Surah Al-Qiyamah
સૂરહ અલ-કિયામહ
સૂરહ અલ-કિયામહ
فَلَا صَدَّقَ وَ لَا صَلّٰى ۙ (31)
(૩૧) તો તેણે ન તો સાચું માન્યું ન નમાઝ પઢી.
وَ لٰكِنْ كَذَّبَ وَ تَوَلّٰى ۙ (32)
(૩૨) પરંતુ (તેણે) જૂઠાડ્યા અને ફરી ગયો.
ثُمَّ ذَهَبَ اِلٰۤى اَهْلِهٖ یَتَمَطّٰى ؕ (33)
(૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઈતરાઈને ગયો.
اَوْلٰى لَكَ فَاَوْلٰى ۙ (34)
(૩૪) અફસોસ છે તારા પર, પસ્તાવો છે તારા પર.
ثُمَّ اَوْلٰى لَكَ فَاَوْلٰى ؕ (35)
(૩૫) પછી દુઃખ છે (તારા પર) અને ખરાબી છે તારા માટે.
اَیَحْسَبُ الْاِنْسَانُ اَنْ یُّتْرَكَ سُدًى ؕ (36)
(૩૬) શું મનુષ્ય એમ સમજે છે કે તેનો આમ જ છોડી દેવામાં આવશે ?
اَلَمْ یَكُ نُطْفَةً مِّنْ مَّنِیٍّ یُّمْنٰى ۙ (37)
(૩૭) શું તે એક ઘટ્ટ પાણીનું ટિપું ન હતો જે ટપકાવવામાં આવે છે ?
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوّٰى ۙ (38)
(૩૮) પછી તે માસનો લોથડો થઈ ગયો, પછી (અલ્લાહે) તેને પેદા કર્યો અને યોગ્ય રૂપમાં બનાવી દીધો.
فَجَعَلَ مِنْهُ الزَّوْجَیْنِ الذَّكَرَ وَ الْاُنْثٰى ؕ (39)
(૩૯) પછી તેનાથી જોડા એટલે કે નર-માદા બનાવ્યા.
اَلَیْسَ ذٰلِكَ بِقٰدِرٍ عَلٰۤى اَنْ یُّحْیَِۧ الْمَوْتٰى ۧ (40)
(૪૦) શું અલ્લાહ (તઆલા) એ વાત પર શક્તિમાન નથી કે મડદાંઓને ફરીથી જીવતા કરી દે ? (ع-૨)