(૯૭) જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ" (એક પથ્થર છે જેના પર ખાનાએ કા’બાના નિર્માણ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો ૫૨ જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે.