Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یَسْئَلُوْنَكَ عَنِ الْاَنْفَالِ ؕ قُلِ الْاَنْفَالُ لِلّٰهِ وَ الرَّسُوْلِ ۚ فَاتَّقُوا اللّٰهَ وَ اَصْلِحُوْا ذَاتَ بَیْنِكُمْ ص وَ اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗۤ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ (1)

(૧) આ લોકો તમને યુધ્ધમાં પ્રાપ્ત થયેલ માલ વિશે પૂછે છે, તમે કહી દો કે યુધ્ધમાં પ્રાપ્ત થયેલ માલ અલ્લાહનો છે અને તેના રસૂલનો છે એટલા માટે તમે અલ્લાહથી ડરો અને પોતાના પરસ્પરના સંબંધોને સુધારો અને અલ્લાહ (તઆલા) અને તેના રસૂલના આદેશોનું પાલન કરો જો તમે ઈમાનવાળા છો.


اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اِذَا ذُكِرَ اللّٰهُ وَ جِلَتْ قُلُوْبُهُمْ وَ اِذَا تُلِیَتْ عَلَیْهِمْ اٰیٰتُهٗ زَادَتْهُمْ اِیْمَانًا وَّ عَلٰى رَبِّهِمْ یَتَوَكَّلُوْنَۚۖ (2)

(૨) બસ ઈમાનવાળા જ એવા હોય છે કે જ્યારે અલ્લાહ (તઆલા)નું વર્ણન કરવામાં આવે તો તેમના દિલ ધ્રુજી ઊઠે છે અને જ્યારે અલ્લાહની આયતો તેમને પઢીને સંભળાવવામાં આવે છે તો તે આયતો તેમના ઈમાનમાં વધારો કરે છે અને તે લોકો પોતાના રબ ઉપર ભરોસો કરે છે.


الَّذِیْنَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ مِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَؕ (3)

(૩) તે જેઓ નમાઝ પાબંદીથી પઢે છે અને જે કંઈ તેમને આપ્યુ છે તેમાંથી ખર્ચ કરે છે.


اُولٰٓئِكَ هُمُ الْمُؤْمِنُوْنَ حَقًّا ؕ لَهُمْ دَرَجٰتٌ عِنْدَ رَبِّهِمْ وَ مَغْفِرَةٌ وَّ رِزْقٌ كَرِیْمٌۚ (4)

(૪) સાચા ઈમાનવાળા લોકો આ જ છે તેમના માટે તેમના રબ પાસે ઊંચા દરજ્જાઓ અને માફી અને ઈજ્જતની રોજી છે.


كَمَاۤ اَخْرَجَكَ رَبُّكَ مِنْۢ بَیْتِكَ بِالْحَقِّ ص وَ اِنَّ فَرِیْقًا مِّنَ الْمُؤْمِنِیْنَ لَكٰرِهُوْنَۙ (5)

(૫) જેવી રીતે તમારા રબે સત્ય સાથે તમારા ઘરમાંથી તમને નીકાળ્યા, અને મુસલમાનોનું એક જૂથ તેને કઠીન સમજતુ હતું.


یُجَادِلُوْنَكَ فِی الْحَقِّ بَعْدَ مَا تَبَیَّنَ كَاَنَّمَا یُسَاقُوْنَ اِلَى الْمَوْتِ وَ هُمْ یَنْظُرُوْنَؕ (6)

(૬) તે સ્પષ્ટ થઈ ગયા પછી સત્યની બાબતમાં તેઓ તમારા સાથે ઝઘડી રહ્યા હતા, જાણે કે તેઓ મૃત્યુ તરફ હંકારવામાં આવી રહ્યા હોય અને (તેને) જોઈ રહ્યા હોય.


وَ اِذْ یَعِدُكُمُ اللّٰهُ اِحْدَى الطَّآئِفَتَیْنِ اَنَّهَا لَكُمْ وَ تَوَدُّوْنَ اَنَّ غَیْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُوْنُ لَكُمْ وَ یُرِیْدُ اللّٰهُ اَنْ یُّحِقَّ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَ یَقْطَعَ دَابِرَ الْكٰفِرِیْنَۙ (7)

(૭) અને તમે લોકો તે સમયને યાદ કરો કે જ્યારે અલ્લાહ તમારા સાથે તે બે જૂથોમાંથી એકનો વાયદો કરી રહ્યો હતો કે તે તમારા હાથમાં આવી જશે, અને તમે તે આશાએ હતા કે વગર હથિયારવાળું જૂથ તમારા હાથમાં આવી જાય, અને અલ્લાહ (તઆલા)ની મરજી એ હતી કે પોતાના હુકમથી સત્યને સત્ય હોવું સાબિત કરી દે અને તે કાફિરોની જડ કાપી નાખે.


لِیُحِقَّ الْحَقَّ وَ یُبْطِلَ الْبَاطِلَ وَ لَوْ كَرِهَ الْمُجْرِمُوْنَۚ (8)

(૮) જેથી સત્ય, સત્ય થઈને રહે અને જૂઠ, જૂઠ થઈને રહે, ભલેને આ અપરાધીઓને પસંદ ન હોય.


اِذْ تَسْتَغِیْثُوْنَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ اَنِّیْ مُمِدُّكُمْ بِاَلْفٍ مِّنَ الْمَلٰٓئِكَةِ مُرْدِفِیْنَ (9)

(૯) તે સમયને યાદ કરો જ્યારે કે તમે પોતાના રબથી દુઆ કરી રહ્યા હતા, પછી અલ્લાહ (તઆલા)એ તમારી સાંભળી લીધી કે હું તમને એક હજાર ફરિશ્તાઓથી મદદ કરીશ જે એક પછી એક આવશે.


وَ مَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰى وَ لِتَطْمَئِنَّ بِهٖ قُلُوْبُكُمْ ۚ وَ مَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۧ (10)

(૧૦) અને અલ્લાહ (તઆલા)એ આ મદદ ફક્ત એ કારણે કરી કે તમારા માટે ખુશખબર હોય અને તમારા દિલોને શાંતિ પ્રાપ્ત થઈ જાય, અને મદદ ફક્ત અલ્લાહ તરફથી જ આવે છે, બેશક અલ્લાહ ઘણો તાકાતવાળો અને હિકમતવાળો છે. (ع-)