Surah Az-Zukhruf

સૂરહ અઝ્-ઝુખરુફ

રૂકૂ : ૬

આયત ૫૭ થી ૬૭

وَ لَمَّا ضُرِبَ ابْنُ مَرْیَمَ مَثَلًا اِذَا قَوْمُكَ مِنْهُ یَصِدُّوْنَ (57)

(૫૭) અને જ્યારે મરયમના પુત્રનો દાખલો આપવામાં આવ્યો તો તેનાથી તમારી કોમ (ખુશીથી) પોકારી ઉઠી.


وَ قَالُوْۤا ءَاٰلِهَتُنَا خَیْرٌ اَمْ هُوَ ؕ مَا ضَرَبُوْهُ لَكَ اِلَّا جَدَلًا ؕ بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ (58)

(૫૮) અને તેઓએ કહ્યું કે અમારા મા'બૂદો સારા છે કે તે ? તારાથી તેમનું આ કહેવું માત્ર ઝઘડાના મકસદથી છે, બલ્કે આ લોકો છે જ ઝઘડાખોર.


اِنْ هُوَ اِلَّا عَبْدٌ اَنْعَمْنَا عَلَیْهِ وَ جَعَلْنٰهُ مَثَلًا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ؕ (59)

(૫૯) તે (ઈસા અ.સ.) પણ ફક્ત બંદા જ છે જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને ઈસરાઈલની સંતાન માટે (અમારી કુદરતની) નિશાની બનાવ્યા.


وَ لَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنْكُمْ مَّلٰٓئِكَةً فِی الْاَرْضِ یَخْلُفُوْنَ (60)

(૬૦) જો અમે ચાહતા તો તમારા બદલામાં ફરિશ્તાઓ કરી દેતા જે ધરતી પર એકબીજાના વારસદારનું કામ કરતા.


وَ اِنَّهٗ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَ اتَّبِعُوْنِ ؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ (61)

(૬૧) અને બેશક તે (ઈસા અ.સ.) કયામતની એક નિશાની છે, તો તમે કયામતના વિશે શંકા ન કરો અને મારી વાત માની લો, આ જ સીધો માર્ગ છે.


وَ لَا یَصُدَّنَّكُمُ الشَّیْطٰنُ ۚ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ (62)

(૬૨) અને શેતાન તમને રોકી ન દે, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.


وَ لَمَّا جَآءَ عِیْسٰى بِالْبَیِّنٰتِ قَالَ قَدْ جِئْتُكُمْ بِالْحِكْمَةِ وَ لِاُبَیِّنَ لَكُمْ بَعْضَ الَّذِیْ تَخْتَلِفُوْنَ فِیْهِ ۚ فَاتَّقُوا اللّٰهَ وَ اَطِیْعُوْنِ (63)

(૬૩) અને જયારે ઈસા (અ.સ.) ચમત્કારો લાવ્યા તો કહ્યું કે હું તમારા પાસે હિકમત લાવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે જે થોડી વાતોમાં તમે મતભેદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, તો તમે અલ્લાહ (તઆલા) થી ડરો અને મારું કહ્યું માનો.


اِنَّ اللّٰهَ هُوَ رَبِّیْ وَ رَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ (64)

(૬૪) મારો અને તમારો રબ ફક્ત અલ્લાહ જ છે તો તમે બધા તેની બંદગી કરો, સીધો માર્ગ આ જ છે.


فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْۢ بَیْنِهِمْ ۚ فَوَیْلٌ لِّلَّذِیْنَ ظَلَمُوْا مِنْ عَذَابِ یَوْمٍ اَلِیْمٍ (65)

(૬૫) પછી (ઈસરાઈલની સંતાનના) જૂથોએ પરસ્પર મતભેદ કર્યો, તો જાલિમોના માટે ખરાબી છે, દુઃખવાળા દિવસના અઝાબથી.


هَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً وَّ هُمْ لَا یَشْعُرُوْنَ (66)

(૬૬) શું આ લોકો ફક્ત કયામતની રાહ જોઈ રહ્યા છે કે તે અચાનક તેમના ઉપર આવી પડે અને તેમને ખબર પણ ન હોય ?


اَلْاَخِلَّآءُ یَوْمَئِذٍۭ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ اِلَّا الْمُتَّقِیْنَ ؕ ۧ (67)

(૬૭) તે દિવસે (નજીકના) દોસ્ત પણ એકબીજાના દુશ્મન બની જશે સિવાય પરહેઝગારોના. (ع-)