Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૧

આયત ૮૭ થી ૯૬


وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ (87)

(૮૭) અમે મૂસા (અ. સ.) ને કિતાબ આપી અને તેમના પછી બીજા પયગંબરો અવતરિત કર્યા અને અમે મરયમના દીકરા ઈસાને પ્રકાશિત પુરાવા આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઈલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે તરત જ ઘમંડ કર્યુ, બસ કેટલાકને તો જૂઠલાવી દીધા અને કેટલાકને કતલ પણ કરી દીધા.


وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ (88)

(૮૮) આ લોકો કહે છે કે અમારા હૃદયો પર પડદો નથી, પરંતુ તેઓના ઇનકારના કારણે તેઓને અલ્લાહ તઆલાએ ધિક્કારેલા કરી દીધા છે, તેઓનું ઈમાન થોડુંક જ છે.


وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ (89)

(૮૯) અને તેઓ પાસે જ્યારે અલ્લાહ તઆલાની કિતાબ (કુરઆન) , કે જે તેમની કિતાબ (તૌરાત) ને પણ સત્ય ઠેરવનારી આવી ગઈ, અને ઓળખી લીધા પછી પણ ઇન્કાર કરવા લાગ્યા, જો કે પહેલા આ લોકો પોતે (આના વડે) ઇન્કાર કરનારાઓ ઉપર વિજય ઈચ્છતા હતા, અલ્લાહ તઆલાની ફિટકાર થાય ઇન્કાર કરનારાઓ ઉપર.


بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ (90)

(૯૦) ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, તે તેઓનું ઇન્કાર કરવું છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફક્ત એ વાતથી અદેખાઈ કરતા કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઈચ્છયું તેના પર કરી, તેના કારણે આ લોકો અલ્લાહ ના ગુસ્સાના લાયક થઈ ગયા અને તે ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના છે.


وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ (91)

(૯૧) અને જયારે તેમનાથી કહેવામાં આવ્યું કે તેના પર ઈમાન લાવો જેને અલ્લાહે ઉતાર્યું છે, તો તેમણે કહી દીધું કે જે અમારા પર ઉતર્યું (તૌરાત) તેના પર અમારૂ ઈમાન છે,અને તેઓ એના સિવાય (કુરઆન) નો ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે, એમના પાસેના (ધર્મગ્રંથ)ની ખરાઈ કરી રહ્યું છે. (હે રસુલ!) તેમને કહો કે જો તમે પોતાની કિતાબ પર યકીન રાખો છો, તો આના પહેલા અલ્લાહના રસુલોના કતલ કેમ કર્યા ?


وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ (92)

(૯૨) અને તમારી પાસે મૂસા(અ.સ.) આ જ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ પછી પણ તમે વાછરડાની પૂજા કરી, તમે છો જ જાલિમ.



وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ (93)

(૯૩) અને જ્યારે અમે તમારાથી વચન લીધુ અને તમારા ઉપર તૂર પહાડ ઉઠાવી દીધો (અને કહી દીધુ) કે અમારી આપેલી વસ્તુઓને મજબૂતીથી પકડો અને સાંભળો, તો તેમણે કહ્યું અમે સાંભળ્યુ અને નાફરમાની કરી, અને તેમના દિલોમાં વાછરડાનો પ્રેમ (જેવો કે) પવેસ (પ્રવેશ) કરી દેવામાં આવ્યો, તેમના કુફ્રને કારણે. તેમને કહી દો કે તમારૂ ઈમાન તમને ખરાબ આદેશ આપી રહ્યું છે, જો તમે ઇમાનવાળા છો.


قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ (94)

(૯૪) (આપ) કહી દો, કે જો અલ્લાહની પાસે આખિરતનું ઘર તમારા માટે જ ખાસ છે અને બીજા કોઈના માટે નથી, તો આવો પોતાની સચ્ચાઈની પુષ્ટી માટે મૃત્યુ માંગો.


وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ (95)

(૯૫) પરંતુ પોતાના કર્મોને જોતા તેઓ કદી પણ મૃત્યુ નહિં માંગે અને અલ્લાહ (તઆલા) જાલિમોને સારી રીતે જાણે છે.


وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ (96)

(૯૬) પરંતુ સૌથી વધારે દુનિયાની જિંદગીને પ્રેમ કરવાવાળા (અય નબી !) તમે એમને જ પામશો, તેઓ જિંદગીની લાલચમાં મુશરિકો (મૂર્તિપૂજકો)થી પણ વધારે છે. તેમનામાંથી દરેક વ્યક્તિ એક-એક હજાર વર્ષની ઉંમર ઈચ્છે છે, જો કે આટલી ઉંમર આપવામાં આવે તો પણ તેઓ અઝાબમાંથી નથી બચી શકતા, અલ્લાહ તઆલા તેમના અમલોને સારી રીતે જોઈ રહ્યો છે.