(૬૪) અને યહૂદિઓએ કહ્યું કે અલ્લાહ (તઆલા)ના હાથ બંધાયેલા છે, તેમના જ હાથ બંધાયેલા છે, અને તેમના આ વિધાનને કારણે તેમના ૫૨ લા'નત કરવામાં આવી, બલકે અલ્લાહ (તઆલા)ના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ઈચ્છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવે છે તે તેમનામાં વધારે પડતા ને સરકશી અને કુફ્રમાં વધારી દે છે, અને અમે તેમનામાં પરસ્પર ક્યામત સુધી દુશ્મની અને ઈર્ષા નાખી દીધી છે, તેઓ જ્યારે પણ યુદ્ધની આગને ભડકાવવા ચાહે છે અલ્લાહ (તઆલા) તેને ઓલવી નાખે છે, તેઓ ધરતીમાં ડર અને ફસાદ મચાવતા ફરે છે અને અલ્લાહ (તઆલા) ફસાદિયોથી મોહબ્બત નથી કરતો.