Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૦

આયત ૯૨ થી ૧૦૧


لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ (92)

(૯૨) જ્યાં સુધી તમે પોતાના પસંદગીના માલમાંથી અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ નહિ કરો, કદી પણ તમે ભલાઈને પહોંચી શકતા નથી અને જે કંઈ તમે ખર્ચ કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.


كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ (93)

(૯૩) તૌરાત ઉતરવાના પહેલાથી (હજરત) યાકૂબ (અ.સ.)એ જે વસ્તુઓને પોતાના ઉપર હરામ કરી લીધી હતી તે સિવાયની બધી ખાદ્ય વસ્તુઓ ઈસરાઈલની સંતાન માટે હલાલ હતી. તમે કહી દો કે જો તમે સાચા હોવ તો તૌરાત લઈ આવો અને વાંચી સંભળાવો.

فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ (94)

(૯૪) આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે.


قُلْ صَدَقَ اللَّهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ (95)

(૯૫) કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઈબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા.


إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ (96)

(૯૬) બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મક્કામાં છે જે સમગ્ર દુનિયાના માટે બરકતવાળુ અને હિદાયતનું કેન્દ્ર છે.


فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ (97)

(૯૭) જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ" (એક પથ્થર છે જેના પર ખાનાએ કા’બાના નિર્માણ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો ૫૨ જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે.


قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ (98)

(૯૮) આપ કહી દો કે, અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો ઈન્કાર કેમ કરો છો ? અને જે કંઈ કરો છો અલ્લાહ (તઆલા) તેના ૫૨ ગવાહ છે.


قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ (99)

(૯૯) તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ (તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ (100)

(૧૦૦) અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને ફુફ્રની તરફ ફેરવી દેશે.


وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ (101)

(૧૦૧) અને (એટલે કે આ સ્પષ્ટ છે) તમે કેવી રીતે કુફ્ર કરી શકો છો? જયારે કે તમારા પર અલ્લાહ (તઆલા)ની આયતો પઢવામાં આવે છે અને તમારામાં રસૂલ (અ.સ.) મોજૂદ છે, અને જે અલ્લાહ (તઆલા)ના ધર્મને મજબૂતી થી પકડી લેશે, બેશક તેને સીધો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.