Surah Ash-Shur'ara

સૂરહ અસ્-શુઅરા

રૂકૂઅ : ૩

આયત ૩૪ થી ૫૧

قَالَ لِلْمَلَاِ حَوْلَهٗۤ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌۙ (34)

(૩૪) (ફિરઔન) પોતાના નજીકના સરદારોને કહેવા લાગ્યો કે, “આ તો કોઈ મોટો માહેર જાદૂગર છે.”


یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهٖ { ۖق } فَمَا ذَا تَاْمُرُوْنَ (35)

(૩૫) એ તો ઈચ્છે છે કે પોતાના જાદૂના જોરે તમને તમારી ધરતીમાંથી કાઢી મૂકે, બતાવો હવે તમે શું અભિપ્રાય આપો છો ? ”


قَالُوْۤا اَرْجِهْ وَ اَخَاهُ وَ ابْعَثْ فِی الْمَدَآئِنِ حٰشِرِیْنَۙ (36)

(૩૬) તે બધાએ કહ્યું, “આપ એને અને એના ભાઈને રોકી રાખો અને તમામ નગરોમાં જમા કરવાવાળાઓને મોકલી દો.


یَاْتُوْكَ بِكُلِّ سَحَّارٍ عَلِیْمٍ (37)

(૩૭) જે તમારા પાસે માહેર જાદૂગરોને લઈ આવે.


فَجُمِعَ السَّحَرَةُ لِمِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍۙ (38)

(૩૮) પછી એક નિર્ધારિત દિવસના સમય પર બધા જાદૂગરોને ભેગા કરવામાં આવ્યા.


وَّ قِیْلَ لِلنَّاسِ هَلْ اَنْتُمْ مُّجْتَمِعُوْنَۙ (39)

(૩૯) અને બધા લોકોને પણ કહી દેવામાં આવ્યુ કે તમે પણ જમા થઈ જાઓ.


لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ اِنْ كَانُوْا هُمُ الْغٰلِبِیْنَ (40)

(૪૦) જેથી જો જાદૂગર પ્રભાવી થઈ જાય તો અમે તેમનું જ અનુસરણ કરીશું.


فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالُوْا لِفِرْعَوْنَ اَئِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ (41)

(૪૧) જાદૂગરો આવીને ફિરઔનને કહેવા લાગ્યા કે, “જો અમે જીતી જઈએ તો અમને કંઈક ઈનામ પણ મળશે ? ”


قَالَ نَعَمْ وَ اِنَّكُمْ اِذًا لَّمِنَ الْمُقَرَّبِیْنَ (42)

(૪૨) ફિરઔને કહ્યું, “હાં, (વધારે ખુશીથી) બલ્કે આવી સ્થિતિમાં તમે મારા ખાસ દરબારી બની જશો.”


قَالَ لَهُمْ مُّوْسٰۤى اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ (43)

(૪૩) મૂસાએ જાદૂગરોને કહ્યું, “જે કંઈ તમારે નાખવું હોય તે નાખી દો.”


فَاَلْقَوْا حِبَالَهُمْ وَ عِصِیَّهُمْ وَ قَالُوْا بِعِزَّةِ فِرْعَوْنَ اِنَّا لَنَحْنُ الْغٰلِبُوْنَ (44)

(૪૪) તેમણે પોતાના દોરડા અને લાઠીઓ નાખી દીધા અને કહેવા લાગ્યા, “ફિરઔનની ઈજ્જતની ક્સમ ! અમે જરૂર વિજયી રહીશું.”


فَاَلْقٰى مُوْسٰى عَصَاهُ فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَۚۖ (45)

(૪૫) હવે મૂસાએ પણ પોતાની લાઠી નાખી દીધી, જેણે તે જ ક્ષણે તેમના જૂઠા બનાવેલા તમાશાને ગળવાનું શરૂ કરી દીધું.


فَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَۙ (46)

(૪૬) આ જોતા જ જાદૂગરો સિજદામાં પડી ગયા.


قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَۙ (47)

(૪૭) અને તેમણે સ્પષ્ટ રીતે કહી દીધુ કે, “અમે તો તમામ લોકોના રબ પર ઈમાન લઈ આવ્યા.


رَبِّ مُوْسٰى وَ هٰرُوْنَ (48)

(૪૮) એટલે કે મૂસા અને હારૂનના રબ પર.”


قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ فَلَسَوْفَ تَعْلَمُوْنَ ؕ٥ لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَ اَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّ لَاُوصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَۚ (49)

(૪૯) (ફિરઔને) કહ્યું કે, “મારી પરવાનગી પહેલા તમે તેના પર ઈમાન લઈ આવ્યા, જરૂર આ તમારો સરદાર (મોટો ગુરૂ) છે. જેણે તમને બધાને જાદૂ શિખવાડ્યુ છે, તો તમને હમણાં જ ખબર પડી જશે, કસમ છે હું તમારા હાથ-પગ ઉલટી દિશામાંથી કપાવડાવીશ અને તમને બધાને શૂળીએ ચઢાવીશ.”


قَالُوْا لَا ضَیْرَ {ز} اِنَّاۤ اِلٰى رَبِّنَا مُنْقَلِبُوْنَۚ (50)

(૫૦) તેમણે કહ્યું કે, “કોઈ વાંધો નહિ, અમે તો અમારા રબ તરફ પાછા ફરનારા છીએ.”


اِنَّا نَطْمَعُ اَنْ یَّغْفِرَ لَنَا رَبُّنَا خَطٰیٰنَاۤ اَنْ كُنَّاۤ اَوَّلَ الْمُؤْمِنِیْنَ ؕ ۧ (51)

(૫૧) અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા એના આધારે અમને આશા છે કે અમારો રબ અમારા તમામ ગુનાહોને માફ કરી દેશે. (ع-)