Surah Nuh

સૂરહ નૂહ

રૂકૂ :

આયત ૨૧ થી ૨

قَالَ نُوْحٌ رَّبِّ اِنَّهُمْ عَصَوْنِیْ وَ اتَّبَعُوْا مَنْ لَّمْ یَزِدْهُ مَالُهٗ وَ وَلَدُهٗۤ اِلَّا خَسَارًا ۚ (21)

(૧) નૂહ (સ.અ.) એ કહ્યું, “હે મારા રબ! આ લોકોએ મારી નાફરમાની કરી અને એવા (લોકો)નું આજ્ઞાપાલન કર્યું જેમના માલ અને સંતાને તેમના નુકસાનમાં જ વધારો કર્યો.


وَ مَكَرُوْا مَكْرًا كُبَّارًا ۚ (22)

(૨૨) અને આ લોકોએ ખૂબ જ મોટો ધોખો કર્યો.”


وَ قَالُوْا لَا تَذَرُنَّ اٰلِهَتَكُمْ وَ لَا تَذَرُنَّ وَدًّا وَّ لَا سُوَاعًا { ۙ٥} وَّ لَا یَغُوْثَ وَ یَعُوْقَ وَ نَسْرًا ۚ (23)

(૨૩) અને આમણે કહ્યું કે, “ક્યારેય પણ પોતાના ઉપાસ્યોને છોડશો નહિં, અને ન છોડશો વદ્‌, સુવાઅ, યગૂસ, યઉક અને નસ્રને.”


وَ قَدْ اَضَلُّوْا كَثِیْرًا{ ۚ ٥} وَ لَا تَزِدِ الظّٰلِمِیْنَ اِلَّا ضَلٰلًا (24)

(૨૪) અને આમણે ઘણા બધા લોકોને ભટકાવ્યા, (હે રબ !) તું તે જાલિમોની ગુમરાહીમાં વધારો કરી દે.


مِمَّا خَطِیْٓئٰتِهِمْ اُغْرِقُوْا فَاُدْخِلُوْا نَارًا { ۙ٥} فَلَمْ یَجِدُوْا لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اَنْصَارًا (25)

(૨૫) તે લોકોને પોતાના ગુનાહોના કારણે (પાણીમાં) ડૂબાડી દેવામાં આવ્યા, અને જહન્નમમાં પહોંચાડી દેવાયા અને અલ્લાહ સિવાય તેઓએ પોતાના માટે કોઈ મદદ કરવાવાળો ન જોયો.


وَ قَالَ نُوْحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْاَرْضِ مِنَ الْكٰفِرِیْنَ دَیَّارًا (26)

(૨૬) અને નૂહ (અ.સ.) એ કહ્યું કે, “હે મારા રબ! તું ધરતી પર કોઈ પણ કાફિરને વસવાટ કરનાર છોડીશ નહિં.


اِنَّكَ اِنْ تَذَرْهُمْ یُضِلُّوْا عِبَادَكَ وَ لَا یَلِدُوْۤا اِلَّا فَاجِرًا كَفَّارًا (27)

(૨૭) જો તું તેમને રહેવા દઈશ તો બેશક તેઓ તારા બંદાઓને પણ બહેકાવશે અને તેઓ કુકર્મ કરવાવાળા કાફિરોને જ જન્મ આપશે.


رَبِّ اغْفِرْ لِیْ وَ لِوَالِدَیَّ وَ لِمَنْ دَخَلَ بَیْتِیَ مُؤْمِنًا وَّ لِلْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ ؕ وَ لَا تَزِدِ الظّٰلِمِیْنَ اِلَّا تَبَارًا ۧ (28)

(૨૮) હે મારા રબ ! તું મને અને મારા માતા-પિતા અને જે પણ ઈમાન લાવીને મારા ઘરમાં આવ્યા અને બધા જ ઈમાનવાળા પુરૂષો અને બધી જ ઈમાનવાળી સ્ત્રીઓને માફ કરી દે અને કાફિરો માટે બરબાદી સિવાય બીજી કોઈ વાતમાં વધારો ન કર.” (ع-)