Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૮૭) અને અમે મુસા (અ.સ.) ને કિતાબ આપી અને તેમના પછી સતત રસુલ પણ મોકલ્યા અને મરિયમના પુત્ર ઈસા (અ.સ.)ને ખુલ્લી નિશાનીઓ આપી અને પવિત્ર રૂહ (હજરત જિબ્રઈલ) થી એમની સચ્ચાઈ કરાવી, પરંતુ જયારે પણ તમારા પાસે રસૂલ તે વસ્તુ લાવ્યા જે તમારા વિચારોના વિરુધ્ધ હતી, તમે તરત જ ઘમંડ કર્યો પછી કેટલાકને તમે જુઠાડી દીધા અને કેટલાકને કતલ કરી દીધા.
(૮૮) અને તેઓએ કહ્યું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં, નહિં) પરંતુ તેમના કુફ્રના કારણે તેમને અલ્લાહે ધુત્કારી દીધા છે, તો તેમનામાંથી ઈમાનવાળાઓ ફક્ત થોડાક જ છે.[36]
(૮૯) અને જયારે તેમના પાસે તેમની કિતાબ (તૌરાત)ની પુષ્ટી કરવા માટે એક કિતાબ (કુરઆન) આવી ગઈ, જો કે આના પહેલા તેઓ પોતે તેના વડે કાફિરો પર વિજય ઈચ્છતા હતા, તો આવી જવા છતાં અને ઓળખી લેવા છતાં તેમણે નકારી દીધી, અલ્લાહ તઆલાની ધિક્કાર (લાનત) થાય કાફિરો પર.
(૯૦) બહુ ખરાબ છે તે વસ્તુ જેના બદલે તેઓએ પોતાને વેચી દીધા, તે તેમનું કુફ્ર કરવું છે, અલ્લાહ તઆલાની તરફથી ઉતારેલી કિતાબને, ફક્ત એ વાતથી ઈર્ષા કરીને કે અલ્લાહે પોતાની ને'મત પોતાના જે બંદા પર ઈચ્છી ઉતારી, આ કારણથી તેઓ પ્રકોપ પર પ્રકોપના હકદાર[37] થઈ ગયા અને કાફિરોના માટે અપમાનજનક અઝાબ છે.
(૯૧) અને જયારે તેમનાથી કહેવામાં આવ્યું કે તેના પર ઈમાન લાવો જેને અલ્લાહે ઉતાર્યું છે, તો તેમણે કહી દીધું કે જે અમારા પર ઉતર્યું (તૌરાત) તેના પર અમારૂ ઈમાન છે, અને તેઓ એના સિવાય (કુરઆન)નો ઈન્કાર કરે છે, જો કે તે સત્ય છે, એમના પાસેના (ધર્મગ્રંથ)ની ખરાઈ કરી રહ્યું છે. (હે રસુલ!) તેમને કહો કે જો તમે પોતાની કિતાબ પર યકીન રાખો છો, તો આના પહેલા અલ્લાહના રસુલોના કતલ કેમ કર્યાં ?
(૯૨) અને તમારી પાસે મુસા (અ.સ.) આ જ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ પછી પણ તમે વાછરડાની પૂજા કરી, તમે છો જ જાલિમ.
(૯૩) અને જયારે અમે તમારાથી વચન લીધુ અને તમારા ઉપર તૂર પહાડ ઉઠાવી દીધો (અને કહી દીધુ) કે અમારી આપેલી વસ્તુઓને મજબૂતીથી પકડો અને સાંભળો, તો તેમણે કહ્યું અમે સાંભળ્યુ અને નાફરમાની કરી, અને તેમના દિલોમાં વાછરડાનો પ્રેમ (જેવો કે) પીવડાવી દેવામાં આવ્યો,[38] તેમના કુફ્રને કારણે. (તેમને) કહી દો કે તમારૂ ઈમાન તમને ખરાબ આદેશ આપી રહ્યું છે, જો તમે ઈમાનવાળા છો.
(૯૪) (આપ) કહી દો, કે જો અલ્લાહની પાસે આખિરતનું ઘર તમારા માટે જ છે અને બીજા કોઈના માટે નથી, તો આવો પોતાની સચ્ચાઈની પુષ્ટી માટે મોત માંગો.
(૯૫) પરંતુ પોતાના કર્મોને જોતા તેઓ કદી પણ મોત નહિં માગે અને અલ્લાહ (તઆલા) જાલિમોને સારી રીતે જાણે છે.
(૯૬) પરંતુ સૌથી વધારે દુનિયાની જિંદગીને પ્રેમ કરવાવાળા (અય નબી !) તમે એમને જ પામશો, તેઓ જિંદગીની લાલચમાં મુશરિકો (મૂર્તિપૂજકો)થી પણ વધારે છે. તેમનામાંથી દરેક વ્યક્તિ એક-એક હજાર વર્ષની ઉંમર ઈચ્છે છે, જો કે આટલી ઉંમર આપવામાં આવે તો પણ તેઓ અઝાબમાંથી નથી બચી શકતા, અલ્લાહ તઆલા તેમના અમલોને સારી રીતે જોઈ રહ્યો છે.