Surah Ya-Sin
સૂરહ યાસીન
સૂરહ યાસીન
یٰسٓۚ (1)
(૧) યાસીન.
وَ الْقُرْاٰنِ الْحَكِیْمِۙ (2)
(૨) સોગંદ છે હિકમતવાળા કુરઆનના.
اِنَّكَ لَمِنَ الْمُرْسَلِیْنَۙ (3)
(૩) કે નિશ્ચિતપણે તમે રસૂલો (ઈશદૂતો) માંથી છો.
عَلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍؕ (4)
(૪) સીધા માર્ગ ઉપર છો.
تَنْزِیْلَ الْعَزِیْزِ الرَّحِیْمِۙ (5)
(૫) (આ કુરઆન અલ્લાહ) જબરજસ્ત મોટા દયાળુ તરફથી ઉતારવામાં આવ્યુ છે.
لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اُنْذِرَ اٰبَآؤُهُمْ فَهُمْ غٰفِلُوْنَ (6)
(૬) જેથી તમે એવી કોમને ચેતવો જેમના બાપ-દાદાને ચેતવવામાં આવ્યા ન હતા, તો (આ કારણથી) આ લોકો ગફલતમાં પડેલા છે.
لَقَدْ حَقَّ الْقَوْلُ عَلٰۤى اَكْثَرِهِمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ (7)
(૭) આમનામાંથી વધારે પડતા લોકો પર (આ) વાત સાબિત થઈ ચૂકી છે, તેથી તેઓ ઈમાન લાવશે નહીં.
اِنَّا جَعَلْنَا فِیْۤ اَعْنَاقِهِمْ اَغْلٰلًا فَهِیَ اِلَى الْاَذْقَانِ فَهُمْ مُّقْمَحُوْنَ (8)
(૮) અમે તેમની ગરદનોમાં તોક નાખી દીધા છે પછી તે હડપચીઓ સુધી છે, જેનાથી તેમના માથા ઉપર તરફ પલટી ગયા છે.
وَ جَعَلْنَا مِنْۢ بَیْنِ اَیْدِیْهِمْ سَدًّا وَّ مِنْ خَلْفِهِمْ سَدًّا فَاَغْشَیْنٰهُمْ فَهُمْ لَا یُبْصِرُوْنَ (9)
(૯) અને અમે એક આડ તેમના આગળ કરી દીધી અને એક આડ તેમના પાછળ કરી દીધી, જેનાથી અમે તેમને ઢાંકી દીધા તો તેઓ જોઈ શકતા નથી.
وَ سَوَآءٌ عَلَیْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا یُؤْمِنُوْنَ (10)
(૧૦) અને તમે તેમને ચેતવો કે ન ચેતવો, બંને બરાબર છે. આ લોકો ઈમાન લાવશે નહિં.
اِنَّمَا تُنْذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَ خَشِیَ الرَّحْمٰنَ بِالْغَیْبِ ۚ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَّ اَجْرٍ كَرِیْمٍ (11)
(૧૧) બસ, તમે તો ફક્ત એવા વ્યક્તિને ચેતવી શકો છો જે નસીહત પર ચાલે અને રહમાન (અલ્લાહ)થી જોયા વગર ડરે, તો તમે તેમને માફી અને સારા બદલાની ખુશખબર સંભળાવી દો.
اِنَّا نَحْنُ نُحْیِ الْمَوْتٰى وَ نَكْتُبُ مَا قَدَّمُوْا وَ اٰثَارَهُمْ ؔؕ وَ كُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ فِیْۤ اِمَامٍ مُّبِیْنٍ ۧ (12)
(૧૨) બેશક અમે મડદાંઓને જીવતા કરીશું, અને અમે લખતા જઈએ છીએ તે કર્મોને પણ જેને લોકો આગળ મોક્લે છે, અને તેમના તે કર્મો ને પણ જેને પાછળ છોડી જાય છે, અને દરેક વાતને અમે એક સ્પષ્ટ કિતાબમાં સંકલન કરી રાખી છે. (ع-૧)