Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૨

આયત ૧૭૭ થી ૧૮૨


لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ (177)

(૧૭૭) બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી, પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ (તઆલા)પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર અને નબીઓ પર ઈમાન રાખવવાળો છે, જે માલથી મોહબ્બત હોવા છતાં રિશ્તેદારો, અનાથો, ગરીબો, મુસાફરો અને ભિખારીઓને આપે, કેદીઓને છોડાવે, નમાઝની પાબંદી કરે, ઝકાત આપે, જ્યારે વચન આપે તો તેને પુરું કરે, માલની કમી, દુઃખ દર્દ અને લડાઈના સમયે સબ્ર કરે, આ જ સાચા લોકો છે અને આ જ પરહેઝગાર (ગુનાહોથી બચનાર) છે.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ (178)

(૧૭૮) હે ઈમાનવાળાઓ ! તમારા પર કતલ કરવામાં આવેલ માણસનો બદલો લેવાનું ફર્ઝ (અનિવાર્ય) કરવામાં આવેલ છે. આઝાદના બદલામાં આઝાદ, ગુલામના બદલામાં ગુલામ, સ્ત્રીના બદલામાં સ્ત્રી, હાં, અગર જે કોઈને તેના ભાઈ તરફથી માફ કરી દેવામાં આવે, તેણે ભલાઈનું સન્માન કરવું જોઈએ અને આસાની સાથે દીયત (માલ જે કતલના બદલામાં લેવામાં આવે) આપવી જોઈએ, તમારા રબ તરફથી આ છૂટ છે અને મહેરબાની છે, આના પછી પણ જો કોઈ હદ વટાવશે, તેણે ઘણા અઝાબનો સામનો કરવો પડશે.


وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ (179)

(૧૭૯) અકલમંદો ! કિસાસ(હત્યા દંડ) માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકશો.


كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ (180)

(૧૮૦) તમારા પર ફર્ઝ કરી દેવામાં આવે છે કે જ્યારે તમારામાંથી કોઈ મરવા લાગે અને માલ છોડી જતો હોય, તો પોતાના માતા-પિતા અને રિશ્તેદારોના માટે ભલાઈ સાથે વસીયત કરી જાય. પરહેઝગારો પર આ ફર્ઝ સ્પષ્ટ છે.


فَمَن بَدَّلَهُ بَعْدَمَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ (181)

(૧૮૧) હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનો બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે.


فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (182)

(૧૮૨) હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબીજામાં સુધાર કરાવી આપે, તો તેમના પર ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.