(૭૭) શું તમે તેમને નથી જોયા જેમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝો પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જયારે તેમને જિહાદનો હુકમ આપવામાં આવ્યો તો તે જ સમયે તેમનું એક જૂથ લોકોથી એવી રીતે ડરી ગયેલ હતું જેવો કે અલ્લાહ (તઆલા)નો ડર હોય, પરંતુ તેનાથી પણ વધારે અને કહેવા લાગ્યા, ‘અય અમારા રબ! તેં અમારા ૫૨ જિહાદ કેમ અનિવાર્ય કર્યો ? કેમ અમને થોડી જિંદગી વધારે જીવવા ન આપી? તમે કહી દો કે દુનિયાનો ફાયદો તો ઘણો ઓછો છે અને પરહેઝગારો માટે આખિરત બહેતર છે, અને તમારા ઉપર લેશમાત્ર જુલમ કરવામાં નહિં આવે.
(૭૮) તમે જયાં પણ હશો મૃત્યુ તમને પકડી લેશે ભલેને તમે મજબૂત કિલ્લામાં હોવ, અને જો તેમને કોઈ ભલાઈ મળે છે તો કહે છે કે આ અલ્લાહ (તઆલા) તરફથી છે, અને જો કોઈ બૂરાઈ પહોંચે છે તો કહી ઉઠે છે કે આ તમારા તરફથી છે. તેમને કહી દો, આ બધું અલ્લાહ (તઆલા) તરફથી છે, તેમને શું થઈ ગયું છે કે કોઈ વાત સમજવાના નજીક પણ નથી ?
(૭૯) (સાંભળ!) તને જે ભલાઈ મળે છે તે અલ્લાહ (તઆલા) તરફથી છે અને જે બૂરાઈ પહોંચે છે તે તારા પોતાના તરફથી છે. (અય નબી!) અમે તમને માનવ જાતિના માટે રસૂલ બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે.
(૮૦) આ રસૂલ (સ.અ.વ.) નું જેણે આજ્ઞાપાલન કર્યું તેણે અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કર્યું અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની પર કોઈ રક્ષક (નિગરાં) બનાવીને નથી મોકલ્યા.
(૮૧) અને તેઓ કહે તો છે કે આજ્ઞાપાલન કરે છે, પછી જ્યારે તમારા પાસેથી ઉઠીને બહાર નીકળે છે તો તેમનામાંનુ એક જૂથ જે વાત તમે અથવા તેઓએ કરી છે તેની વિરુદ્ધ રાત્રિઓમાં વિચાર વિમર્શ કરે છે તેમની રાત્રિઓની ગુસપુસ અલ્લાહ લખી રહ્યો છે, તમે તેમનાથી મોઢું ફેરવી લો, અને અલ્લાહ (તઆલા) ૫૨ ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.
(૮૩) અને જયાં તેમને કોઈ સમાચાર શાંતિ અથવા ડરના મળ્યા કે તેઓએ તેનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું, અને જો આ લોકો તેને રસૂલ (સ.અ.વ.) અને પોતાનામાંથી એવી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડતા તો આની હકીકત તે લોકો જાણી લેતા જે પરિણામ જાણી લેવાની અકલ રાખે છે અને જો અલ્લાહ (તઆલા)ની મહેરબાની અને તેની રહેમત તમારા પર ન હોત તો કેટલાક વ્યક્તિઓ સિવાય તમે બધા શયતાનના પેરોકાર બની જતા.
(૮૪) તો તમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા રહો, તમને ફકત તમારા માટે જ હુકમ આપવામાં આવે છે. હા, ઈમાનવાળાઓને આકર્ષિત કરતા રહો, શક્ય છે કે અલ્લાહ (તઆલા) કાફિરોના હુમલાઓને રોકી દે, અને અલ્લાહ (તઆલા) ઘણો તાકાતવાળો અને સજા આપવામાં પણ ઘણો સખત છે,
(૮૫) જે વ્યક્તિ કોઈ ભલાઈ અને નેક કામ કરવાની ભલામણ કરે, તેને પણ તેનો કેટલોક હિસ્સો મળશે અને જે બૂરાઈ અને બૂરા કામ કરવાની ભલામણ કરશે, તેના માટે પણ તેનામાંથી એક હિસ્સો છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત રાખવાવાળો છે.
(૮૭) અલ્લાહ તે છે જેના સિવાય કોઈ (સાચો) માઅબૂદ નથી, તે તમને બધાને જરૂર કયામતના દિવસે જમા કરશે, જેને (આવવા)માં કોઈ શંકા નથી, અલ્લાહ (તઆલા)થી વધારે સાચી વાત કોની હશે. (ع-૧૧)