمَالُكُمْ وَ اَنْتُمْ لَا تَشْعُرُوْنَ (2)

(૨) હે ઈમાનવાળાઓ! પોતાનો અવાજ નબીના અવાજથી ઊંચો ન કરો અને ન તેમના સાથે ઊંચા અવાજમાં વાત કરો જેવી રીતે પરસ્પર એકબીજા સાથે કરો છો. (ક્યાંક એવું ન બને) કે તમારા કર્મો બેકાર થઈ જાય અને તમને ખબર પણ ન પડે.


اِنَّ الَّذِیْنَ یَغُضُّوْنَ اَصْوَاتَهُمْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ اُولٰٓئِكَ الَّذِیْنَ امْتَحَنَ اللّٰهُ قُلُوْبَهُمْ لِلتَّقْوٰى ؕ لَهُمْ مَّغْفِرَةٌ وَّ اَجْرٌ عَظِیْمٌ (3)

(૩) હકીક્તમાં જે લોકો રસૂલુલ્લાહ (ﷺ) ના સામે પોતાનો અવાજ ધીમો રાખે છે, આ તે જ લોકો છે જેમના દિલોને અલ્લાહે પરહેઝગારી (તકવા) માટે પારખી લીધા છે, તેમના માટે માફી અને મહાન બદલો છે.

اِنَّ الَّذِیْنَ یُنَادُوْنَكَ مِنْ وَّرَآءِ الْحُجُرٰتِ اَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ (4)

(૪) બેશક જે લોકો તમને ઓરડાના બહારથી બોલાવે છે તેમનામાંથી મોટા ભાગના (પૂરી રીતે) બુદ્ધિહિન છે.


وَ لَوْ اَنَّهُمْ صَبَرُوْا حَتّٰى تَخْرُجَ اِلَیْهِمْ لَكَانَ خَیْرًا لَّهُمْ ؕ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ (5)

(૫) અને જો આ લોકો ત્યાં સુધી સબ્ર કરતા કે તમે (પોતે) તેમના પાસે આવી જતા તો આ તેમના માટે બહેતર હતું, અને અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર દયાળુ છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ جَآءَكُمْ فَاسِقٌۢ بِنَبَاٍ فَتَبَیَّنُوْۤا اَنْ تُصِیْبُوْا قَوْمًۢا بِجَهَالَةٍ فَتُصْبِحُوْا عَلٰى مَا فَعَلْتُمْ نٰدِمِیْنَ (6)

(૬) હે ઈમાનવાળાઓ! જો તમને કોઈ દુરાચારી (ફાસિક) ખબર આપે તો તમે તેની સારી રીતે તપાસ કરી લો, (એવું ન બને) કે જાણકારી ન હોવાના કારણે કોઈ સમુદાયને નુકસાન પહોંચાડી દો, પછી પોતાના કૃત્ય ૫ર પસ્તાવા લાગો.


وَ اعْلَمُوْۤا اَنَّ فِیْكُمْ رَسُوْلَ اللّٰهِ ؕ لَوْ یُطِیْعُكُمْ فِیْ كَثِیْرٍ مِّنَ الْاَمْرِ لَعَنِتُّمْ وَ لٰكِنَّ اللّٰهَ حَبَّبَ اِلَیْكُمُ الْاِیْمَانَ وَ زَیَّنَهٗ فِیْ قُلُوْبِكُمْ وَ كَرَّهَ اِلَیْكُمُ الْكُفْرَ وَ الْفُسُوْقَ وَ الْعِصْیَانَ ؕ اُولٰٓئِكَ هُمُ الرّٰشِدُوْنَ ۙ (7)

(૭) અને જાણી લો કે તમારામાં અલ્લાહના રસુલ મોજૂદ છે, જો તે ઘણીખરી વાતોમાં તમારું કહેવું માનતા રહે તો તમે પોતે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ, પરંતુ અલ્લાહે તમારા માટે ઈમાનને પ્રિય બનાવી દીધુ છે અને તેને તમારા દિલોમાં સુશોભિત કરી દીધુ છે અને કુફ્ર અને બૂરાઈ અને નાફરમાનીને તમારી નજરમાં અપ્રિય બનાવી દીધા છે આ જ લોકો માર્ગ પામેલા છે.


فَضْلًا مِّنَ اللّٰهِ وَ نِعْمَةً ؕ وَ اللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ (8)

(૮) અલ્લાહના ઉપકાર અને ને'મતથી, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.


وَ اِنْ طَآئِفَتٰنِ مِنَ الْمُؤْمِنِیْنَ اقْتَتَلُوْا فَاَصْلِحُوْا بَیْنَهُمَا ۚ فَاِنْۢ بَغَتْ اِحْدٰىهُمَا عَلَى الْاُخْرٰى فَقَاتِلُوا الَّتِیْ تَبْغِیْ حَتّٰى تَفِیْٓءَ اِلٰۤى اَمْرِ اللّٰهِ ۚ فَاِنْ فَآءَتْ فَاَصْلِحُوْا بَیْنَهُمَا بِالْعَدْلِ وَ اَقْسِطُوْا ؕ اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ (9)

(૯) અને જો ઈમાનવાળાઓમાંથી બે જૂથો પરસ્પર લડી પડે તો તેમના વચ્ચે સુલેહ કરાવી દો, પછી જો તેમાંથી એકબીજા પર જુલમ કરે તો તમે (બધા) જે જુલમ કરે છે તે જૂથની સાથે લડો, ત્યાં સુધી કે તેઓ અલ્લાહના હુકમ તરફ પાછા વળે, જો તેઓ પાછા વળે તો ન્યાયપૂર્વક તેમના વચ્ચે સુલેહ કરાવી દો અને ન્યાય કરો, બેશક અલ્લાહ (તઆલા) ન્યાય કરનારાઓને પસંદ કરે છે.


اِنَّمَا الْمُؤْمِنُوْنَ اِخْوَةٌ فَاَصْلِحُوْا بَیْنَ اَخَوَیْكُمْ وَ اتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۧ (10)

(૧૦) (યાદ રાખો) તમામ ઈમાનવાળા ભાઈ-ભાઈ છે તેથી પોતાના બે ભાઈઓમાં મેળાપ કરાવી દો, અને અલ્લાહથી ડરતાં રહો, જેથી તમારા પર કૃપા કરવામાં આવે. (ع-)