Surah Ha-Mim-As-Sajdah

સૂરહ હા.મીમ.અસ્સજદહ

રૂકૂ : ૪

આયત ૨૬ થી ૩૨

وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَسْمَعُوْا لِهٰذَا الْقُرْاٰنِ وَ الْغَوْا فِیْهِ لَعَلَّكُمْ تَغْلِبُوْنَ (26)

(૨૬) અને કાફિરોએ કહ્યું કે, “આ કુરઆનને સાંભળો જ નહિ (જ્યારે તેને પઢવામાં આવે) અને નકામી વાતો કરો, કેવું વિચિત્ર કે તમે વર્ચસ્વ મેળવો.”


فَلَنُذِیْقَنَّ الَّذِیْنَ كَفَرُوْا عَذَابًا شَدِیْدًا ۙ وَّ لَنَجْزِیَنَّهُمْ اَسْوَاَ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ (27)

(૨૭) તો બેશક અમે આ કાફિરોને સખત સજાની મજા ચખાડીશું અને તેમને તેમના બૂરા કર્મોનો બદલો જરૂર આપીશું.


ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ ۚ لَهُمْ فِیْهَا دَارُ الْخُلْدِ ؕ جَزَآءًۢ بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ (28)

(૨૮) અલ્લાહના દુશ્મનોનો બદલો જહન્નમની આગ છે, જેમાં તેમનું હંમેશાનું ઘર હશે, (આ) બદલો છે અમારી આયતોનો ઈન્કાર કરવાનો.


وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا رَبَّنَاۤ اَرِنَا الَّذَیْنِ اَضَلّٰنَا مِنَ الْجِنِّ وَ الْاِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ اَقْدَامِنَا لِیَكُوْنَا مِنَ الْاَسْفَلِیْنَ (29)

(૨૯) અને કાફિરો કહેશે કે, “હે અમારા રબ! જિન્નાતો અને મનુષ્યોના તે (બંને જૂથો) અમને દેખાડ, જેમણે અમને ભટકાવ્યા (જેથી) અમે તેમને અમારા પગના તળે નાખી દઈએ જેથી તેઓ ખૂબ નીચે (સખત અઝાબમાં) થઈ જાય.”


اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا تَتَنَزَّلُ عَلَیْهِمُ الْمَلٰٓئِكَةُ اَلَّا تَخَافُوْا وَ لَا تَحْزَنُوْا وَ اَبْشِرُوْا بِالْجَنَّةِ الَّتِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ (30)

(૩૦) હકીક્તમાં જે લોકોએ કહ્યું કે, “અમારો રબ અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા, તેમના પાસે ફરિશ્તાઓ (એવું કહેતા) ઉતરે છે કે તમે જરા પણ ન ડરો, અને ન દુઃખી થાઓ, (બલ્કે) તે જન્નતની ખુશખબર સાંભળી લો જેનો તમને વાયદો આપવામાં આવ્યો છે.


نَحْنُ اَوْلِیٰٓؤُكُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ فِی الْاٰخِرَةِ ۚ وَ لَكُمْ فِیْهَا مَا تَشْتَهِیْۤ اَنْفُسُكُمْ وَ لَكُمْ فِیْهَا مَا تَدَّعُوْنَ ؕ (31)

(૩૧) અમે આ દુનિયાના જીવનમાં પણ તમારા મદદગાર છીએ અને આખિરતમાં પણ રહીશું, જે વસ્તુને તમારૂ દિલ ઈચ્છે અને જે કંઈ માંગો તે બધું જ તમારા માટે (જન્નતમાં હાજર) હશે.


نُزُلًا مِّنْ غَفُوْرٍ رَّحِیْمٍ ۧ (32)

(૩૨) માફ કરનાર મહેરબાન તરફથી આ બધું મહેમાની રૂપે છે. (ع-)