(૬) અને અનાથોને તેમના સગીર થઈ જવા સુધી સુધારતા રહો અને પરીક્ષા કરતા રહો, પછી જો તમે તેમનામાં સુધાર જુઓ તો તેમને તેમનો માલ સોંપી દો, અને તેમના મોટા થઈ જવાના ડરથી તેમના માલને જલ્દી જલ્દી વ્યર્થ રીતે ન ખાઓ, માલદારોને જોઈએ કે તેમના માલથી બચતા રહે, જો ગરીબ હોય તો નિયમ મુજબ ખાઓ, પછી જયારે તેમને તેમનો માલ સોંપો તો ગવાહ બનાવી લો, અને હિસાબ લેવા માટે અલ્લાહ પૂરતો છે.