Surah Al-'Ankabut

સૂરહ અલ-અન્કબૂત

રૂકૂઅ : ૫

આયત ૪૫ થી ૫૧

اُتْلُ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنَ الْكِتٰبِ وَ اَقِمِ الصَّلٰوةَ ؕ اِنَّ الصَّلٰوةَ تَنْهٰى عَنِ الْفَحْشَآءِ وَ الْمُنْكَرِ ؕ وَ لَذِكْرُ اللّٰهِ اَكْبَرُ ؕ وَ اللّٰهُ یَعْلَمُ مَا تَصْنَعُوْنَ (45)

(૪૫) જે કિતાબ તમારા તરફ વહી કરવામાં આવી છે તેને પઢો, અને નમાઝ કાયમ કરો (પાબંદીથી પઢો) બેશક નમાઝ બેશરમી અને બૂરા કામોથી રોકે છે, અને બેશક અલ્લાહનું સ્મરણ (ઝીક્ર) ઘણી મોટી વાત છે. જે કંઈ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ (તઆલા) જાણે છે.


وَ لَا تُجَادِلُوْۤا اَهْلَ الْكِتٰبِ اِلَّا بِالَّتِیْ هِیَ اَحْسَنُ { ۖق } اِلَّا الَّذِیْنَ ظَلَمُوْا مِنْهُمْ وَ قُوْلُوْۤا اٰمَنَّا بِالَّذِیْۤ اُنْزِلَ اِلَیْنَا وَ اُنْزِلَ اِلَیْكُمْ وَ اِلٰهُنَا وَ اِلٰهُكُمْ وَاحِدٌ وَّ نَحْنُ لَهٗ مُسْلِمُوْنَ (46)

(૪૬) અને કિતાબવાળાઓ સાથે ઉત્તમ તરીકાથી વાદ-વિવાદ કરો, સિવાય તેમના સાથે જેઓ તેમનામાંથી જાલિમ હોય, અને સ્પષ્ટ એ ઉપર પણ જે તલાન કરી દો કે, “અમારું તો આ કિતાબ ઉપર પણ ઈમાન છે જે અમારા ઉપર મોકલવામાં આવી અને તેના મારા ઉપર મોકલવામાં આવી, અમારો અને તમારો રબ એક જ છે અમે બધા તો તેના જ ફરમાબરદાર છીએ.”


وَ كَذٰلِكَ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ ؕ فَالَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یُؤْمِنُوْنَ بِهٖ ۚ وَ مِنْ هٰۤؤُلَآءِ مَنْ یُّؤْمِنُ بِهٖ ؕ وَ مَا یَجْحَدُ بِاٰیٰتِنَاۤ اِلَّا الْكٰفِرُوْنَ (47)

(૪૭) અને અમે આવી જ રીતે તમારા ઉપર અમારી કિતાબ ઉતારી છે, જેથી જેમને અમે કિતાબ પ્રદાન કરી છે, તેઓ આના પર ઈમાન લાવે. અને તેમનામાંથી કેટલાક આના પર ઈમાન લાવે છે અને અમારી નિશાનીઓનો ઈન્કાર ફક્ત કાફિરો જ કરે છે.


وَ مَا كُنْتَ تَتْلُوْا مِنْ قَبْلِهٖ مِنْ كِتٰبٍ وَّ لَا تَخُطُّهٗ بِیَمِیْنِكَ اِذًا لَّارْتَابَ الْمُبْطِلُوْنَ (48)

(૪૮) અને આના પહેલા તો તમે કોઈ કિતાબ પઢતા ન હતા, અને ન કોઈ કિતાબને પોતાના હાથો વડે લખતા હતા, જો આમ હોત તો અસત્યના પૂજારીઓ શંકામાં પડી શકતા હતા.


بَلْ هُوَ اٰیٰتٌۢ بَیِّنٰتٌ فِیْ صُدُوْرِ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ ؕ وَ مَا یَجْحَدُ بِاٰیٰتِنَاۤ اِلَّا الظّٰلِمُوْنَ (49)

(૪૯) નહિતર આ (કુરઆન) તો સ્પષ્ટ નિશાની છે જે જ્ઞાનવાળાઓના દિલોમાં સુરક્ષિત છે, અમારી નિશાનીઓનો ઈન્કાર કરનારા જાલિમો સિવાય બીજા કોઈ નથી.


وَ قَالُوْا لَوْ لَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیٰتٌ مِّنْ رَّبِّهٖ ؕ قُلْ اِنَّمَا الْاٰیٰتُ عِنْدَ اللّٰهِ ؕ وَ اِنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ (50)

(૫૦) અને તેમણે કહ્યું કે આના પર કેટલીક નિશાનીઓ તેના રબ તરફથી કેમ ઉતારવામાં ન આવી, (તમે) કહી દો નિશાનીઓ બધી અલ્લાહ પાસે છે મારી હેસિયત તો ફક્ત સ્પષ્ટપણે સચેત કરી દેવાની છે.


اَوَ لَمْ یَكْفِهِمْ اَنَّاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ یُتْلٰى عَلَیْهِمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَرَحْمَةً وَّ ذِكْرٰى لِقَوْمٍ یُّؤْمِنُوْنَ ۧ (51)

(૫૧) શું તેમને આ પુરતું નથી કે અમે તમારા પર અમારી કિતાબ ઉતારી જે તેમના પર પઢવામાં આવી રહી છે ? આમાં કૃપા (પણ) છે અને નસીહત (પણ) છે, તે લોકોના માટે જેઓ ઈમાનવાળા છે. (ع-)