Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૯

આયત ૭૧ થી ૮૨


قُلْ اَنَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُنَا وَ لَا یَضُرُّنَا وَ نُرَدُّ عَلٰۤى اَعْقَابِنَا بَعْدَ اِذْ هَدٰىنَا اللّٰهُ كَالَّذِی اسْتَهْوَتْهُ الشَّیٰطِیْنُ فِی الْاَرْضِ حَیْرَانَ {ص} لَهٗۤ اَصْحٰبٌ یَّدْعُوْنَهٗۤ اِلَى الْهُدَى ائْتِنَا ؕ قُلْ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الْهُدٰى ؕ وَ اُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۙ (71)

(૭૧) તમે કહો કે, “શું અમે અલ્લાહના સિવાય તેમને પોકારીએ જે અમારૂ ભલુ-બુરૂ ન કરી શકતા હોય? અને અલ્લાહની હિદાયત મળ્યા પછી ઉલટા પગે પાછા ફેરવી દેવામાં આવે ? જેમ કે શયતાને બહેકાવી દીધો હોય અને તે ધરતીમાં ભટકતો ફરતો હોય, તેના સાથી તેને સાચા રસ્તા તરફ પોકારી રહ્યા હોય કે અમારા પાસે આવો," તમે કહો કે, “અલ્લાહની હિદાયત જ હકીકતમાં હિદાયત છે. અને અમને હુકમ કરવામાં આવ્યો છે કે દુનિયાના માલિકના માટે આત્મસમર્પણ કરી દઈએ."


وَ اَنْ اَقِیْمُوا الصَّلٰوةَ وَ اتَّقُوْهُ ؕ وَ هُوَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ (72)

(૭૨) અને નમાઝ કાયમ કરો અને તેનાથી (અલ્લાહથી) ડરો, તે જ છે જેના તરફ તમે ભેગા કરવામાં આવશો.


وَ هُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ بِالْحَقِّ ؕ وَ یَوْمَ یَقُوْلُ كُنْ فَیَكُوْنُ ؕ٥ قَوْلُهُ الْحَقُّ ؕ وَ لَهُ الْمُلْكُ یَوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ ؕ عٰلِمُ الْغَیْبِ وَ الشَّهَادَةِ ؕ وَ هُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ (73)

(૭૩) તેણે આકાશો અને ધરતીને સત્યની સાથે પેદા કર્યા, અને જે દિવસે કહેશે “થઈ જા" તો થઈ જશે, તેનું ફરમાન સત્ય છે અને જે દિવસે રણશિંગુ ફૂંકવામાં આવશે, બાદશાહી ફકત તેની જ હશે, તે જાણવાવાળો છે ગૈબ અને હાજરનો, અને તે હિકમતવાળો બાખબર છે.


وَ اِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصْنَامًا اٰلِهَةً ۚ اِنِّیْۤ اَرٰىكَ وَ قَوْمَكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ (74)

(૭૪) અને યાદ કરો જયારે ઈબ્રાહીમે પોતાના પિતા આજર ને કહ્યું, “શું તમે મૂર્તિઓને મા'બૂદ બનાવી રહ્યા છો? હું તમને અને તમારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યો છું.”


وَ كَذٰلِكَ نُرِیْۤ اِبْرٰهِیْمَ مَلَكُوْتَ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ لِیَكُوْنَ مِنَ الْمُوْقِنِیْنَ (75)

(૭૫) અને આ રીતે અમે ઈબ્રાહીમને આકાશો અને ધરતીનું રાજ્ય બતાવ્યુ જેથી તે સંપૂર્ણ યકીન કરનારાઓમાંથી થઈ જાય.


فَلَمَّا جَنَّ عَلَیْهِ الَّیْلُ رَاٰ كَوْكَبًا ۚ قَالَ هٰذَا رَبِّیْ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الْاٰفِلِیْنَ (76)

(૭૬) પછી જયારે તેના ૫૨ રાત્રિનો અંધકાર છવાઈ ગયો તો એક તારાને જોયો, કહ્યું કે, “આ મારો રબ છે." પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે “હું આથમી જનારાઓને મોહબ્બત નથી કરતો.”


فَلَمَّا رَاَ الْقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّیْ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنْ لَّمْ یَهْدِنِیْ رَبِّیْ لَاَكُوْنَنَّ مِنَ الْقَوْمِ الضَّآلِّیْنَ (77)

(૭૭) પછી જયારે ચંદ્રને ચમકતો જોયો તો કહ્યું કે, “આ મારો રબ છે”, પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે, “જો મારો રબ મને રસ્તો નહિ દેખાડે તો હું ગુમરાહોમાં થઈ જઈશ."


فَلَمَّا رَاَ الشَّمْسَ بَازِغَةً قَالَ هٰذَا رَبِّیْ هٰذَاۤ اَكْبَرُ ۚ فَلَمَّاۤ اَفَلَتْ قَالَ یٰقَوْمِ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ (78)

(૭૮) પછી જયારે સૂર્યને પ્રકાશિત થતો જોયો તો કહ્યુંકે, “આ મારો રબ છે, આ તો સૌથી મોટો છે”, પછી જયારે તે આથમી ગયોતો કહ્યું કે, “બેશક હું તમારા શિર્કથી અલગછું."


اِنِّیْ وَجَّهْتُ وَجْهِیَ لِلَّذِیْ فَطَرَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ حَنِیْفًا وَّ مَاۤ اَنَا مِنَ الْمُشْرِكِیْنَ ۚ (79)

(૭૯) મેં તો એકાગ્ર થઈને પોતાનું મોઢું તેની તરફ ફેરવી દીધુ, જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને હું મુશરિકોમાંથી નથી.


وَ حَآجَّهٗ قَوْمُهٗ ؕ قَالَ اَتُحَآجُّوْٓنِّیْ فِی اللّٰهِ وَ قَدْ هَدٰىنِ ؕ وَ لَاۤ اَخَافُ مَا تُشْرِكُوْنَ بِهٖۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ رَبِّیْ شَیْئًا ؕ وَسِعَ رَبِّیْ كُلَّ شَیْءٍ عِلْمًا ؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ (80)

(૮૦) અને તેના સાથે તેની કોમવાળાઓએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું તેણે (હજરત ઈબ્રાહીમે) કહ્યું કે, “શું તમે અલ્લાહના બારામાં મારાથી ઝઘડો કરો છો, જયારે કે તેણે મને હિદાયત આપી છે અને હું તે વસ્તુઓથી ડરતો નથી જેને તમે અલ્લાહના સાથે સામેલ કરો છો, પરંતુ એ કે મારો રબ જ કોઈ કારણે ઈચ્છે. મારા રબે દરેક વસ્તુને પોતાના ઈલ્મના દાયરામાં ઘેરેલ છે, શું, તમે પછી પણ વિચાર નથી કરતા?


وَ كَیْفَ اَخَافُ مَاۤ اَشْرَكْتُمْ وَ لَا تَخَافُوْنَ اَنَّكُمْ اَشْرَكْتُمْ بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ عَلَیْكُمْ سُلْطٰنًا ؕ فَاَیُّ الْفَرِیْقَیْنِ اَحَقُّ بِالْاَمْنِ ۚ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۘ (81)

(૮૧) અને હું તે વસ્તુઓથી કેવી રીતે ડરુ જેને તમે (અલ્લાહના) ભાગીદાર બનાવી દીધા, જયારે કે તમે તેને અલ્લાહના ભાગીદાર બનાવવાથી નથી ડરતા, જેની તમારા પાસે અલ્લાહે કોઈ દલીલ નથી ઉતારી, પછી આ બંને પક્ષોમાં કોણ શાંતિનો વધારે હકદાર છે જો તમે જાણતા હોવ.

اَلَّذِیْنَ اٰمَنُوْا وَ لَمْ یَلْبِسُوْۤا اِیْمَانَهُمْ بِظُلْمٍ اُولٰٓئِكَ لَهُمُ الْاَمْنُ وَ هُمْ مُّهْتَدُوْنَ ۧ (82)

(૮૨) જે લોકો ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનની કોઈ શિર્ક સાથે મિલાવટ ન કરી તેમના માટે જ શાંતિ છે અને તેઓ જ સીધા રસ્તા પર છે. -૯)