(૪૧) અને ફિરઔનીઓ પાસે પણ ડરાવનાર આવ્યા.
(૪૨) તેમણે અમારી બધી જ નિશાનીઓને જૂઠાડી, તો અમે તેમને એક ખૂબ જ બળવાન, શક્તિશાળી પકડવાવાળાની માફક પકડી લીધા.
(૪૩) (હે મક્કાવાળાઓ!) શું તમારામાંના કાફિરો તે કાફિરોથી બહેતર છે ? અથવા તમારા માટે પહેલાની કિતાબોમાં છૂટકારો લખાયેલ છે ? [1]
(૪૪) શું તેઓ કહે છે કે અમે પ્રભાવી થનારા લોકો (સમૂહ) છીએ ?
(૪૫) નજીકમાં જ આ સમૂહ પરાજિત કરવામાં આવશે અને પીઠ ફેરવીને ભાગી જશે.
(૪૬) પરંતુ કયામતની ક્ષણ તેમના વાયદાનો સમય છે, અને કયામત ખુબ જ કઠીન અને ઘણી કડવી વસ્તુ છે. [1]
(૪૭) બેશક ગુનેહગારો ભટકાવમાં અને અઝાબમાં છે.
(૪૮) જે દિવસે તેમને ઊંધા મોઢે આગમાં ઘસડીને લઈ જવામાં આવશે (અને તેમને કહેવામાં આવશે) જહન્નમની આગ ચોટી પડવાની મજા ચાખો.[1]
(૪૯) બેશક અમે દરેક વસ્તુને એક ચોક્કસ અંદાજાથી બનાવી છે.[1]
(૫૦) અને અમારો હુકમ તો ફક્ત એક વખત (શબ્દભર)નો હોય છે, જાણે કે આંખનો પલકારો.
(૫૧) અને અમે તમારા જેવા કેટલાયનો નાશ કરી ચૂક્યા છીએ, તો છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર?
(૫૨) અને જે કંઈ તેઓએ (કર્મ) કર્યા છે તે બધા જ કર્મપત્ર (આમાલનામા)માં લખાયેલા છે.
(૫૩) (આ જ રીતે) દરેક નાની-મોટી વાત લખવામાં આવી છે.
(૫૪) બેશક પરહેઝગાર (સંયમી) લોકો જન્નતો અને નહેરોમાં હશે.
(૫૫) સચ્ચાઈ અને ઈજ્જતની બેઠકો પર સામર્થ્ય ધરાવનાર શહેનશાહ (માલિક) ના પાસે. (ع-૩)