Surah An-Nur

સૂરહ અન્-નૂર

રૂકૂઅ : ૪

આયત ૨૭ થી ૩૪

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ بُیُوْتِكُمْ حَتّٰى تَسْتَاْنِسُوْا وَ تُسَلِّمُوْا عَلٰۤى اَهْلِهَا ؕ ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ (27)

(૨૭) હે ઈમાનવાળાઓ ! પોતાના ઘર સિવાય બીજાઓના ઘરોમાં પ્રવેશ ન કરો જ્યાં સુધી પરવાનગી ન લઈ લો, અને ત્યાંના રહેનારાઓને સલામ ન કરી લો, આ જ તમારા માટે બહેતર છે જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.


فَاِنْ لَّمْ تَجِدُوْا فِیْهَاۤ اَحَدًا فَلَا تَدْخُلُوْهَا حَتّٰى یُؤْذَنَ لَكُمْ ۚ وَ اِنْ قِیْلَ لَكُمُ ارْجِعُوْا فَارْجِعُوْا هُوَ اَزْكٰى لَكُمْ ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ (28)

(૨૮) જો ત્યાં તમને કોઈ ન મળી શકે તો પછી પરવાનગી મળ્યા વગર અંદર પ્રવેશ ન કરો અને જો તમને પાછા જવાનું કહેવામાં આવે તો તમે પાછા ચાલ્યા જાઓ, આ તમારા માટે વધારે સુથરાઈ છે, તમે જે કંઈ કરી રહ્યા છો અલ્લાહ (તઆલા) તેને ખૂબ જાણે છે.


لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ مَسْكُوْنَةٍ فِیْهَا مَتَاعٌ لَّكُمْ ؕ وَ اللّٰهُ یَعْلَمُ مَا تُبْدُوْنَ وَ مَا تَكْتُمُوْنَ (29)

(૨૯) હા, જેમાં લોકો રહેતા ન હોય એવા ઘરોમાં જવામાં કોઈ દોષ નથી જ્યાં તમારો કોઈ ફાયદો અથવા સામાન હોય, તમે જે કંઈ પણ જાહેર કરો છો અને જે કંઈ છૂપાવો છો અલ્લાહ (તઆલા) તે બધું જ જાણે છે.


قُلْ لِّلْمُؤْمِنِیْنَ یَغُضُّوْا مِنْ اَبْصَارِهِمْ وَ یَحْفَظُوْا فُرُوْجَهُمْ ؕ ذٰلِكَ اَزْكٰى لَهُمْ ؕ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا یَصْنَعُوْنَ (30)

(૩૦) મુસલમાન પુરૂષોને કહો કે પોતાની નજરો નીચી રાખે, અને પોતાના ગુપ્તાંગો (શર્મગાહો)ની રક્ષા કરે, આ જ તેમના માટે પવિત્રતા છે, લોકો જે કંઈ કરી રહ્યા છે અલ્લાહ (તઆલા) બધું જાણે છે.


وَ قُلْ لِّلْمُؤْمِنٰتِ یَغْضُضْنَ مِنْ اَبْصَارِهِنَّ وَ یَحْفَظْنَ فُرُوْجَهُنَّ وَ لَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا مَا ظَهَرَ مِنْهَا وَ لْیَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلٰى جُیُوْبِهِنَّ {ص} وَ لَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا لِبُعُوْلَتِهِنَّ اَوْ اٰبَآئِهِنَّ اَوْ اٰبَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اَبْنَآئِهِنَّ اَوْ اَبْنَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اَخَوٰتِهِنَّ اَوْ نِسَآئِهِنَّ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُنَّ اَوِ التّٰبِعِیْنَ غَیْرِ اُولِی الْاِرْبَةِ مِنَ الرِّجَالِ اَوِ الطِّفْلِ الَّذِیْنَ لَمْ یَظْهَرُوْا عَلٰى عَوْرٰتِ النِّسَآءِ {ص} وَ لَا یَضْرِبْنَ بِاَرْجُلِهِنَّ لِیُعْلَمَ مَا یُخْفِیْنَ مِنْ زِیْنَتِهِنَّ ؕ وَ تُوْبُوْۤا اِلَى اللّٰهِ جَمِیْعًا اَیُّهَ الْمُؤْمِنُوْنَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ (31)

(૩૧) અને મુસલમાન સ્ત્રીઓને કહો કે તેઓ પણ પોતાની નજરો નીચી રાખે અને પોતાના સતીત્વની રક્ષા કરે અને પોતાના શણગારને જાહેર ન કરે સિવાય તેના કે જે જાહેર થઈ જાય, અને પોતાની છાતીઓ પર પોતાની ઓઢણીઓને પૂરી રીતે ફેલાવી રાખે અને પોતાના શણગારને કોઈના સામે જાહેર ન કરે, સિવાય પોતાના પતિના, અથવા પોતાના પિતાના, અથવા પોતાના સસરાના, અથવા પોતાના પુત્રોના અથવા પોતાના પતિના પુત્રોના, અથવા પોતાના ભાઈઓના, અથવા પોતાના ભત્રીજાઓના અથવા પોતાના ભાણિયાઓના, અથવા પોતાની સહેલીઓના, અથવા ગુલામોના, અથવા નોકરોમાંથી એવા પુરૂષોના કે જેમનો આશય કામુકતાનો ન હોય અથવા એવા બાળકોના જે સ્ત્રીઓની છૂપી વાતો વિશે જાણતા ન હોય, અને આ રીતે જોરથી પગ પછાડીને ન ચાલે કે તેમના છૂપા શણગારની ખબર પડી જાય, અને હે મુસલમાનો ! તમે સૌ અલ્લાહના દરબારમાં માફી માંગો જેથી તમે સફળતા પામો.


وَ اَنْكِحُوا الْاَیَامٰى مِنْكُمْ وَ الصّٰلِحِیْنَ مِنْ عِبَادِكُمْ وَ اِمَآئِكُمْ ؕ اِنْ یَّكُوْنُوْا فُقَرَآءَ یُغْنِهِمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ وَ اللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ (32)

(૩૨) અને તમારામાંથી જે પુરૂષો અને સ્ત્રીઓ યુવાનીએ પહોંચી ગયા હોય તેમના નિકાહ કરી નાખો અને પોતાના નેક દાસ અને દાસીના પણ, જો તેઓ ગરીબ પણ હશે તો અલ્લાહ (તઆલા) પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દેશે, અલ્લાહ (તઆલા) ઉદારતાવાળો અને ઈલ્મવાળો છે.


وَ لْیَسْتَعْفِفِ الَّذِیْنَ لَا یَجِدُوْنَ نِكَاحًا حَتّٰى یُغْنِیَهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ وَ الَّذِیْنَ یَبْتَغُوْنَ الْكِتٰبَ مِمَّا مَلَكَتْ اَیْمَانُكُمْ فَكَاتِبُوْهُمْ اِنْ عَلِمْتُمْ فِیْهِمْ خَیْرًا { ۖ ق} وَّ اٰتُوْهُمْ مِّنْ مَّالِ اللّٰهِ الَّذِیْۤ اٰتٰىكُمْ ؕ وَ لَا تُكْرِهُوْا فَتَیٰتِكُمْ عَلَى الْبِغَآءِ اِنْ اَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوْا عَرَضَ الْحَیٰوةِ الدُّنْیَا ؕ وَ مَنْ یُّكْرِهْهُّنَّ فَاِنَّ اللّٰهَ مِنْۢ بَعْدِ اِكْرَاهِهِنَّ غَفُوْرٌ رَّحِیْمٌ (33)

(૩૩) અને તે લોકોએ પવિત્ર રહેવું જોઈએ જેઓ પોતાના નિકાહ કરવાની તાકાત નથી રાખતા, ત્યાં સુધી કે અલ્લાહ (તઆલા) પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દે, તમારા દાસોમાંથી જો કોઈ તમને કંઈક આપી મુક્તિનો લેખ કરાવવા ચાહે તો તમે તેમને એવો લેખ લખી આપો ,જો તમને તેમનામાં કોઈ ભલાઈ દેખાતી હોય, અને અલ્લાહે જે માલ તમને આપી રાખ્યો છે તેમાંથી તેમને પણ આપો, તમારી દાસીઓ જે પવિત્ર રહેવા ઈચ્છે છે, તેમને દુનિયાની જિંદગીના ફાયદાના કારણે બૂરા કામ માટે મજબૂર ન કરો, અને જે કોઈ તેમને મજબૂર કરે તો અલ્લાહ (તઆલા) તેમના મજબૂર કર્યા પછી માફ કરી દેવાવાળો અને દયાળુ છે.


وَ لَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكُمْ اٰیٰتٍ مُّبَیِّنٰتٍ وَّ مَثَلًا مِّنَ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ وَ مَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ۧ (34)

(૩૪) અને અમે તમારા તરફ સ્પષ્ટ આયતો ઉતારી છે અને તે લોકોની કહેવતો જેઓ તમારા પહેલા પસાર થઈ ચૂક્યા છે અને પરહેઝગારો માટે નસીહત. (ع-)