(૧૭૭
) બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી, પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ (તઆલા)પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર અને નબીઓ પર ઈમાન રાખવવાળો છે, જે માલથી મોહબ્બત હોવા છતાં રિશ્તેદારો, અનાથો, ગરીબો, મુસાફરો અને ભિખારીઓને આપે, કેદીઓને છોડાવે, નમાઝની પાબંદી કરે, ઝકાત આપે, જ્યારે વચન આપે તો તેને પુરું કરે, માલની કમી, દુઃખ દર્દ અને લડાઈના સમયે સબ્ર કરે, આ જ સાચા લોકો છે અને આ જ પરહેઝગાર (ગુનાહોથી બચનાર) છે.