Surah Az-Zukhruf

સૂરહ અઝ્-ઝુખરુફ

રૂકૂ : ૭

આયત ૬૮ થી ૮૯

یٰعِبَادِ لَا خَوْفٌ عَلَیْكُمُ الْیَوْمَ وَ لَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ ۚ (68)

(૬૮) હે મારા બંદાઓ! આજે તો તમારા પર ન કોઈ ભય હશે અને ન ડર અને ન તમે ઉદાસ હશો.


اَلَّذِیْنَ اٰمَنُوْا بِاٰیٰتِنَا وَ كَانُوْا مُسْلِمِیْنَ ۚ (69)

(૬૯) જેઓ અમારી આયતો પર ઈમાન લાવ્યા અને હતા પણ તેઓ (આજ્ઞાકારી) મુસલમાન.


اُدْخُلُوا الْجَنَّةَ اَنْتُمْ وَ اَزْوَاجُكُمْ تُحْبَرُوْنَ (70)

(૭૦) તમે અને તમારી પત્નીઓ આનંદિત અને ખુશ થઈને જન્નતમાં ચાલ્યા જાઓ.


یُطَافُ عَلَیْهِمْ بِصِحَافٍ مِّنْ ذَهَبٍ وَّ اَكْوَابٍ ۚ وَ فِیْهَا مَا تَشْتَهِیْهِ الْاَنْفُسُ وَ تَلَذُّ الْاَعْیُنُ ۚ وَ اَنْتُمْ فِیْهَا خٰلِدُوْنَ ۚ (71)

(૭૧) તેમના ચારે તરફ સોનાના થાળ અને સોનાના પ્યાલાઓનો દોર ચલાવવામાં આવશે, તેમના મન જે વસ્તુને ઈચ્છે અને જેનાથી તેમની આંખો મજા પ્રાપ્ત કરૈ, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.


وَ تِلْكَ الْجَنَّةُ الَّتِیْۤ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ (72)

(૭૨) અને આ જ તે જન્નત છે કે તમે પોતાના કર્મોના બદલામાં આના વારસદાર બનાવવામાં આવ્યા છો.


لَكُمْ فِیْهَا فَاكِهَةٌ كَثِیْرَةٌ مِّنْهَا تَاْكُلُوْنَ (73)

(૭૩) અહીં તમારા માટે ખૂબ મેવા છે જેને તમે ખાતા રહેશો.


اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ عَذَابِ جَهَنَّمَ خٰلِدُوْنَ ۚ ۖ (74)

(૭૪) બેશક અપરાધી લોકો જહન્નમના અઝાબમાં હંમેશા રહેશે.


لَا یُفَتَّرُ عَنْهُمْ وَ هُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۚ (75)

(૭૫) આ (યાતના) કદી પણ તેમનાથી હલકી કરવામાં નહિં આવે અને તેઓ તેમાં નિરાશ પડ્યા હશે.


وَ مَا ظَلَمْنٰهُمْ وَ لٰكِنْ كَانُوْا هُمُ الظّٰلِمِیْنَ (76)

(૭૬) અને અમે તેમના ઉપર જુલમ નથી કર્યો પરંતુ તેઓ પોતે જ જાલિમ હતા.


وَ نَادَوْا یٰمٰلِكُ لِیَقْضِ عَلَیْنَا رَبُّكَ ؕ قَالَ اِنَّكُمْ مّٰكِثُوْنَ (77)

(૭૭) અને તેઓ પોકારી-પોકારીને કહેશે કે, “હે માલિક, તારો રબ અમારું કામ જ ખતમ કરી દે,” તે. કહેશે કે, “તમારે તો (હંમેશા) રહેવાનું છે.”


لَقَدْ جِئْنٰكُمْ بِالْحَقِّ وَ لٰكِنَّ اَكْثَرَكُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ (78)

(૭૮) અમે તો તમારા પાસે સત્ય લઈને આવ્યા, પરંતુ તમારામાંથી વધારે પડતા લોકો સત્યથી નફરત કરનારા હતા.


اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَ ۚ (79)

(૭૯) શું તેઓએ કોઈ કામનો મજબુત ઈરાદો કરી લીધો છે ? તો વિશ્વાસ રાખો કે અમે પણ મજબૂત કામ કરનારા છીએ.


اَمْ یَحْسَبُوْنَ اَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَ نَجْوٰىهُمْ ؕ بَلٰى وَ رُسُلُنَا لَدَیْهِمْ یَكْتُبُوْنَ (80)

(૮૦) શું એમણે એમ સમજી લીધુ છે કે અમે તેમની છૂપી વાતોને અને તેમની ગુસપુસને નથી સાંભળતા ? (બેશક અમે બરાબર સાંભળી રહ્યા છીએ.) બલ્કે અમારા મોકલેલા એમના પાસે જ લખી રહ્યા છે.


قُلْ اِنْ كَانَ لِلرَّحْمٰنِ وَلَدٌ { ۖق} فَاَنَا اَوَّلُ الْعٰبِدِیْنَ (81)

(૮૧) (તમે) કહી દો કે, “જો માની લેવામાં આવે કે રહમાનની સંતાન હોત, તો હું સૌથી પહેલો બંદગી કરનાર હોત.”


سُبْحٰنَ رَبِّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ (82)

(૮૨) પવિત્ર છે આકાશો અને ધરતીનો રબ ! અર્શનો માલિક ! તેનાથી જે (આ લોકો) તેના વિશે કહે છે.


فَذَرْهُمْ یَخُوْضُوْا وَ یَلْعَبُوْا حَتّٰى یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ یُوْعَدُوْنَ (83)

(૮૩) હવે તમે આમને આ વાદ-વિવાદ અને ખેલ-કૂદમાં છોડી દો, ત્યાં સુધી કે આ લોકો તે દિવસને જોઈ લે, જેનો આમને વાયદો આપવામાં આવી રહ્યો છે.


وَ هُوَ الَّذِیْ فِی السَّمَآءِ اِلٰهٌ وَّ فِی الْاَرْضِ اِلٰهٌ ؕ وَ هُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ (84)

(૮૪) અને તે જ આકાશો પર પણ મા'બૂદ છે અને ધરતી પર પણ તે જ બંદગીના લાયક છે, અને તે મોટો હિકમતવાળો અને સંપૂર્ણ જાણનાર છે.


وَ تَبٰرَكَ الَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ مَا بَیْنَهُمَا ۚ وَ عِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ وَ اِلَیْهِ تُرْجَعُوْنَ (85)

(૮૫) અને તે મહાન બરકતવાળી હસ્તી છે જેના પાસે આકાશો અને ધરતી અને તેના વચ્ચેનું રાજ્ય છે, અને ક્યામતનું ઈલ્મ પણ તેના પાસે છે અને તેના તરફ જ તમે બધા પાછા ફેરવવામાં આવશો.


وَ لَا یَمْلِكُ الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهِ الشَّفَاعَةَ اِلَّا مَنْ شَهِدَ بِالْحَقِّ وَ هُمْ یَعْلَمُوْنَ (86)

(૮૬) અને જેમને આ લોકો અલ્લાહના સિવાય પોકારે છે તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી રાખતા, હાં, (ભલામણના લાયક તે લોકો છે) જેઓ સાચી વાતને સ્વીકારે અને તેમને જ્ઞાન પણ હોય.


وَ لَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَهُمْ لَیَقُوْلُنَّ اللّٰهُ فَاَنّٰى یُؤْفَكُوْنَ ۙ (87)

(૮૭) અને જો તમે તેમને પૂછો કે તમને કોણે પેદા કર્યા છે ? તો જરૂર આ જવાબ આપશે કે અલ્લાહે, પછી આ લોકો ક્યાં ઉલટા જઈ રહ્યા છે ?


وَ قِیْلِهٖ یٰرَبِّ اِنَّ هٰۤؤُلَآءِ قَوْمٌ لَّا یُؤْمِنُوْنَ ۘ (88)

(૮૮) અને તેમનું (પયગંબરોનું વધારે પડતું) એ કહેવું કે હે મારા રબ ! બેશક આ તે લોકો છે જેઓ ઈમાન નથી લાવતા.


فَاصْفَحْ عَنْهُمْ وَ قُلْ سَلٰمٌ ؕ فَسَوْفَ یَعْلَمُوْنَ ۧ (89)

(૮૯) તો તમે આમનાથી મોઢું ફેરવી લો અને (વિદાઈનો) સલામ કહી દો. આમને (જાતે જ) જલ્દી જાણ થઈ જશે. (ع-)