Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૮

આયત ૫૯ થી ૬૮

یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّاَزْوَاجِكَ وَ بَنٰتِكَ وَ نِسَآءِ الْمُؤْمِنِیْنَ یُدْنِیْنَ عَلَیْهِنَّ مِنْ جَلَابِیْبِهِنَّ ؕ ذٰلِكَ اَدْنٰۤى اَنْ یُّعْرَفْنَ فَلَا یُؤْذَیْنَ ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا (59)

(૫૯) હે નબી! પોતાની પત્નીઓને અને પુત્રીઓને અને ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર ચાદરો લટકાવી રાખે, આનાથી તરત તેમની ઓળખ થઈ જશે પછી તક્લીફ પહોંચાડવામાં નહિ આવે, અને અલ્લાહ (તઆલા) મોટો દરગુજર કરવાવાળો અને દયાળુ છે.


لَئِنْ لَّمْ یَنْتَهِ الْمُنٰفِقُوْنَ وَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّ الْمُرْجِفُوْنَ فِی الْمَدِیْنَةِ لَنُغْرِیَنَّكَ بِهِمْ ثُمَّ لَا یُجَاوِرُوْنَكَ فِیْهَاۤ اِلَّا قَلِیْلًا ۖۛۚ (60)

(૬૦) જો (હજી પણ) આ મુનાફિકો અને તેઓ જેમના દિલોમાં રોગ છે અને મદીનાના રહેવાસીઓ જે ખોટી અફવાઓ ફેલાવે છે, અટકી નહીં જાય તો અમે તમને તેમના (નષ્ટ કરવા) પર લગાવી દઈશું, પછી તો તેઓ થોડાક જ દિવસ તમારા સાથે આ (શહેર) માં રહી શકશે.


مَّلْعُوْنِیْنَ ۛۚ اَیْنَمَا ثُقِفُوْۤا اُخِذُوْا وَ قُتِّلُوْا تَقْتِیْلًا (61)

(૬૧) તેમના ઉપર ફિટકાર વરસાવવામાં આવશે, જ્યાં પણ મળી જાય પકડી લેવામાં આવે અને ખૂબ ટુકડે ટુકડા કરી દેવામાં આવે.


سُنَّةَ اللّٰهِ فِی الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلُ ۚ وَ لَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِیْلًا (62)

(૬૨) તેમના અગાઉના લોકોમાં પણ અલ્લાહનો આ જ કાનૂન લાગુ રહ્યો છે, અને તમે અલ્લાહના કાનૂનમાં સહેજ પણ બદલાવ નહિં જુઓ.


یَسْئَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ ؕ وَ مَا یُدْرِیْكَ لَعَلَّ السَّاعَةَ تَكُوْنُ قَرِیْبًا (63)

(૬૩) લોકો તમને કયામતના વિશે પૂછે છે, (તમે) કહી દો કે તેનું ઈલ્મ તો અલ્લાહને જ છે તમને શું ખબર કે (કદાચ) તે કયામત ખૂબ જ નજીક હોય.


اِنَّ اللّٰهَ لَعَنَ الْكٰفِرِیْنَ وَ اَعَدَّ لَهُمْ سَعِیْرًاۙ (64)

(૬૪) અલ્લાહ (તઆલા)એ કાફિરો ઉપર ફિટકાર મોકલી છે અને તેમના માટે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે.


خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ۚ لَا یَجِدُوْنَ وَلِیًّا وَّ لَا نَصِیْرًاۚ (65)

(૬૫) જેમાં તેઓ હંમેશા રહેશે, અને તેઓ કોઈ સમર્થક અને મદદગાર નહિ મેળવી શકે.


یَوْمَ تُقَلَّبُ وُجُوْهُهُمْ فِی النَّارِ یَقُوْلُوْنَ یٰلَیْتَنَاۤ اَطَعْنَا اللّٰهَ وَ اَطَعْنَا الرَّسُوْلَا (66)

(૬૬) જે દિવસે તેમના ચહેરા આગમાં ઊલટ-પુલટ કરવામાં આવશે તે વખતે (પસ્તાવા અને અફસોસથી) કહેશે કે, “કાશ! અમે અલ્લાહ (તઆલા) અને રસૂલના હુકમોનું પાલન કરતા.”


وَ قَالُوْا رَبَّنَاۤ اِنَّاۤ اَطَعْنَا سَادَتَنَا وَ كُبَرَآءَنَا فَاَضَلُّوْنَا السَّبِیْلَا (67)

(૬૭) અને તેઓ કહેશે, “હે અમારા રબ! અમે અમારા આગેવાનો અને પૂર્વજોનું અનુસરણ કર્યું, તેમણે અમને સીધા માર્ગથી ભટકાવી દીધા.


رَبَّنَاۤ اٰتِهِمْ ضِعْفَیْنِ مِنَ الْعَذَابِ وَ الْعَنْهُمْ لَعْنًا كَبِیْرًا ۧ (68)

(૬૮) હે અમારા રબ! તું તેમને બમણો અઝાબ આપ અને તેમના ઉપર ખૂબ ફિટકાર મોકલ.” (ع-)