Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૧૫

આયત ૧૧૧ થી ૧૧૯

یَوْمَ تَاْتِیْ كُلُّ نَفْسٍ تُجَادِلُ عَنْ نَّفْسِهَا وَ تُوَفّٰى كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَ هُمْ لَا یُظْلَمُوْنَ (111)

(૧૧૧) જે દિવસે દરેક મનુષ્ય પોતાના માટે લડતો-ઝઘડતો આવશે અને દરેકને તેના કરેલા કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને લોકો ઉપર કદાપિ જુલમ કરવામાં નહિ આવે


وَ ضَرَبَ اللّٰهُ مَثَلًا قَرْیَةً كَانَتْ اٰمِنَةً مُّطْمَئِنَّةً یَّاْتِیْهَا رِزْقُهَا رَغَدًا مِّنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِاَنْعُمِ اللّٰهِ فَاَذَاقَهَا اللّٰهُ لِبَاسَ الْجُوْعِ وَ الْخَوْفِ بِمَا كَانُوْا یَصْنَعُوْنَ (112)

(૧૧૨) અને અલ્લાહ (તઆલા) તે વસ્તીનું દષ્ટાંત રજૂ કરે છે જે સંપુર્ણ સુખશાંતિથી હતી, તેમની રોજી તેમના પાસે ખુશહાલી સાથે દરેક રસ્તાથી ચાલી આવતી હતી, પછી તેણે અલ્લાહની ને'મતોનો ઈન્કાર કર્યો તો અલ્લાહ (તઆલા)એ તેમને ભૂખ અને ડરની મજા ચખાડી દીધી, જે બદલો હતો તેમના કરતૂતોનો.


وَ لَقَدْ جَآءَهُمْ رَسُوْلٌ مِّنْهُمْ فَكَذَّبُوْهُ فَاَخَذَهُمُ الْعَذَابُ وَ هُمْ ظٰلِمُوْنَ (113)

(૧૧૩) અને તેમના પાસે તેમનામાંથી જ રસૂલ પહોંચ્યા, પછી પણ તેઓએ તેમને જૂઠાડ્યા તો તેમને અઝાબે પકડી લીધા અને તેઓ હતા પણ જાલિમ.


فَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا ص وَّ اشْكُرُوْا نِعْمَتَ اللّٰهِ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ (114)

(૧૧૪) અને જે કંઈ હલાલ અને શુદ્ધ રોજી અલ્લાહે તમને આપી રાખી છે તેને ખાઓ, અને અલ્લાહની ને'મતોનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.


اِنَّمَا حَرَّمَ عَلَیْكُمُ الْمَیْتَةَ وَ الدَّمَ وَ لَحْمَ الْخِنْزِیْرِ وَ مَاۤ اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ ۚ فَمَنِ اضْطُرَّ غَیْرَ بَاغٍ وَّ لَا عَادٍ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (115)

(૧૧૫) તમારા પર ફક્ત મુડદાલ અને લોહી અને સુવ્વરનું માંસ અને તે જાનવર જેના પર અલ્લાહના સિવાય બીજાના નામ લેવામાં આવે હરામ છે, પછી પણ જો કોઈ વ્યક્તિ મજબૂર કરી દેવામાં આવે અને ન તે જાલિમ હોય અને ન હદથી વધી જનારો હોય, તો બેશક અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.


وَ لَا تَقُوْلُوْا لِمَا تَصِفُ اَلْسِنَتُكُمُ الْكَذِبَ هٰذَا حَلٰلٌ وَّ هٰذَا حَرَامٌ لِّتَفْتَرُوْا عَلَى اللّٰهِ الْكَذِبَ ؕ اِنَّ الَّذِیْنَ یَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ لَا یُفْلِحُوْنَؕ (116)

(૧૧૬) અને કોઈ વસ્તુને પોતાના મોઢાથી જૂઠ જ કહ્યા ન કરો કે આ હલાલ છે અને આ હરામ છે કે અલ્લાહ પર જૂઠો આરોપ ઘડો, બેશક અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ ઘડનારા કદાપિ સફળતા પામી શકતા જ નથી.


مَتَاعٌ قَلِیْلٌ ص وَّ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (117)

(૧૧૭) તેમને ઘણો ઓછો ફાયદો પ્રાપ્ત થાય છે અને તેમના માટે જ દુઃખદાયી સજા છે.


وَ عَلَى الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَیْكَ مِنْ قَبْلُ ۚ وَ مَا ظَلَمْنٰهُمْ وَ لٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ (118)

(૧૧૮) અને યહૂદિઓ પર જે કંઈ અમે હરામ કર્યું હતું તેને. અમે પહેલાથી જ તમને સંભળાવી ચૂક્યા છીએ, અમે તેમના પર જુલમ નથી કર્યો પરંતુ તેઓ પોતે પોતાની જાનો પર જુલમ કરતા રહ્યા.


ثُمَّ اِنَّ رَبَّكَ لِلَّذِیْنَ عَمِلُوا السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوْا مِنْۢ بَعْدِ ذٰلِكَ وَ اَصْلَحُوْۤا ۙ اِنَّ رَبَّكَ مِنْۢ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۧ (119)

(૧૧૯) કે જો કોઈ અજ્ઞાનતાથી બૂરું કામ કરે, તેના પછી તૌબા કરી લે અને સુધાર પણ કરી લે, તો પછી તમારો રબ બેશક મોટો માફ કરવાવાળો અને ઘણો દયાળુ છે. (ع-૧૫)