Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨

આયત ૮ થી ૨૦


وَمِنَ ٱلنَّاسِ مَن یَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡیَوۡمِ ٱلۡـَٔاخِرِ وَمَا هُم بِمُؤۡمِنِینَ (8)

() કેટલાક લોકો એવા પણ છે જે કહે છે કે અમે અલ્લાહ ની ઉપર અને આખિરત ના દિવસ ઉપર ઈમાન ધરાવીએ છીએ, પરંતુ હકીકત માં એ લોકો ઈમાનવાળા જ નથી.


یُخَـٰدِعُونَ ٱللَّهَ وَٱلَّذِینَ ءَامَنُوا۟ وَمَا یَخۡدَعُونَ إِلَّاۤ أَنفُسَهُمۡ وَمَا یَشۡعُرُونَ (9)

() તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતર-પીંડી કરી રહયા છે, પરંતુ હકીકતમાં તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહયા છે, અને તેઓને તેનું ભાન નથી.


فِی قُلُوبِهِم مَّرَضࣱ فَزَادَهُمُ ٱللَّهُ مَرَضࣰاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِیمُۢ بِمَا كَانُوا۟ یَكۡذِبُونَ (10)

(૧૦) તેઓના હૃદય માં એક રોગ છે જેને અલ્લાહએ વધારી દીધો છે, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે દુઃખદાયી યાતના છે


وَإِذَا قِیلَ لَهُمۡ لَا تُفۡسِدُوا۟ فِی ٱلۡأَرۡضِ قَالُوۤا۟ إِنَّمَا نَحۡنُ مُصۡلِحُونَ (11)

(૧૧) અને જયારે પણ તેઓને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર ભ્રષ્ટતા(બગાડ) ન ફેલાઓ તો તેમણે એ જ કહયું કે અમે તો સુધારણા કરનારા છીએ.


أَلَاۤ إِنَّهُمۡ هُمُ ٱلۡمُفۡسِدُونَ وَلَـٰكِن لَّا یَشۡعُرُونَ (12)

(૧૨) સાવધાન ! હકીકત માં આ જ લોકો બગાડ પેદા કરવાવાળા છે પણ તેમને તેનું ભાન નથી.


وَإِذَا قِیلَ لَهُمۡ ءَامِنُوا۟ كَمَاۤ ءَامَنَ ٱلنَّاسُ قَالُوۤا۟ أَنُؤۡمِنُ كَمَاۤ ءَامَنَ ٱلسُّفَهَاۤءُۗ أَلَاۤ إِنَّهُمۡ هُمُ ٱلسُّفَهَاۤءُ وَلَـٰكِن لَّا یَعۡلَمُونَ (13)

(૧૩) અને જયારે તેમને કહેવામાં આવ્યું કે જે રીતે બીજા લોકો(એટલે કે સહાબા) જેમ તમે પણ ઈમાન લાવો તો તેમણે આ જવાબ આપ્યો.. શું અમે પણ મુર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ ? સાવધાન ! હકીક્ત માં તેઓ પોતે જ મુર્ખ છે પરંતુ તેઓ હકીકત જાણતા નથી.


وَإِذَا لَقُوا۟ ٱلَّذِینَ ءَامَنُوا۟ قَالُوۤا۟ ءَامَنَّا وَإِذَا خَلَوۡا۟ إِلَىٰ شَیَـٰطِینِهِمۡ قَالُوۤا۟ إِنَّا مَعَكُمۡ إِنَّمَا نَحۡنُ مُسۡتَهۡزِءُونَ (14)

(૧૪) જયારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે પણ ઈમાનવાળા છીએ, અને જ્યારે એકાંત માં પોતાના સરદારો(શૈતાનના ગુણ ધરાવતા લોકો) ને મળે છે ત્યારે કહે છે કે ખરેખર તો અમે તમારી સાથે છીએ, અમે આ લોકો સાથે કેવળ મજાક કરી રહ્યા છીએ.


ٱللَّهُ یَسۡتَهۡزِئُ بِهِمۡ وَیَمُدُّهُمۡ فِی طُغۡیَـٰنِهِمۡ یَعۡمَهُونَ (15)

(૧૫) અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરી રહ્યો છે અને તેમને સરકશી તથા બહેકવામાં વધારે ઢીલ આપે છે.


أُو۟لَـٰۤىِٕكَ ٱلَّذِینَ ٱشۡتَرَوُا۟ ٱلضَّلَـٰلَةَ بِٱلۡهُدَىٰ فَمَا رَبِحَت تِّجَـٰرَتُهُمۡ وَمَا كَانُوا۟ مُهۡتَدِینَ (16)

(૧૬) આ તે લોકો છે, જેમણે સત્યમાર્ગ ના બદલામાં પદભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપી સત્યમાર્ગ ઉપર પણ નથી.


مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِی ٱسۡتَوۡقَدَ نَارࣰا فَلَمَّاۤ أَضَاۤءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِی ظُلُمَـٰتࣲ لَّا یُبۡصِرُونَ (17)

(૧૭) તેઓનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જેણે આગ સળગાવી, પરંતુ જ્યારે આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ જ હતી કે અલ્લાહએ તેઓના પ્રકાશને ઝૂંટવી લીધો અને તેઓને અંધકારમાં છોડી દીધા, એ તેઓ જોતા નથી.


صُمُّۢ بُكۡمٌ عُمۡیࣱ فَهُمۡ لَا یَرۡجِعُونَ (18)

(૧૮) (આ લોકો) બેહરા, મૂંગા અને આંધળા છે, હવે તેઓ પાછા ફરવાના નથી.


أَوۡ كَصَیِّبࣲ مِّنَ ٱلسَّمَاۤءِ فِیهِ ظُلُمَـٰتࣱ وَرَعۡدࣱ وَبَرۡقࣱ یَجۡعَلُونَ أَصَـٰبِعَهُمۡ فِیۤ ءَاذَانِهِم مِّنَ ٱلصَّوَ ٰ⁠عِقِ حَذَرَ ٱلۡمَوۡتِۚ وَٱللَّهُ مُحِیطُۢ بِٱلۡكَـٰفِرِینَ (19)

(૧૯) અથવા પછી તેનું દ્રષ્ટાંત એમ સમજો કે આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહયો હોય અને તેની સાથે ઘોર અંધકાર, મેઘગર્જના અને વીજળી પણ હોય, આ લોકો વીજળી ના કડાકા સાંભળી મોતના ભયથી કાનમાં આંગળીઓ નાંખી દે છે. અને અલ્લાહ તઆલા કાફિરો (સત્ય નો ઇન્કાર કરનારાઓ) ને દરેક બાજુથી ઘેરાવામાં લઈ લીધા છે.


یَكَادُ ٱلۡبَرۡقُ یَخۡطَفُ أَبۡصَـٰرَهُمۡۖ كُلَّمَاۤ أَضَاۤءَ لَهُم مَّشَوۡا۟ فِیهِ وَإِذَاۤ أَظۡلَمَ عَلَیۡهِمۡ قَامُوا۟ۚ وَلَوۡ شَاۤءَ ٱللَّهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَأَبۡصَـٰرِهِمۡۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَیۡءࣲ قَدِیرࣱ (20)

(૨૦) વીજળી ના ચમકારાથી તેમની હાલત એવી થઈ રહી છે કે જાણે હમણાંજ વીજળી તેઓની દ્રષ્ટી છીનવી લેશે, જયારે થોડો પણ પ્રકાશ તેમને દેખાય છે ત્યારે તેમાં થોડું ચાલે છે અને જયારે એમની ઉપર અંધકાર છવાય જાય છે ત્યારે થોભી જાય છે, અને જો અલ્લાહ ઈચ્છતો હોત તો તેઓના કાનો અને આંખો બંને તદ્દન છીનવી લેત, નિઃશંક અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.