Surah An-Naml

સૂરહ અન્-નમમ્લ

રૂકૂઅ : ૪

આયત ૪૫ થી ૫૮

وَ لَقَدْ اَرْسَلْنَاۤ اِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا اَنِ اعْبُدُوا اللّٰهَ فَاِذَا هُمْ فَرِیْقٰنِ یَخْتَصِمُوْنَ (45)

(૪૫) અને બેશક અમે 'સમૂદ' તરફ તેના ભાઈ સાલેહને મોકલ્યો કે તમે બધા અલ્લાહની બંદગી કરો, પછી પણ તેઓ બે જૂથોમાં વહેંચાઈને પરસ્પર લડવા લાગ્યા.


قَالَ یٰقَوْمِ لِمَ تَسْتَعْجِلُوْنَ بِالسَّیِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۚ لَوْ لَا تَسْتَغْفِرُوْنَ اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ (46)

(૪૬) (સાલેહે) કહ્યું, “હે મારી કોમના લોકો! તમે ભલાઈ પહેલા બૂરાઈ માટે ઉતાવળ શા માટે કરી રહ્યા છો ? તમે અલ્લાહ પાસે માફી કેમ નથી માંગતા ? જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.”


قَالُوا اطَّیَّرْنَا بِكَ وَ بِمَنْ مَّعَكَ ؕ قَالَ طٰٓئِرُكُمْ عِنْدَ اللّٰهِ بَلْ اَنْتُمْ قَوْمٌ تُفْتَنُوْنَ (47)

(૪૭) (તેઓ) કહેવા લાગ્યા કે, “અમે તો તારાથી અને તારા સાથીઓથી અપશુકન લઈ રહ્યા છીએ”, (સાલેહે) જવાબ આપ્યો કે, “તમારૂ અપશુકન અલ્લાહના પાસે છે, બલ્કે તમે તો પરીક્ષામાં પડેલા લોકો છો.”


وَ كَانَ فِی الْمَدِیْنَةِ تِسْعَةُ رَهْطٍ یُّفْسِدُوْنَ فِی الْاَرْضِ وَ لَا یُصْلِحُوْنَ (48)

(૪૮) તે શહેરમાં નવ વ્યક્તિ (આગેવાન) હતા જે ધરતી પર ફસાદ ફેલાવી રહ્યા હતા અને સુધાર કરતા ન હતા.


قَالُوْا تَقَاسَمُوْا بِاللّٰهِ لَنُبَیِّتَنَّهٗ وَ اَهْلَهٗ ثُمَّ لَنَقُوْلَنَّ لِوَلِیِّهٖ مَا شَهِدْنَا مَهْلِكَ اَهْلِهٖ وَ اِنَّا لَصٰدِقُوْنَ (49)

(૪૯) તેમણે પરસ્પર અલ્લાહની કસમ ખાઈને પ્રતિજ્ઞા લીધી કે રાત્રે જ સાલેહ અને તેના પરિવારના લોકો ઉપર છાપો મારીશું, અને તેના વારસદારને કહી દઈશું કે અમે તેના પરિવારના કતલ સમયે હાજર ન હતા, અને અમે સાચું બોલી રહ્યા છીએ.


وَ مَكَرُوْا مَكْرًا وَّ مَكَرْنَا مَكْرًا وَّ هُمْ لَا یَشْعُرُوْنَ (50)

(૫૦) અને તેમણે ચાલ રમી અને અમે પણ, અને તેઓ તેને સમજતા જ ન હતા.


فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ ۙ اَنَّا دَمَّرْنٰهُمْ وَ قَوْمَهُمْ اَجْمَعِیْنَ (51)

(૫૧) હવે જોઈ લો કે તેમના કાવતરાનું પરિણામ શું આવ્યું ? અમે તેમને અને તેમની કોમના તમામને બરબાદ કરી દીધા.


فَتِلْكَ بُیُوْتُهُمْ خَاوِیَةًۢ بِمَا ظَلَمُوْا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّعْلَمُوْنَ (52)

(૫૨) આ છે તેમના ઘરો જે તેમના જુલમના કારણે વેરાન પડ્યા છે, જે લોકો ઈલ્મ ધરાવે છે તેમના માટે આમાં મોટી નિશાની છે.


وَ اَنْجَیْنَا الَّذِیْنَ اٰمَنُوْا وَ كَانُوْا یَتَّقُوْنَ (53)

(૫૩) અને અમે તેમને બચાવી લીધા જેઓ ઈમાન લાવ્યા હતા અને નેક કામ કરતા હતા.


وَ لُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ وَ اَنْتُمْ تُبْصِرُوْنَ (54)

(૫૪) અને લૂતની (ચર્ચા કરો) જ્યારે કે તેણે પોતાની કોમને કહ્યું કે, “તમે જાણતા હોવા છતાં પણ કુકર્મ (બદકારી) કરી રહ્યા છો?


اَئِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ تَجْهَلُوْنَ (55)

(૫૫) આ શું વાત છે ? કે તમે સ્ત્રીઓને છોડી પુરૂષો પાસે કામવાસના માટે જાઓ છો ? હકીકત એ છે કે તમે ભારે અજ્ઞાનતા કરી રહ્યા છો.”


فَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْۤا اٰلَ لُوْطٍ مِّنْ قَرْیَتِكُمْ ۚ اِنَّهُمْ اُنَاسٌ یَّتَطَهَّرُوْنَ (56)

(૪૩) તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય બીજો કંઈ ન હતો કે લૂતના પરિવારવાળાઓને આપણા શહેરમાંથી કાઢી મૂકો, આ લોકો તો મોટી પવિત્રતા દેખાડી રહ્યા છે.


فَاَنْجَیْنٰهُ وَ اَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ {ز} قَدَّرْنٰهَا مِنَ الْغٰبِرِیْنَ (57)

(૫૭) અને અમે તેને અને તેના પરિવારને, તેની પત્ની સિવાય બધાને બચાવી લીધા, તેનો અંદાજો તો બાકી રહી જનારાઓમાં અમે લગાવી ચૂક્યા હતા.


وَ اَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ۚ فَسَآءَ مَطَرُ الْمُنْذَرِیْنَ۠ (58)

(૫૮) અને તેમના ઉપર એક (ખાસ પ્રકારનો) વરસાદ વરસાવ્યો છેવટે તે ડરાવવામાં આવેલા લોકો પર ખરાબ વરસાદ થયો. (ع-)