Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૭

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.


الۤمۤ ۚ (1)

(૧) અલિફ લામ મીમ.


ذَ ٰ⁠لِكَ ٱلۡكِتَـٰبُ لَا رَیۡبَۛ فِیهِۛ هُدࣰى لِّلۡمُتَّقِینَ (2)

(૨) આ કિતાબ (ને અલ્લાહની કિતાબ હોવા) માં કોઈ શંકા નથી, પરહેઝગારો (સંયમી લોકો)ને માર્ગદર્શન કરવાવાળી છે.


الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ مِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۙ (3)

(૩) જે લોકો અદ્ધશ્ય પર ઈમાન લાવે છે, અને નમાઝને કાયમ કરે છે,અને અમારા આપેલા (માલ) માંથી ખર્ચ કરે છે.


وَٱلَّذِینَ یُؤۡمِنُونَ بِمَاۤ أُنزِلَ إِلَیۡكَ وَمَاۤ أُنزِلَ مِن قَبۡلِكَ وَبِٱلۡـَٔاخِرَةِ هُمۡ یُوقِنُونَ ؕ (4)

(૪) અને જે લોકો ઈમાન લાવે છે તેના ઉપર જે તમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે તમારા પહેલા ઉતારવામાં આવ્યું અને તેઓ આખિરત (પરલોક) પર પણ શ્રદ્ધા રાખે છે.


أُو۟لَـٰۤىِٕكَ عَلَىٰ هُدࣰى مِّن رَّبِّهِمۡۖ وَأُو۟لَـٰۤىِٕكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ (5)

(૫) આ જ લોકો પોતાના રબ તરફથી સાચા માર્ગ પર છે અને આ જ લોકો સફળતા (અને મોક્ષ) પ્રાપ્ત કરવાવાળા છે.


إِنَّ ٱلَّذِینَ كَفَرُوا۟ سَوَاۤءٌ عَلَیۡهِمۡ ءَأَنذَرۡتَهُمۡ أَمۡ لَمۡ تُنذِرۡهُمۡ لَا یُؤۡمِنُونَ (6)

(૬) બેશક કાફિરોને તમારું ડરાવવું કે ન ડરાવવું બરાબર છે, આ લોકો ઈમાન લાવવાના નથી.


خَتَمَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَعَلَىٰ سَمۡعِهِمۡۖ وَعَلَىٰۤ أَبۡصَـٰرِهِمۡ غِشَـٰوَةࣱۖ وَلَهُمۡ عَذَابٌ عَظِیمࣱ (7)

(૭) અલ્લાહ તઆલા એ તેમના હૃદય અને કાનોં પર મહોર લગાવી દીધી છે અને તેમની આંખો પર પડદો પડી ગયો છે, તેમના માટે મોટી યાતના છે.