(૧૧) અને ઘણી વસ્તીઓ અમે બરબાદ કરી દીધી જે જાલિમ હતી, અને તેમના પછી અમે બીજી કોમ પેદા કરી.
(૧૨) જ્યારે તે લોકોએ અમારા અઝાબનો અનુભવ કરી લીધો તો તેનાથી (અઝાબથી) ભાગવા લાગ્યા.
(૧૩) ભાગ-દોડ ન કરો, અને જયાં તમને સુખ આપ્યુ હતુ, ત્યાં પાછા ફરો અને પોતાના ઘરો તરફ જાઓ, જેથી તમને પ્રશ્ન તો કરી લેવામાં આવે.
(૧૪) તેઓ કહેવા લાગ્યા, “અમારૂ બૂરું થાય બેશક અમે જ જાલિમ હતા.”
(૧૫) પછી તો તેઓ આ જ પોકારતા રહ્યા, ત્યાં સુધી કે અમે તેમને મૂળમાંથી કપાયેલી ખેતી અને ઓલવાયેલ આગ (ની જેમ) કરી દીધા.[1]
(૧૬) અમે આકાશ અને ધરતી અને તેના વચ્ચેની વસ્તુઓને રમત માટે નથી બનાવી.
(૧૭) જો અમે આ રીતે ખેલ તમાશો ઈચ્છતા તો તેને પોતાના પાસેથી જ બનાવી લેતા, જો અમે આવુ કરવાવાળા જ હોતા.
(૧૮) બલ્કે અમે સત્યનો અસત્ય પર ફટકો લગાવીએ છીએ, તો સત્ય, અસત્યનું માથુ ભાંગી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઈ જાય છે. તમે જે વાતો બનાવો છો તે તમારા માટે વિનાશનું કારણ છે.
(૧૯) અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે (અલ્લાહ)નું જ છે, અને જે તેના પાસે છે[2] બંદગીમાં ન સરકશી કરે છે અને ન થાકે છે.
(૨૦) તેઓ રાત-દિવસ તેની પવિત્રતાનું વર્ણન કરે છે અને જરા પણ સુસ્તી કરતા નથી.
(૨૧) તે લોકોએ ધરતી (ની સર્જકતા) માંથી જેમને મા'બૂદ બનાવી રાખ્યા છે, શું તેઓ જીવતા કરી શકે છે ?
(૨૨) જો આકાશો અને ધરતીમાં એક અલ્લાહના સિવાય બીજા પણ મા'બૂદ હોતા તો આ બંને ઉલટ પુલટ થઈ જતા.[1] બસ, અલ્લાહ અર્શનો રબ તે દરેક ગુણથી પવિત્ર છે, જેનું આ મૂર્તિપૂજકો વર્ણન કરે છે.
(૨૩) તે પોતાના કાર્યોના માટે (કોઈના સામે) જવાબદેહ નથી અને બધા (તેના સામે) જવાબદેહ છે.
(૨૪) શું તે લોકોએ અલ્લાહના સિવાય બીજા મા'બૂદ બનાવી રાખ્યા છે ? તેમને કહી દો, “લાવો પોતાનું પ્રમાણ રજૂ કરો, આ છે મારા સાથેવાળાઓની કિતાબ અને મારાથી આગળનાઓનું પ્રમાણ” વાત એ છે કે એમનામાં વધારે પડતા સત્યથી અજાણ છે તેથી તેઓ મોઢું ફેરવેલ છે.
(૨૫) અને અમે તમારા પહેલા જેટલા પણ રસૂલ મોકલ્યા, તેમના તરફ આ જ વહી મોકલી કે મારા સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, તો તમે બધા મારી જ બંદગી કરો.
(૨૬) અને (મુશરિકો) કહે છે, “રહમાન (કૃપાળુ) ની સંતાન છે (ખોટું છે) તે પવિત્ર છે, નહિ તો તેઓ (જેમને આ લોકો સંતાન સમજી રહ્યા છે) તેના સન્માનિત બંદાઓ છે.
(૨૭) તેના (અલ્લાહના) સામે વધીને નથી બોલતા, અને તેના આદેશોનું પાલન કરે છે.
(૨૮) તેઓ તેમના પહેલાની અને પછીની તમામ હાલતોથી વાકેફ છે, અને તેઓ કોઈની પણ ભલામણ નથી કરતા સિવાય તેના, જેનાથી તે (અલ્લાહ) રાજી હોય[1] તેઓ તો પોતે ધ્રુજતા અને ડરતા હોય છે.
(૨૯) અને તેમનામાંથી કોઈ કહી દે કે અલ્લાહના સિવાય હું મા'બૂદ (પૂજનિય) છું તો અમે તેને જહન્નમની સજા આપીએ, અમે જાલિમોને આવી રીતે સજા આપીએ છીએ. (ع-૨)