Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૩

આયત ૨૧ થી ૨૭

اَوَ لَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّ اٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ وَ مَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ (21)

(૨૧) શું આ લોકો ધરતી પર હર્યા-ફર્યા નથી, જેથી જોતા કે જે લોકો આમના પહેલા હતા તેમનું પરિણામ કેવું આવ્યું ? તેઓ તાકાત અને શક્તિ અને ધરતી પર પોતાની યાદગારોની બુનિયાદ પર આમની સરખામણીમાં વધારે હતા, પછી પણ અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે ઝડપી લીધા, અને કોઈ ન થયો જે તેમને અલ્લાહના અઝાબોથી બચાવી લે.


ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ (22)

(૨૨) આવુ એટલા માટે કે તેમના પાસે તેમના પયગંબર ચમત્કારો લઈ લઈને આવતા તો તેઓ ઈન્કાર કરી દેતા હતા, તો અલ્લાહ તેમને ઝડપી લેતો હતો, બેશક તે ખૂબ શક્તિશાળી અને સખત સજાઓ આપવાવાળો છે.


وَ لَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰیٰتِنَا وَ سُلْطٰنٍ مُّبِیْنٍ ۙ (23)

(૨૩) અને અમે મૂસા (અ.સ.)ને અમારી આયતો (નિશાનીઓ) અને સ્પષ્ટ દલીલો સાથે મોકલ્યા.


اِلٰى فِرْعَوْنَ وَ هَامٰنَ وَ قَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ (24)

(૨૪) ફિરઔન અને હામાન અને કારૂન તરફ, પરંતુ તેમણે કહ્યું કે, “(આ તો) જાદૂગર છે અને જૂઠો છે.”


فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَ اسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ وَ مَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ (25)

(૨૫) પછી જ્યારે મૂસા (અ.સ.) તેમના પાસે અમારા તરફથી સત્ય લઈને આવ્યા તો તેમણે કહ્યું કે, “આમના સાથે જે ઈમાનવાળાઓ છે તેમના પુત્રોને કતલ કરી દો અને પુત્રીઓને જીવતી રહેવા દો.” અને કાફિરોની જે ચાલ છે તે ગુમરાહી પર જ છે.


وَ قَالَ فِرْعَوْنُ ذَرُوْنِیْۤ اَقْتُلْ مُوْسٰى وَ لْیَدْعُ رَبَّهٗ ۚ اِنِّیْۤ اَخَافُ اَنْ یُّبَدِّلَ دِیْنَكُمْ اَوْ اَنْ یُّظْهِرَ فِی الْاَرْضِ الْفَسَادَ (26)

(૨૬) અને ફિરઔને કહ્યું કે, “મને છોડો કે હું મૂસાને મારી નાંખુ, અને એને જોઈએ કે પોતાના રબને પોકારે, મને ભય છે કે ક્યાંક તમારા ધર્મને બદલી ન નાખે અથવા દેશમાં કોઈ મોટો ફસાદ પેદા ન કરી દે.”


وَ قَالَ مُوْسٰۤى اِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَ رَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا یُؤْمِنُ بِیَوْمِ الْحِسَابِ ۧ (27)

(૨૭) અને મૂસા (અ.સ.)એ કહ્યું કે, “હું મારા અને તમારા રબની પનાહમાં આવું છું, તે દરેક ઘમંડી વ્યક્તિ (ની બૂરાઈ) થી જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો. (ع-)