Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૧૩

આયત ૧૦૦ થી ૧૧૦

وَ السّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِیْنَ وَ الْاَنْصَارِ وَ الَّذِیْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِیَ اللّٰهُ عَنْهُمْ وَ رَضُوْا عَنْهُ وَ اَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِیْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ (100)

(૧૦૦) અને જે મુહાજીરો અને અન્સારો પહેલા છે, અને જેટલા લોકો કોઈ ગરજ વગર તેમના પેરોકાર છે, અલ્લાહ તે બધાથી રાજી થયો અને તે બધા અલ્લાહથી રાજી થયા અને (અલ્લાહે) તેમના માટે એવા બગીચાઓ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, આ સૌથી મોટી કામયાબી છે.



وَ مِمَّنْ حَوْلَكُمْ مِّنَ الْاَعْرَابِ مُنٰفِقُوْنَ ۛؕ وَ مِنْ اَهْلِ الْمَدِیْنَةِ { ؔۛقف } مَرَدُوْا عَلَى النِّفَاقِ {قف} لَا تَعْلَمُهُمْ ؕ نَحْنُ نَعْلَمُهُمْ ؕ سَنُعَذِّبُهُمْ مَّرَّتَیْنِ ثُمَّ یُرَدُّوْنَ اِلٰى عَذَابٍ عَظِیْمٍۚ (101)

(૧૦૧) અને કેટલાક તમારા આસપાસના બદ્.દ આરબોમાંથી અને મદીનાના રહેવાસીઓમાંથી એવા મુનાફિકો છે જેઓ નિફાક (દંભ) પર અડેલા છે, તમે તેમને નથી જાણતા, અમે તેમને જાણીએ છીએ, અમે તેમને બમણી સજા આપીશું, પછી તેઓને ઘણી મોટી સજા તરફ મોકલવામાં આવશે.


وَ اٰخَرُوْنَ اعْتَرَفُوْا بِذُنُوْبِهِمْ خَلَطُوْا عَمَلًا صَالِحًا وَّ اٰخَرَ سَیِّئًا ؕ عَسَى اللّٰهُ اَنْ یَّتُوْبَ عَلَیْهِمْ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (102)

(૧૦૨) અને કેટલાક બીજા લોકો છે જેઓ પોતાની ભૂલોને સ્વીકારે છે જેમણે ભળતા કર્મો કર્યા છે, કેટલાક સારા અને કેટલાક ખરાબ. અલ્લાહથી ઉમ્મીદ છે કે તેમની તૌબા કબૂલ કરે, બેશક અલ્લાહ ઘણો દરગુજર કરનાર અને દયાળું છે.


خُذْ مِنْ اَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَ تُزَكِّیْهِمْ بِهَا وَصَلِّ عَلَیْهِمْ ؕ اِنَّ صَلٰوتَكَ سَكَنٌ لَّهُمْ ؕ وَ اللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ (103)

(૧૦૩) તમે તેમના માલમાંથી સદકો લઈ લો, જેના વડે તમે તેમને પવિત્ર અને સ્વચ્છ કરી દો, અને તેમના માટે દુઆ કરો, બેશક તમારી દુઆ તેમના માટે સુકુનનું માધ્યમ છે અને અલ્લાહ (તઆલા) સારી રીતે સાંભળે અને જાણે છે.


اَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ هُوَ یَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهٖ وَ یَاْخُذُ الصَّدَقٰتِ وَ اَنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ (104)

(૧૦૪) શું તેમને તેની ખબર નથી કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તે જ સદકાને કબૂલ કરે છે? અને એ કે અલ્લાહ જ તૌબા કબૂલ કરવામાં અને દયા કરવામાં પરિપૂર્ણ છે.


وَ قُلِ اعْمَلُوْا فَسَیَرَى اللّٰهُ عَمَلَكُمْ وَ رَسُوْلُهٗ وَ الْمُؤْمِنُوْنَ ؕ وَ سَتُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَیْبِ وَ الشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَۚ (105)

(૧૦૫) અને કહી દો કે તમે કર્મ કરતા જાઓ, તમારા કર્મ અલ્લાહ પોતે જોઈ લેશે અને તેના રસૂલ અને ઈમાનવાળાઓ. (પણ જોઈ લેશે) અને જરૂર તમારે તેના પાસે જવાનું છે જે તમામ છુપી અને ખુલી વાતોનો જાણકાર છે, એટલા માટે તે તમને બધુ બતાવી દેશે જે તમે કરતા હતા.


وَ اٰخَرُوْنَ مُرْجَوْنَ لِاَمْرِ اللّٰهِ اِمَّا یُعَذِّبُهُمْ وَ اِمَّا یَتُوْبُ عَلَیْهِمْ ؕ وَ اللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ (106)

(૧૦૬) અને કેટલાક બીજા લોકો છે જેમનો મામલો અલ્લાહનો હુકમ ન આવે ત્યાં સુધી સ્થગિત છે, ચાહે તો તેમને સજા આપે અને ચાહે તો તેમની તૌબા કબૂલ કરી લે, અને અલ્લાહ બધુ જ જાણનાર અને હિકમતવાળો છે.


وَ الَّذِیْنَ اتَّخَذُوْا مَسْجِدًا ضِرَارًا وَّ كُفْرًا وَّ تَفْرِیْقًۢا بَیْنَ الْمُؤْمِنِیْنَ وَ اِرْصَادًا لِّمَنْ حَارَبَ اللّٰهَ وَ رَسُوْلَهٗ مِنْ قَبْلُ ؕ وَ لَیَحْلِفُنَّ اِنْ اَرَدْنَاۤ اِلَّا الْحُسْنٰى ؕ وَ اللّٰهُ یَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ (107)

(૧૦૭) અને કેટલાક એવા છે જેમણે એવા આશયથી મસ્જિદ બનાવી કે નુક્સાન પહોંચાડે અને કુફ્રની વાતો કરે, અને ઈમાનવાળાઓમાં ફાટફૂટ પડાવે, અને એવા વ્યક્તિ માટે રોકાણની વ્યવસ્થા કરે જે પહેલાથી જ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધી છે, અને કસમ ખાઈ લેશે કે ફક્ત ભલાઈ સિવાય અમારો કોઈ આશય નથી અને અલ્લાહ ગવાહ છે કે તેઓ સંપૂર્ણ જૂઠા છે.



لَا تَقُمْ فِیْهِ اَبَدًا ؕ لَمَسْجِدٌ اُسِّسَ عَلَى التَّقْوٰى مِنْ اَوَّلِ یَوْمٍ اَحَقُّ اَنْ تَقُوْمَ فِیْهِ ؕ فِیْهِ رِجَالٌ یُّحِبُّوْنَ اَنْ یَّتَطَهَّرُوْا ؕ وَ اللّٰهُ یُحِبُّ الْمُطَّهِّرِیْنَ (108)

(૧૦૮) તમે તેમાં કદી ઊભા ન રહો, પરંતુ જે મસ્જિદની બુનિયાદ પ્રથમ દિવસથી જ તકવા પર મૂકવામાં આવી હોય, તે તેને લાયક છે કે તમે તેમાં ઊભા રહો, તેમાં એવા લોકો છે કે તેઓ વધારે પવિત્ર રહેવાને સારૂ સમજે છે, અને અલ્લાહ (તઆલા) વધારે પવિત્ર રહેનારાઓને મોહબ્બત કરે છે.


اَفَمَنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰى تَقْوٰى مِنَ اللّٰهِ وَ رِضْوَانٍ خَیْرٌ اَمْ مَّنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰى شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهٖ فِیْ نَارِ جَهَنَّمَ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ (109)

(૧૦૯) પછી શું એ માણસ સાચો છે જેણે પોતાના ઘરની બુનિયાદ અલ્લાહના ડર અને અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ પર મૂકી હોય કે તે માણસ જેણે પોતાના ઘરની બુનિયાદ ઘાટીના કિનારા પર જો કે પડવા માટે જ મૂકી હોય, પછી તે તેને લઈને જહન્નમની આગમાં પડે ? અને અલ્લાહ (તઆલા) આવા જાલિમોને હિદાયત નથી આપતો.



لَا یَزَالُ بُنْیَانُهُمُ الَّذِیْ بَنَوْا رِیْبَةً فِیْ قُلُوْبِهِمْ اِلَّاۤ اَنْ تَقَطَّعَ قُلُوْبُهُمْ ؕ وَ اللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۧ (110)

(૧૧૦) તેમનું આ ઘર જે તેમણે બનાવ્યું છે હંમેશા તેમના દિલોમાં શંકાના કારણે (કાંટો બનીને) ખટકતું રહેશે, પરંતુ એ કે તેમના દિલોના ટુકડે ટુકડા થઈ જાય, અને અલ્લાહ ઈલ્મવાળો અને હિકમતવાળો છે. (ع-૧૩)