(૫૧) હે પયગંબરો! હલાલ વસ્તુઓ ખાઓ અને નેક કામ કરો, તમે જે કંઈ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણુ છું.
(૫૨) અને બેશક તમારો આ ધર્મ એક જ ધર્મ છે,[1] અને હું જ તમારા બધાનો રબ છું તો તમે મારાથી ડરતા રહો.
(૫૩) પછી તેમની ઉમ્મતોએ જાતે જ પોતાના ધર્મના પરસ્પર ટુકડા કરી લીધા, દરેક સંપ્રદાય તેના પાસે જે કંઈ છે તેના પર ગર્વ કરી રહ્યો છે.
(૫૪) તો તમે પણ તેમને તેમની ગફલતની હાલતમાં થોડો સમય પડી રહેવા દો.
(૫૫) શું તેઓ એમ સમજી બેઠા છે કે અમે જે કંઈ પણ તેમના માલ અને સંતાન વધારી રહ્યા છીએ.
(૫૬) તે તેમના માટે ભલાઈઓમાં જલ્દી કરી રહ્યા છે ? નહિ, નહિ, બલ્કે તેઓ સમજતા જ નથી.
(૫૭) બેશક જે લોકો પોતાના રબના ડરથી ડરે છે.
(૫૮) અને જે લોકો પોતાના રબની આયતો પર ઈમાન રાખે છે.
(૫૯) અને જેઓ પોતાના રબ સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા.
(૬૦) અને જે લોકો આપે છે જે કંઈ આપે છે અને તેમના દિલ ધ્રુજે છે કે તેમને પોતાના રબ તરફ પાછા જવાનું છે.
(૬૧) આ લોકો છે જેઓ જલ્દી ભલાઈ પ્રાપ્ત કરી રહ્યા છે અને આ લોકો છે જેઓ તેના તરફ વધી જનાર છે.
(૬૨) અમે કોઈ જીવને તેની તાકાતથી વધારે બોજ નથી આપતા, અમારા પાસે એક કિતાબ છે જે સત્ય જ બોલે છે, તેમના ઉપર જરા પણ જુલમ નહિ થાય.
(૬૩) પરંતુ તેમના દિલ તેના તરફથી ગાફેલ છે અને તેમના માટે આના સિવાય પણ ઘણા કાર્યો છે જેને તેઓ કરનાર છે.
(૬૪) ત્યાં સુધી કે જ્યારે અમે તેમના ખુશહાલ લોકોને અઝાબમાં પકડી લીધા તો તેઓ ફરિયાદ કરવા લાગ્યા.
(૬૫) આજે ફરિયાદ કરો નહિ, બેશક તમને અમારા તરફથી મદદ કરવામાં નહિ આવે.
(૬૬) અમારી આયતો તમારા સામે પઢવામાં આવતી હતી, પછી પણ તમે પોતાની એડિયોભેર ઉલ્ટા ભાગતા હતા.
(૬૭) અકડતા, ઈતરાતા, વાતો બનાવતા તેને છોડી દેતા .
(૬૮) શું તેમણે આ વાત પર ચિંતન અને મનન નથી કર્યું ? પરંતુ તેમના પાસે તે આવ્યું જે તેમના પૂર્વજોના પાસે નહોતું આવ્યુ.
(૬૯) અથવા તેમણે પોતાના પયગંબરોને ઓળખ્યા નહિ કે તેમનો ઈન્કાર કરનારા બની રહ્યા છે.
(૭૦) અથવા કહે છે કે તેનું માથું ફૂટી ગયું છે? પરંતુ તે તો તેમના પાસે સત્ય લઈને આવ્યા છે, હા, આમનામાંથી વધારે પડતા સત્યથી ચીઢે છે.
(૭૧) જો સત્ય તેમની ઈચ્છાઓનું અનુયાયી બની જાય, તો ધરતી અને આકાશ અને તેમના વચ્ચેની જેટલી વસ્તુઓ છે બધી અસ્તવ્યસ્ત થઈ જાય,[1] સત્ય તો એ છે કે અમે તેમને તેમની નસીહત પહોંચાડી દીધી છે, પરંતુ તેઓ પોતાની નસીહતથી મોઢું ફેરવનારા છે.
(૭૨) શું તમે તેમના પાસે કોઈ વળતર ચાહો છો ? યાદ રાખો, તમારા રબનું વળતર ખૂબ બહેતર છે અને તે સર્વશ્રેષ્ઠ રોજી પહોંચાડનાર છે.
(૭૩) બેશક તમે તો તેમને સીધા માર્ગ તરફ બોલાવી રહ્યા છો.
(૭૪) અને બેશક જે લોકો આખિરત પર વિશ્વાસ નથી રાખતા તેઓ સીધા માર્ગથી ફરી જનારા છે.
(૭૫) અને જો અમે તેમના ઉપર કૃપા કરીએ તથા તેમની મુશ્કેલી દૂર કરી દઈએ તો આ લોકો પોતપોતાની દુષ્ટતા પર વધારે મજબૂત રહીને વધારે ભટકવા લાગશે.
(૭૬) અને અમે તેમને અઝાબમાં પણ જકડ્યા, પછી પણ આ લોકો ન તો પોતાના રબ સામે ઝૂક્યા અને ન વિનમ્રતાનો માર્ગ અપનાવ્યો,[1]
(૭૭) ત્યાં સુધી કે જ્યારે અમે તેમના ઉપર સખત અઝાબના દરવાજા ખોલી નાખ્યા તો તેઓ તે જ સમયે તરત જ હતાશ થઈ ગયા. (ع-૪)