Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

રૂકૂઅ : ૨

આયત ૨૩ થી ૩૨

وَ لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ اَفَلَا تَتَّقُوْنَ (23)

(૨૩) બેશક અમે નૂહને તેની કોમ તરફ (રસૂલ બનાવી) મોકલ્યો, તેણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી, શું તમે અલ્લાહથી ડરતા નથી?


فَقَالَ الْمَلَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ یُرِیْدُ اَنْ یَّتَفَضَّلَ عَلَیْكُمْ ؕ وَ لَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓئِكَةً ۖۚ مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآئِنَا الْاَوَّلِیْنَۚ (24)

(૨૪) તેની કોમના કાફિર સરદારોએ સ્પષ્ટ કહી દીધું કે, “આ તો તમારા જેવો જ મનુષ્ય છે, તે તમારા પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ચાહે છે જો અલ્લાહને કબૂલ હોત તો કોઈ ફરિશ્તાને ઉતારતો, અમે તો આ વાત અમારા બાપ-દાદાના સમયમાં સાંભળી જ નથી.


اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰى حِیْنٍ (25)

(૨૫) બેશક આ માણસને ઉન્માદ (જુનૂન) છે તો તમે તેને એક નિર્ધારિત સમય સુધી ઢીલ આપો.


قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ (26)

(૨૬) નૂહે દુઆ કરી કે, “હે મારા રબ! એમના મને ખોટો ઠેરવવા પર તું જ મારી મદદ કર."


فَاَوْحَیْنَاۤ اِلَیْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَ وَحْیِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَ فَارَ التَّنُّوْرُ ۙ فَاسْلُكْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَ اَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ مِنْهُمْ ۚ وَ لَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ اِنَّهُمْ مُّغْرَقُوْنَ (27)

(૨૭) તો અમે તેના તરફ વહી મોકલી કે તું અમારી આંખો સમક્ષ અમારી વહી અનુસાર એક નૌકા બનાવ, જ્યારે અમારો હુકમ આવી જાય અને તંદૂર ઉભરાઈ જાય, તો તું દરેક પ્રકારના એક-એક જોડા તેમાં રાખી લે, અને પોતાના પરિવારને પણ સિવાય તેમના જેમના વિશે અમારી વાત પહેલા પસાર થઈ ચૂકી છે. ખબરદાર! જે લોકોએ જુલ્મ કર્યુ છે તેમના વિશે મારા સાથે કોઈ વાત ન કરતો, તે બધા તો ડૂબાડી દેવામાં આવશે."


فَاِذَا اسْتَوَیْتَ اَنْتَ وَ مَنْ مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ نَجّٰىنَا مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ (28)

(૨૮) જ્યારે તું અને તારા સાથીઓ નૌકામાં સારી રીતે બેસી જાઓ તો કહેજો કે, “તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે જેણે અમને જાલિમોથી છૂટકારો અપાવ્યો.”


وَ قُلْ رَّبِّ اَنْزِلْنِیْ مُنْزَلًا مُّبٰرَكًا وَّ اَنْتَ خَیْرُ الْمُنْزِلِیْنَ (29)

(૨૯) અને કહેજો કે, “હે મારા રબ! મને સુરક્ષિત ઉતારજે, અને તું જ બહેતર રીતે ઉતારવાવાળો છે.”


اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ وَّ اِنْ كُنَّا لَمُبْتَلِیْنَ (30)

(૩૦) બેશક આમાં મોટી-મોટી નિશાનીઓ છે, અને બેશક અમે પરીક્ષા લેવાવાળા છીએ.


ثُمَّ اَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَۚ (31)

(૩૧) તેમના પછી અમે બીજી કોમ પણ પેદા કરી.


فَاَرْسَلْنَا فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ اَنِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ اَفَلَا تَتَّقُوْنَ ۧ (32)

(૩૨) પછી તેમનામાં તેમનામાંથી જ રસૂલ પણ મોકલ્યા કે તમે બધા અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી. તમે કેમ નથી ડરતા? (ع-)