(૯૫) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે (હજ અથવા ઉમરાહના) અહેરામની હાલતમાં રહો તો શિકાર ન કરો અને તમારામાંથી જે કોઈપણ જાણી જોઈને તેને મારે તો તેને ફિદિયો આપવાનો છે તેના સમાન પાલતુ જાનવરથી જેનો ફેંસલો તમારામાંથી બે આદિલ વ્યક્તિ કરશે જે કુરબાની માટે કા’બા સુધી પહોંચાડવામાં આવશે, અથવા ફિદિયા રૂપે ગરીબોને ખવડાવવાનું રહેશે, અથવા તેના બરાબર રોઝા રાખવાના છે જેથી પોતાના કરેલાની સજા માણો, જે પહેલા થઈ ગયું તેને અલ્લાહે માફ કરી દીધુ અને જે કોઈ આના (મનાઈ હુકમ) પછી આવું ફરી કરશે અલ્લાહ તેનાથી બદલો લેશે, અલ્લાહ શક્તિશાળી બદલો લેવાવાળો છે.