Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૩૪

આયત ૨૫૪ થી ૨૫૭


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ (254)

(૨૫૪) હે ઈમાનવાળાઓ! જે અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા રહો, એના પહેલા કે એ દિવસ આવી જાય જે દિવસે ન વેપાર છે ન દોસ્તી અને ન ભલામણ, અને કાફિરો જ જાલિમ છે.


اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ (255)

(૨૫૫) અલ્લાહ (તઆલા) જ સાચો માઅબૂદ છે, તેના સિવાય કોઈ માઅબૂદ નથી, જે જીવંત છે, અને બધાને ટકાવી રાખનાર છે, તેને ન ઉંઘ આવે છે ન ઝોકું, તેની જ બાદશાહી છે ધરતી અને આકાશની બધી વસ્તુઓ પર, કોણ છે જે તેના હુકમ વગર તેના સામે ભલામણ કરી શકે, તે જાણે છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે, અને તેઓ તેના ઇલ્મમાંથી કોઈ વસ્તુનો ઘેરો નથી કરી શકતા, પરંતુ તે જેટલું ઈચ્છે. તેની કુર્સીની વિશાળતાએ ધરતી અને આકાશને ઘેરી લીધેલ છે, તે અલ્લાહ (તઆલા) તેની સુરક્ષાથી ન થાકે છે અને ન ઉબકે છે, તે તો ઘણો મહાન અને ઘણો ઉચ્ચ છે.


لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ (256)

(૨૫૬) ધર્મના વિશે કોઈ બળજબરી નથી, સત્ય, જૂઠથી અલગ થઈ ગયુ, એટલા માટે જે માણસ તાગૂત (અલ્લાહ તઆલાના સિવાય બીજા માઅબૂદો)ને નકારી અલ્લાહ (તઆલા) પર ઈમાન લાવે, તેણે મજબૂત કડું પકડી લીધું, જે ક્યારેય પણ નહિ તૂટે, અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.


اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ (257)

(૨૫૭) ઇમાનવાળાઓનો સંરક્ષક (વલી) અલ્લાહ (તઆલા) પોતે છે, તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અને કાફિરોના દોસ્ત શયતાન છે, તે તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે, આ લોકો જ જહન્નમી છે, જેઓ તેમાં હંમેશા પડ્યા રહેશે.