Surah An-Najm

સૂરહ અન્‌-નજ્મ

રૂકૂ : ૨

આયત ૨૬ થી ૩૨

وَ كَمْ مِّنْ مَّلَكٍ فِی السَّمٰوٰتِ لَا تُغْنِیْ شَفَاعَتُهُمْ شَیْئًا اِلَّا مِنْۢ بَعْدِ اَنْ یَّاْذَنَ اللّٰهُ لِمَنْ یَّشَآءُ وَ یَرْضٰى (26)

(૨૬) અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, તેમની ભલામણ કોઈ કામ લાગતી નથી, પણ એ જુદી વાત છે કે અલ્લાહ જેને પોતાની ખુશીથી ચાહે પરવાનગી આપી દે.


اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَیُسَمُّوْنَ الْمَلٰٓئِكَةَ تَسْمِیَةَ الْاُنْثٰى (27)

(૨૭) બેશક જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, તેઓ ફરિશ્તાઓને દેવીઓ (સ્ત્રીઓ) જેવા નામ આપે છે.


وَ مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ وَ اِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْئًا ۚ (28)

(૨૮) જો કે તેમને આનું કોઈ જ્ઞાન નથી, તેઓ માત્ર પોતાની અટકળો પર જ ચાલે છે, અને બેશક અટકળો સત્ય સામે કોઈ કામ આપી શકતી નથી.

فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰى { ۙ٥} عَنْ ذِكْرِنَا وَ لَمْ یُرِدْ اِلَّا الْحَیٰوةَ الدُّنْیَا ؕ (29)

(૨૯) તો તમે તેમનાથી મોઢું ફેરવી લો જેઓ અમારી યાદથી મોઢું ફેરવે અને જેમનો હેતુ માત્ર દુનિયાની જીંદગી સિવાય કંઈ ન હોય.


ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ ۙ وَ هُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰى (30)

(૩૦) આ જ તેમના જ્ઞાનની હદ છે, તમારો રબ તેને ખુબ સારી રીતે જાણે છે જે તેના માર્ગથી ભટકી ગયો હોય, અને તે સારી રીતે જાણે છે તેને પણ જે સીધા માર્ગ પર હોય.


وَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ۙ لِیَجْزِیَ الَّذِیْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَ یَجْزِیَ الَّذِیْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰى ۚ (31)

(૩૧) અને અલ્લાહનું જ છે જે કંઈ આકાશોમાં અને જે કંઈ ધરતીમાં છે, જેથી તે (અલ્લાહ તઆલા જ) ખરાબ કામ કરવાવાળોને તેમના કર્મોનો બદલો આપે અને ભલાઈ કરવાવાળાઓને સારો બદલો આપે.


اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓئِرَ الْاِثْمِ وَ الْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَ اِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰى ۧ (32)

(૩૨) તે લોકો જેઓ મોટા ગુનાહોથી બચે છે અને બેશરમી (નિર્લજ્જતા)થી પણ, પરંતુ કોઈ નાનો ગુનોહ થઈ જાય, બેશક તમારો રબ ઉદાર અને માફ કરવાવાળો છે, તે તમને સારી રીતે જાણે છે જ્યારે તેણે તમને ધરતી (માટી)માંથી બનાવ્યા અને જ્યારે તમે પોતાની માતાઓના ગર્ભમાં બાળક હતા, માટે તમે પોતાની પવિત્રતાનું જાતે વર્ણન ન કરો, તે જ નેક લોકોને સારી રીતે જાણે છે. (ع-)