Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૭

આયત ૪૩ થી ૫૦


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقْرَبُوا الصَّلٰوةَ وَ اَنْتُمْ سُكٰرٰى حَتّٰى تَعْلَمُوْا مَا تَقُوْلُوْنَ وَ لَا جُنُبًا اِلَّا عَابِرِیْ سَبِیْلٍ حَتّٰى تَغْتَسِلُوْا ؕ وَ اِنْ كُنْتُمْ مَّرْضٰۤى اَوْ عَلٰى سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآئِطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَ اَیْدِیْكُمْ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوْرًا (43)

(૪૩) અય ઈમાનવાળાઓ! જો તમે નશામાં ધૂત હોવ તો નમાઝની નજીક ન જાઓ જયાં સુધી કે પોતાની વાત સમજવા ન લાગો, અને અપવિત્રતાની હાલતમાં જયાં સુધી સ્નાન ન કરી લો. હાં, જો રસ્તા પર ચાલતો પસાર થઈ જનાર હોય તો અલગ વાત છે, અને જો તમે બીમાર હોય, અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચક્રિયાથી આવ્યો હોય અથવા તમે સ્ત્રીઓ સાથે સહશયન કર્યું હોય અને તમને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરો અને પોતાના ચહેરા અને હાથ પર મસહ (હાથ ફેરવી લો) કરી લો. બેશક અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને બક્ષવાવાળો છે.


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یَشْتَرُوْنَ الضَّلٰلَةَ وَ یُرِیْدُوْنَ اَنْ تَضِلُّوا السَّبِیْلَ ؕ (44)

(૪૪) શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો? તેઓ ગુમરાહી ખરીદે છે અને ઈચ્છે છે કે તમે પણ ગુમરાહ થઈ જાઓ.


وَ اللّٰهُ اَعْلَمُ بِاَعْدَآئِكُمْ ؕ وَ كَفٰى بِاللّٰهِ وَلِیًّا ٘ۗ وَّ كَفٰى بِاللّٰهِ نَصِیْرًا (45)

(૪૫) અને અલ્લાહ (તઆલા) તમારા દુશ્મનોને સારી રીતે જાણવાવાળો છે અને અલ્લાહ (તઆલા)નું દોસ્ત હોવું જ પૂરતું છે અને અલ્લાહ (તઆલા)નું મદદગાર હોવું પૂરતું છે.


مِنَ الَّذِیْنَ هَادُوْا یُحَرِّفُوْنَ الْكَلِمَ عَنْ مَّوَاضِعِهٖ وَ یَقُوْلُوْنَ سَمِعْنَا وَ عَصَیْنَا وَ اسْمَعْ غَیْرَ مُسْمَعٍ وَّ رَاعِنَا لَیًّۢا بِاَلْسِنَتِهِمْ وَ طَعْنًا فِی الدِّیْنِ ؕ وَ لَوْ اَنَّهُمْ قَالُوْا سَمِعْنَا وَ اَطَعْنَا وَ اسْمَعْ وَ انْظُرْنَا لَكَانَ خَیْرًا لَّهُمْ وَ اَقْوَمَ ۙ وَ لٰكِنْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا (46)

(૪૬) કેટલાક યહૂદી વાણીને તેની સાચી જગ્યાએથી ફેરવી દે છે અને કહે છે કે અમે સાંભળ્યું અને નાફરમાની કરી અને સાંભળ તેની વગર કે તું સાંભળવામાં આવે અને અમારી તાબેદારી કબૂલ કરો (પરંતુ તેના કહેવામાં) પોતાની જીભને તોડી મરોડી લે છે અને ધર્મને કલંકિત કરે છે, અને જો આ લોકો કહેતા કે અમે સાંભળ્યું અને અમે માની લીધું અને તમે સાંભળો અને અમને જુઓ તો આ તેમના માટે ઘણું સારૂ હતું અને વધારે બહેતર હતું, પરંતુ અલ્લાહ (તઆલા)એ તેમના ફુફ્રના કારણે તેમના ઉપર લા'નત કરી છે તો તેમનામાંથી ખૂબ ઓછા ઈમાન લાવે છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اٰمِنُوْا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمْ مِّنْ قَبْلِ اَنْ نَّطْمِسَ وُجُوْهًا فَنَرُدَّهَا عَلٰۤى اَدْبَارِهَاۤ اَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّاۤ اَصْحٰبَ السَّبْتِ ؕ وَ كَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا (47)

(૪૭) અય કિતાબવાળાઓ! જે કંઈ અમે ઉતાર્યું છે તે તેનું સમર્થન કરનાર છે જે તમારા પાસે છે, તેના ઉ૫૨ તેનાથી પહેલા ઈમાન લાઓ કે અમે ચહેરા બગાડી દઈએ અને તેમને ફેરવીને પીઠ તરફ કરી દઈએ, અથવા તેમના ઉપર લા’નત મોકલીએ, જેવું કે અમે શનિવારવાળા દિવસના લોકો ૫૨ લા'નત કરી છે અને અલ્લાહ (તઆલા)નો નિર્ણય જરૂર પૂરો કરેલ છે.


اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ ۚ وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤى اِثْمًا عَظِیْمًا (48)

(૪૮) બેશક અલ્લાહ (તઆલા) પોતાની સાથે શિર્ક કરવાને માફ નથી કરતો અને તેના સિવાય જેને ઈચ્છે માફ કરી દે, અને જે અલ્લાહ (તઆલા)ની સાથે શિર્ક કરે તેણે અલ્લાહ પર ભારે આરોપ ઘડયો.


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ یُزَكُّوْنَ اَنْفُسَهُمْ ؕ بَلِ اللّٰهُ یُزَكِّیْ مَنْ یَّشَآءُ وَ لَا یُظْلَمُوْنَ فَتِیْلًا (49)

(૪૯) શું તમે તેમને નથી જોયા જેઓ પોતાની પવિત્રતા (અને પ્રશંસા) પોતે કરે છે ? પરંતુ અલ્લાહ જેને ઈચ્છે પવિત્ર કરે છે, અને એમના ઉ૫૨ લેશમાત્ર પણ જુલમ કરવામાં નહિં આવે.


اُنْظُرْ كَیْفَ یَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ ؕ وَ كَفٰى بِهٖۤ اِثْمًا مُّبِیْنًا۠ ۧ (50)

(૫૦) જુઓ આ લોકો અલ્લાહ (તઆલા) ૫૨ કેવી રીતે જૂઠો આરોપ લગાવે છે, અને આ સ્પષ્ટ ગુનાહ માટે પુરતું છે. (ع-૭)