Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૧

આયત ૧ થી ૯

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

حٰمٓ ۚ (1)

(૧) હા-મીમ !


تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۙ (2)

(૨) આ કિતાબનું ઉતારવું તે અલ્લાહના તરફથી છે જે પ્રભુત્વશાળી અને બધું જ જાણવાવાળો છે.


غَافِرِ الذَّنْۢبِ وَ قَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ۙ ذِی الطَّوْلِ ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ اِلَیْهِ الْمَصِیْرُ (3)

(૩) ગુનાહોને માફ કરવાવાળો અને તૌબા કબૂલ કરવાવાળો, કઠોર સજા આપવાવાળો અને ઉપકાર કરવાવાળો છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, તેના તરફ જ બધાએ પાછા ફરવાનું છે.


مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ (4)

(૪) અલ્લાહ (તઆલા)ની આયતોમાં તે જ લોકો ઝઘડે છે જેઓ કાફિર છે, તો તે લોકોનું નગરોમાં હરવું-ફરવું તમને ધોખામાં ન નાખી દે.


كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّ الْاَحْزَابُ مِنْۢ بَعْدِهِمْ {ص} وَ هَمَّتْ كُلُّ اُمَّةٍۭ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَ جٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ {قف} فَكَیْفَ كَانَ عِقَابِ (5)

(૫) આમના પહેલા નૂહની કોમે અને તેના પછી બીજી કોમોએ પણ જૂઠાડ્યા હતા અને દરેક કોમે પોતાના રસૂલને કેદી બનાવવાનો ઈરાદો કર્યો, અને જૂઠ વડે હઠધર્મી કરી જેથી તેના વડે સત્યનો નાશ કરી દે, છેવટે મેં તેમને પકડી લીધા, તો મારા તરફથી કેવી કઠોર સજા થઈ.


وَ كَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۘ ؔ (6)

(૬) અને આવી જ રીતે તમારા રબનો હુકમ કાફિરો પર લાગુ થઈ ગયો કે તેઓ જહન્નમવાસી છે.


اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَ مَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَ یُؤْمِنُوْنَ بِهٖ وَ یَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّ عِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَ اتَّبَعُوْا سَبِیْلَكَ وَ قِهِمْ عَذَابَ الْجَحِیْمِ (7)

(૭) અર્શને ઉઠાવનારા અને તેના આસપાસના ફરિશ્તાઓ પોતાના રબની પ્રશંસાની સાથે તેની તસ્બીહ કરી રહ્યા છે અને તેના ઉપર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફીની દુઆ કરે છે (કહે છે)કે, “હે અમારા રબ! તેં દરેક વસ્તુને પોતાની દયા અને જ્ઞાન સાથે ઘેરી રાખી છે તો તું તે લોકોને માફ કરી દે જેઓ માફી માંગે અને તારા માર્ગનું અનુસરણ કરે અને તું તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લેજે.


رَبَّنَا وَ اَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ اِ۟لَّتِیْ وَعَدْتَّهُمْ وَ مَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَ اَزْوَاجِهِمْ وَ ذُرِّیّٰتِهِمْ ؕ اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۙ (8)

(૮) હે અમારા રબ! તું તેમને હંમેશા રહેનારી જન્નતમાં લઈ જા, જેનો તેં તેમના સાથે વાયદો કર્યો છે અને તેમના બાપ-દાદાઓ અને પત્નીઓ અને સંતાનોમાંથી (પણ) તે બધાને જેઓ નેક છે, બેશક તું સર્વશક્તિમાન અને હિકમતવાળો છે.


وَ قِهِمُ السَّیِّاٰتِ ؕ وَ مَنْ تَقِ السَّیِّاٰتِ یَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ وَ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۧ (9)

(૯) અને તેમને બૂરા કામોથી પણ બચાવ, (સાચુ તો એ છે કે) કયામતના દિવસે તેં જેને બૂરાઈથી બચાવી લીધો તેના ઉપર તેં કૃપા કરી દીધી, અને આ જ મહાન સફળતા છે. (ع-)