Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૩૫

આયત ૨૫૮ થી ૨૬૦


أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ (258)

(૨૫૮) શું તમે એને નથી જોયો, જેણે બાદશાહી મેળવી ઈબ્રાહીમ (અ.સ.) સાથે તેના પાલનહારના બારામાં ઝઘડો કર્યો, જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે મારો રબ તો એ છે જે જીવતા કરે છે અને મારે છે, તે કહેવા લાગ્યો હું પણ જીવાડુ છું અને મારૂ છું. ઈબ્રાહીમ (અ.સ.) એ કહ્યું અલ્લાહ (તઆલા) સૂર્યને પૂર્વ તરફથી લઈ આવે છે, તું એને પશ્ચિમથી લઈ આવ, હવે તે કાફિર સ્તબ્ધ રહી ગયો અને અલ્લાહ જાલિમોને હિદાયત નથી આપતો.


أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (259)

(૨૫૯) અથવા તે માણસની જેમ જે તે વસ્તીમાંથી પસાર થયો જે છતોના બળે ઊંધી પડી હતી, કહેવા લાગ્યો તેની મોત પછી અલ્લાહ (તઆલા) તેને કેવી રીતે જીવતી કરશે, તો અલ્લાહ (તઆલા) એ તેને સો વર્ષ માટે મારી નાખ્યો, પછી તેને જીવતો ઉઠાવ્યો, પૂછ્યું “કેટલો સમય તારા પરથી પસાર થયો.” જવાબ આપ્યો કે, “એક દિવસ અથવા દિવસનો કેટલોક ભાગ.” કહ્યું કે, “પરંતુ તું સો વર્ષ સુધી રહ્યો, પછી હવે તું તારા ખાવા-પીવાને જો જે બિલ્કુલ ખરાબ નથી થયું, અને પોતાના ગધેડાને પણ જો, અમે તેને લોકોના માટે નિશાની બનાવીએ છીએ. તું જો કે અમે હાડકાંઓને કેવી રીતે ઊભા કરીએ છીએ પછી તેની પર માંસ ચઢાવીએ છીએ.” જ્યારે આ બધુ સ્પષ્ટ થઈ ગયું તો કહેવા લાગ્યો, “હું જાણુ છું કે અલ્લાહ (તઆલા) બધું જ જાણનાર છે.”


وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِن ۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ (260)

(૨૬૦) અને જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) એ કહ્યું, “હે મારા રબ! મને બતાવ કે તું મડદાને કેવી રીતે જીવતા કરીશ?” અલ્લાહ (તઆલા) એ કહ્યું,”શું તમને ઈમાન નથી?” જવાબ આપ્યો “ઈમાન તો છે પરંતુ મારા દિલને શાંતિ થઈ જશે.” કહ્યું, “ચાર પક્ષીઓ લો, તેના ટુકડા કરી નાખો. પછી દરેક પહાડ પર તેના એક-એક ભાગ રાખી દો. પછી તેને પોકારો તમારા પાસે દોડીને આવી જશે.” અને જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમત વાળો છે.