(૪૯) અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું છું, પછી તેમાં ફૂંક મારૂ છું, તો તે અલ્લાહ (તઆલા)ના હુકમથી પક્ષી બની જાય છે અને હું અલ્લાહ (તઆલા)ના હુકમથી જન્મજાત આંધળા અને કુષ્ઠરોગીને સાજો કરી દઉં છું અને મડદાઓને જીવતા કરી દઉં છું અને જે કંઈ તમે ખાઓ અને જે કંઈ પણ તમે તમારા ઘરોમાં જમા કરો હું તમને બતાવી દઉં છું, આમાં તમારા માટે મોટી નિશાની છે જો તમે ઈમાનવાળા છો.