Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૮

આયત ૭૨ થી ૮૦


وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ (72)

(૭૨) અને કિતાબવાળાઓના એક જૂથે કહ્યું કે જે કંઈ પણ ઈમાનવાળાઓ પર ઉતારવામાં આવ્યું છે તેના ૫૨ દિવસ ચઢે તો ઈમાન લાઓ અને સાંજના સમયે ઈન્કાર કરી દો જેથી આ લોકો પણ ફરી જાય.


وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ (73)

(૭૩) અને તમારા ધર્મ પર ચાલવાવાળાઓના સિવાય બીજા કોઈના ઉપર વિશ્વાસ ન કરો, તમે કહી દો, બેશક હિદાયત તો અલ્લાહની જ હિદાયત છે (અને એ પણ કહે છે કે આ વાત પર પણ યકીન ન કરો) કે કોઈને તેના જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું, અથવા એ કે તમારાથી તમારા રબ પાસે ઝઘડો કરશે, તમે કહી દો કે ફઝલ (મહેરબાની) તો અલ્લાહ (તઆલા)ના હાથમાં છે, તે જેને ઈચ્છે તેને આપે, અલ્લાહ (તઆલા) ખૂબ મોટો અને જાણવાવાળો છે.

يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ (74)

(૭૪) તે પોતાની રહમતથી જેને ઈચ્છે ખાસ કરી દે, અને અલ્લાહ (તઆલા) ફઝલવાળો (મહેરબાની કરવાવાળો) અને ખૂબ જ મોટો છે.


وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ (75)

(૭૫) અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિં કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર આ અભણોના હકનો કોઈ ગુનોહ નથી, આ લોકો જાણવા છતા પણ અલ્લાહ ૫૨ જૂઠ બોલે છે.


بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ (76)

(૭૬) કેમ નહી (પકડ થશે) પરંતુ જે વ્યક્તિ પોતાનું વચન પૂરું કરે અને અલ્લાહ (તઆલા)થી ડરે, તો અલ્લાહ (તઆલા) પણ આવા ડરવાવાળાઓને પોતાનો દોસ્ત રાખે છે.


إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ (77)

(૭૭) બેશક જે અલ્લાહ (તઆલા)ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) ન તો તેમનાથી વાતચીત કરશે, ન કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે.


وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ (78)

(૭૮) જરૂર તેમનામાં એવો સમૂહ પણ છે જે કિતાબ વાંચતી વખતે પોતાની જીભને મરોડી લે છે, જેથી તમે તેને કિતાબનો જ લેખ સમજો, જો કે હકીકતમાં તે કિતાબમાંથી નથી અને તેઓ કહે પણ છે કે તે અલ્લાહ (તઆલા)ના તરફથી છે, જો કે હકીકતમાં તે અલ્લાહ (તઆલા)ના તરફથી નથી, તેઓ જાણી જોઈને અલ્લાહ (તઆલા) ૫૨ જૂઠ બોલે છે.


مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ (79)

(૭૯) કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ, હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ, તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે.


وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ (80)

(૮૦) અને તે તમને આ હુકમ નહિં આપે કે ફરિશ્તાઓ અથવા નબીઓને માઅબૂદ (ઉપાસ્ય) બનાવી લો, શું ફરમાબરદાર બન્યા પછી તમને નાફરમાન બની જવાનો હુકમ આપશે ?