Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

આયત : ૧૨૯ | રૂકૂઅ : ૧૬

સૂરહત્ તૌબા (૯)

પશ્ર્યાતાપ (માફી)

સૂરહ અત્ તૌબા મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. સૂરહ માં એકસો ઓગણત્રીસ (૧૨૯) આયતો અને સોળ (૧૬) રૂકૂઅ છે.


અર્થ : વ્યાખ્યાકારોએ આના ઘણા નામો બતાવ્યા છે પરંતુ વધારે મશહૂર બે (ર) નામો છે.

૧. તૌબા : એટલા માટે કે આમાં ઈમાનવાળાઓની તૌબા કબૂલ થવાનું વર્ણન છે.

૨. બરાઅત, એટલા માટે કે આમાં મૂર્તિપૂજકો સાથે સંધીથી અલગ થવાનું એલાન છે.

આ કુરઆન મજીદની એક જ સૂરહ છે જેની શરૂઆત બિસ્મિલ્લાહ હિરરહમા નિરરહીમથી નથી થતી.

આના ઘણા કારણો કિતાબોમાં આવ્યા છે. પરંતુ વધારે સાચી વાત એ છે કે સૂરહ અન્ફાલ અને

સૂરહ તૌબા બંનેમાં સમાનતા જોવા મળે છે. એટલા માટે આ સૂરહ, સૂરહ અન્ફાલની પૂરક છે.

આ સાત મોટી સૂરહમાં સાતમી સૂરહ છે. જેને સબઆ તિવાલ કહે છે.

For More Information click here