Surah Al-Hijr

સૂરહ અલ-હિજ્ર

રૂકૂઅ : ૩

આયત ૨૬ થી ૪૬

وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍۚ (26)

(૨૬) અને બેશક અમે મનુષ્યને સૂકી માટીથી, જે કોહવાયેલા ગારાની હતી, પેદા કર્યો છે.


وَ الْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ (27)

(૨૭) અને તેના પહેલા જિન્નાતોને અમે જ્વાળા (જ્યોતિ) વાળી આગ થી પેદા કર્યા.


وَ اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓئِكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ (28)

(૨૮) અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે, “હું એક મનુષ્યને કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કરવાનો છું.


فَاِذَا سَوَّیْتُهٗ وَ نَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ (29)

(૨૯) તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉં અને તેમાં પોતાની રૂહથી ફૂંકી દઉં તો તમે બધા તેના માટે સિજદો કરી દેજો.


فَسَجَدَ الْمَلٰٓئِكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَۙ (30)

(૩૦) એટલા માટે બધા ફરિશ્તાઓએ સિજદો કર્યો.


اِلَّاۤ اِبْلِیْسَ ؕ اَبٰۤى اَنْ یَّكُوْنَ مَعَ السّٰجِدِیْنَ (31)

(૩૧) પરંતુ ઈબ્લીસ, કે તેણે સિજદો કરનારાઓમાં સામેલ થવાથી ઈન્કાર કરી દીધો.


قَالَ یٰۤاِبْلِیْسُ مَا لَكَ اَلَّا تَكُوْنَ مَعَ السّٰجِدِیْنَ (32)

(૩૨) (અલ્લાહ તઆલાએ) પૂછ્યું કે, “હે ઈબ્લીસ! તને શું થયું કે તું સિજદો કરનારાઓમાં સામેલ ન થયો ?”


قَالَ لَمْ اَكُنْ لِّاَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهٗ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ (33)

(૩૩) તે બોલ્યો કે હું એવો નથી કે આ મનુષ્યને સિજદો કરું જેને તે કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કર્યો છે.


قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌۙ (34)

(૩૪) કહ્યું કે, “હવે તું જન્નતમાંથી નીકળી જા કેમકે તું ધિક્કારેલ છે.


وَّ اِنَّ عَلَیْكَ اللَّعْنَةَ اِلٰى یَوْمِ الدِّیْنِ (35)

(૩૫) અને તારા પર મારી લા'નત છે કયામતના દિવસ સુધી.”


قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰى یَوْمِ یُبْعَثُوْنَ (36)

(૩૬) કહેવા લાગ્યો, “હે મારા રબ! મને તે દિવસ સુધી મહેતલ આપ કે લોકોને બીજીવાર ઉઠાડવામાં આવશે.”


قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَۙ (37)

(૩૭) ફરમાવ્યું કે, “(ઠીક છે) તું તેમનામાંથી છે જેમને મહેતલ આપવામાં આવી છે.


اِلٰى یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ (38)

(૩૮) નિર્ધારિત દિવસના સમય સુધી ની."


قَالَ رَبِّ بِمَاۤ اَغْوَیْتَنِیْ لَاُزَیِّنَنَّ لَهُمْ فِی الْاَرْضِ وَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَۙ (39)

(૩૯) (શેતાને) કહ્યું કે, “હે મારા રબ! તેં મને ભટકાવ્યો છે મને પણ કસમ છે કે હું પણ ધરતીમાં તેમના માટે પ્રલોભનો પેદા કરીશ અને તે બધાને ભટકાવીશ.


اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ (40)

(૪૦) સિવાય તારા તે બંદાઓને જેમને તે પસંદ કરી લીધા હોય.”


قَالَ هٰذَا صِرَاطٌ عَلَیَّ مُسْتَقِیْمٌ (41)

(૪૧) ફરમાવ્યું કે, “હાં, આ જ મારા સુધી પહોંચવાનો રસ્તો છે.


اِنَّ عِبَادِیْ لَیْسَ لَكَ عَلَیْهِمْ سُلْطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغٰوِیْنَ (42)

(૪૨) મારા બંદાઓ ઉપર તારી કોઈ અસર નથી, પરંતુ હાં જે ભટકેલા લોકો છે તેઓ તારૂ અનુસરણ કરશે.


وَ اِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ اَجْمَعِیْنَ قف ۙ (43)

(૪૩) અને બેશક તે બધાના વાયદાની જગ્યા જહન્નમ છે.”


لَهَا سَبْعَةُ اَبْوَابٍ ؕ لِكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُوْمٌ ۧ (44)

(૪૪) જેના સાત દરવાજા છે, દરેક દરવાજાના માટે તેમનો એક હિસ્સો વહેંચેલો છે.(ع-)