(૯૨) કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે કોઈ મુસલમાનને કતલ કરી દે, પરંતુ ભૂલથી થઈ જાય (તો અલગ વાત છે) અને જે વ્યક્તિ કોઈ મુસલમાનનું કતલ ભૂલથી કરી દે,[65] તો તેની પર એક મુસલમાન દાસ (અથવા દાસી) આઝાદ કરવા અને કતલ થયેલાના રિશ્તેદારને ખૂનની કિંમત આપવાની છે.[66] પરંતુ એ વાત અલગ છે કે તેઓ માફ કરીદે, અને જો તે કતલ થયેલ (મકતૂલ) તમારા દુશ્મન કોમમાંથી હોય અને મુસલમાન હોય તો એક મુસલમાન ગુલામ આઝાદ કરવો જરૂરી છે અને જો કતલ થયેલ તે કોમમાંથી છે જેના અને તમારા (મુસલમાનાના) વચ્ચે સુલેહ છે તો ખૂનની કિંમત તેના રિશ્તેદારોને આપવાની છે અને એક મુસલમાન ગુલામ આઝાદ પણ કરવાનો છે, અને જો તેની તાકાત ન હોય તેને બે મહિના સળંગ રોઝા રાખવાના છે,[67] અલ્લાહથી માફ કરાવવા માટે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૯૩) અને જો કોઈ ઈરાદાપૂર્વક કોઈ મુસલમાનને કતલ કરી નાખે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ (તઆલા)નો પ્રકોપ છે,[68] તેના ૫૨ અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે, અને તેના માટે ઘણી મોટી સજા તૈયાર કરી રાખી છે.
(૯૪) અય ઈમાનવાળાઓ! જયારે તમે અલ્લાહના માર્ગમાં જઈ રહ્યા છો તો જાંચ પડતાલ કરી લો અને જો તમને સલામ અલૈક કહે તો તમે તેને એમ ન કહો કે તું ઈમાનવાળો નથી. તમે દુનિયાની જિંદગીના સાધનો (અસબાબ)ની શોધમાં છો તો અલ્લાહ (તઆલા)ની પાસે ઘણા સુખના સાધનો છે. પહેલા તમે પણ એવા જ હતા, પછી અલ્લાહ (તઆલા)એ તમારા ઉ૫૨ અહેસાન કર્યું, એટલા માટે તમે જરૂર છાનબીન કરી લો, બેશક અલ્લાહ (તઆલા) તમારા કાર્યોને સારી રીતે જાણે છે.
(૯૫) જે મુસલમાનો વગર કારણે બેસી રહ્યા અને જેઓ અલ્લાહના માર્ગમાં પોતાના તન અને ધનની સાથે જિહાદ કરતા હોય બંને સમાન નથી, અલ્લાહે તેમને જેઓ પોતાના માલો અને જાનો સાથે જિહાદ કરે છે, દરજ્જાઓમાં શ્રેષ્ઠતા આપી છે તેમના ૫૨ જેઓ બેસેલા રહ્યા છે, અને આમ તો દરેકને શુભવચન[69] આપ્યું છે. પરંતુ અલ્લાહે જેઓ જિહાદ કરવાવાળા છે તેમને બેસી રહેનરાઓ ઉ૫૨ મોટા બદલાથી શ્રેષ્ઠતા આપી છે.
(૯૬) પોતાના તરફથી દરજજાઓની પણ, માફીની પણ અને દયાની પણ અને અલ્લાહ માફ કરનાર મહેરબાન છે.(ع-૧૩)