Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ લામ મીમ. [2]
(૨) આ કિતાબ (ને અલ્લાહની કિતાબ હોવા) માં કોઈ શંકા નથી, પરહેઝગારો (સંયમી લોકો)ને માર્ગદર્શન કરવાવાળી છે.
(૩) જે લોકો ગૈબ (અદ્રશ્ય) પર ઈમાન લાવે છે[3] અને નમાઝને કાયમ કરે છે[4] અને અમારા જરીએ આપેલ (માલ) માંથી ખર્ચ કરે છે.
(૪) અને જે લોકો ઈમાન લાવે છે તેના ઉપર જે તમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે તમારા પહેલા ઉતારવામાં આવ્યું[5] અને તેઓ આખિરત (પરલોક) પર પણ યકીન (શ્રદ્ધા) રાખે છે.
(૫) આ જ લોકો પોતાના રબ તરફથી સાચા માર્ગ પર છે અને આ જ લોકો સફળતા (અને મોક્ષ) પ્રાપ્ત કરવાવાળા છે.
(૬) બેશક કાફિરોને તમારું ડરાવવું કે ન ડરાવવું બરાબર છે, આ લોકો ઈમાન લાવવાના નથી.
(૭) અલ્લાહ તઆલા એ તેમના દિલ અને કાનોં પર મહોર મારી દીધી છે અને તેમની આંખો પર પડદો છે, અને તેમના માટે મોટો અઝાબ છે. [6] (ع-૧)