Surah An-Nazi'at
સૂરહ અન્-નાઝિઆત
સૂરહ અન્-નાઝિઆત
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) ડૂબાડીને કઠોરતાથી (પ્રાણ) ખેંચવાવાળાઓના સોગંદ.[1]
(૨) બંધન ખોલીને (પ્રાણ) છોડાવનારાઓના સોગંદ.
(૩) અને તરવા ફરવાવાળાઓ (ફરિશ્તાઓ) ના સોગંદ.[2]
(૪) પછી દોડીને આગળ વધવાવાળાઓના સોગંદ.
(૫) પછી કામોની વ્યવસ્થા કરવાવાળાઓના સોગંદ.
(૬) જે દિવસે ધ્રુજવાવાળી (ધરતી) ધ્રુજશે.[3]
(૭) તેના પછી એક પાછળ આવનાર (પાછળ-પાછળ) આવશે.[4]
(૮) (કેટલાય) દિલો તે દિવસે ધ્રુજતા હશે.
(૯) જેમની નજરો નીચી હશે.
(૧૦) કહે છે કે શું અમે પહેલા જેવી સ્થિતિમાં પાછા આવી જઈશું ?
(૧૧) શું તે સમયે જયારે અમે કમજોર હાડકાઓમાં ફેરવાઈ જઈશું ?
(૧૨) કહે છે કે આ પાછા ફરવું નુકસાન પહોંચાડનારું છે (ખબર હોવી જોઈએ).
(૧૩) એ તો માત્ર એક (ભયાનક) ફિટકાર છે (જેના પેદા થતાં જ).
(૧૪) તેઓ તરત જ મેદાનમાં હાજર થઈ જશે.
(૧૫) શું મુસા (અ.સ.) નો કિસ્સો પણ તમને ખબર છે ?
(૧૬) જ્યારે કે તેમના રબે તેમને પવિત્ર મેદાન “તુવામાં” પોકાર્યા.[5]
(૧૭) કે તમે ફિરઔન પાસે જાઓ, તેણે વિદ્રોહ અપનાવી લીધો છે.
(૧૮) તેને કહો કે શું તું પોતાનો સુધાર અને પવિત્રતા ઈચ્છે છે ?
(૧૯) અને એ કે હું તને તારા રબનો માર્ગ બતાઉં, જેથી તું (તેનાથી) ડરવા લાગે.
(૨૦) તો તેને મોટી નિશાનીઓ બતાવી.
(૨૧) તો તેણે જૂઠાડ્યા અને નાફરમાની કરી.
(૨૨) પછી પાછો ફર્યો કોશિશ કરતો.[6]
(૨૩) પછી બધાને ભેગા કરીને ઊંચા અવાજમાં પોકાર્યા.
(૨૪) કહ્યું કે તમારા બધાનો મહાન રબ હું જ છું.
(૨૫) તો (સૌથી મહાન અને સર્વોપરી) અલ્લાહે પણ તેને આખિરત અને આ દુનિયાના અઝાબોમાં ઘેરી લીધો.
(૨૬) બેશક આ (બનાવ)માં તે દરેક વ્યક્તિ માટે નસીહત છે જે ડરે.[7] (ع-૧)