Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૪

આયત ૨૯ થી ૩૭

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تَتَّقُوا اللّٰهَ یَجْعَلْ لَّكُمْ فُرْقَانًا وَّ یُكَفِّرْ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَ یَغْفِرْ لَكُمْ ؕ وَ اللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ (29)

(૨૯) અય ઈમાનવાળાઓ! જો તમે અલ્લાહથી ડરતા રહ્યા તો અલ્લાહ (તઆલા) તમને એક ફેંસલાની વસ્તુ આપશે, અને તમારાથી તમારા ગુનાહોને દૂર કરશે, અને તમને માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો કૃપાળુ છે.


وَ اِذْ یَمْكُرُ بِكَ الَّذِیْنَ كَفَرُوْا لِیُثْبِتُوْكَ اَوْ یَقْتُلُوْكَ اَوْ یُخْرِجُوْكَ ؕ وَ یَمْكُرُوْنَ وَ یَمْكُرُ اللّٰهُ ؕ وَ اللّٰهُ خَیْرُ الْمٰكِرِیْنَ (30)

(૩૦) અને આ ઘટનાનો પણ ઉલ્લેખ કરી દો, જ્યારે કે કાફિર લોકો તમારા વિશે યુક્તિઓ ઘડી રહ્યા હતા કે તમને બંદી બનાવી લે અથવા તમને કતલ કરી દે અથવા તમને દેશ નિકાલ આપી દે, અને તેઓ પોતાની યુક્તિઓ કરી રહ્યા હતા અને અલ્લાહ (તઆલા) પોતાની યોજના બનાવી રહ્યો હતો અને અલ્લાહ (તઆલા) સૌથી બહેતર યોજના બનાવનાર છે.


وَ اِذَا تُتْلٰى عَلَیْهِمْ اٰیٰتُنَا قَالُوْا قَدْ سَمِعْنَا لَوْ نَشَآءُ لَقُلْنَا مِثْلَ هٰذَاۤ ۙ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ (31)

(૩૧) અને જ્યારે તેમના સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહે છે કે અમે સાંભળી લીધું, જો અમે ઈચ્છીએ તો અમે પણ તેમના જેમ કહી દઈએ, આ તો કશું પણ નથી ફક્ત પૂર્વજોની દલીલ વગરની વાતો છે.


وَ اِذْ قَالُوا اللّٰهُمَّ اِنْ كَانَ هٰذَا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَاَمْطِرْ عَلَیْنَا حِجَارَةً مِّنَ السَّمَآءِ اَوِ ائْتِنَا بِعَذَابٍ اَلِیْمٍ (32)

(૩૨) અને જ્યારે કે તે લોકોએ કહ્યું, “અય અલ્લાહ! જો આ કુરઆન ખરેખર તારા તરફથી છે તો અમારા ઉપર આકાશમાંથી પથ્થરો વરસાવ અથવા અમારા ઉપર કોઈ તકલીફ આપવાવાળો અઝાબ ઉતારી દે.


وَ مَا كَانَ اللّٰهُ لِیُعَذِّبَهُمْ وَ اَنْتَ فِیْهِمْ ؕ وَ مَا كَانَ اللّٰهُ مُعَذِّبَهُمْ وَ هُمْ یَسْتَغْفِرُوْنَ (33)

(૩૩) અને અલ્લાહ (તઆલા) એવું કરશે નહિ કે તેમનામાં તમારા હોતા તેમને અઝાબ આપે, અને અલ્લાહ (તઆલા) તેમને અઝાબ (પ્રકોપ) નહિ આપે, તે હાલતમાં કે તેઓ તૌબા પણ કરતા હોય.


وَ مَا لَهُمْ اَلَّا یُعَذِّبَهُمُ اللّٰهُ وَ هُمْ یَصُدُّوْنَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَ مَا كَانُوْۤا اَوْلِیَآءَهٗ ؕ اِنْ اَوْلِیَآؤُهٗۤ اِلَّا الْمُتَّقُوْنَ وَ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ (34)

(૩૪) અને તેમનામાં શું વાત છે કે અલ્લાહ તેમને સજા ન આપે બલ્કે તેઓ લોકોને મસ્જીદે હરામથી રોકે છે જયારે કે તે લોકો આ મસ્જીદના સંરક્ષક નથી, તેમના સંરક્ષક અલ્લાહના ફરમાબરદાર સિવાય કોઈ નથી, પરંતુ તેમનામાં મોટા ભાગના લોકો ઈલ્મ(જ્ઞાન)રાખતા નથી.


وَ مَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَیْتِ اِلَّا مُكَآءً وَّ تَصْدِیَةً ؕ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ (35)

(૩૫) અને તેમની નમાઝ કા'બાની નજીક ફક્ત એ જ હતી કે સિસોટી વગાડવી અને તાળિયો પાડવી તો પોતાના કુફ્રના કારણે આ અઝાબ (પ્રકોપ)ની મજા માણો.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ لِیَصُدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ فَسَیُنْفِقُوْنَهَا ثُمَّ تَكُوْنُ عَلَیْهِمْ حَسْرَةً ثُمَّ یُغْلَبُوْنَ {ؕ٥} وَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰى جَهَنَّمَ یُحْشَرُوْنَۙ (36)

(૩૬) બેશક આ કાફિર લોકો પોતાનો માલ એટલા માટે ખર્ચ કરી રહ્યા છે કે અલ્લાહના માર્ગથી રોકે, તો આ લોકો પોતાનો માલ ખર્ચ કરતા જ રહેશે, પછી તે માલ તેમના માટે પસ્તાવાનું કારણ બનીને રહી જશે, પછી પરાજિત થઈ જશે, અને કાફિરોને જહન્નમ તરફ એકઠા કરવામાં આવશે.


لِیَمِیْزَ اللّٰهُ الْخَبِیْثَ مِنَ الطَّیِّبِ وَ یَجْعَلَ الْخَبِیْثَ بَعْضَهٗ عَلٰى بَعْضٍ فَیَرْكُمَهٗ جَمِیْعًا فَیَجْعَلَهٗ فِیْ جَهَنَّمَ ؕ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ ۧ (37)

(૩૭) એટલા માટે કે અલ્લાહ (તઆલા) અપવિત્રોને પવિત્રોથી અલગ કરી દે, અને અપવિત્રોને એકબીજા સાથે મેળવી દે, પછી તે બધાને ભેગા કરે, પછી તે બધાને જહન્નમમાં નાખી દે, આવા લોકો સંપૂર્ણ રીતે નુકસાનમાં છે. (ع-)