Surah Ash-Shur'ara
સૂરહ અસ્-શુઅરા
રૂકૂઅ : ૫
આયત ૬૯ થી ૧૦૪
وَ اتْلُ عَلَیْهِمْ نَبَاَ اِبْرٰهِیْمَۘ (69)
(૬૯) અને તેમને ઈબ્રાહીમનો કિસ્સો પણ સંભળાવી દો.
اِذْ قَالَ لِاَبِیْهِ وَ قَوْمِهٖ مَا تَعْبُدُوْنَ (70)
(૭૦) જ્યારે કે તેણે પોતાના પિતા અને પોતાની કોમને પૂછ્યું કે, “તમે કોની બંદગી કરો છો?”
قَالُوْا نَعْبُدُ اَصْنَامًا فَنَظَلُّ لَهَا عٰكِفِیْنَ (71)
(૭૧) તેમણે જવાબ આપ્યો કે, “અમે મૂર્તિઓની બંદગી કરીએ છીએ, અમે તો બરાબર તેના પૂજારી બની બેઠા છીએ.”
قَالَ هَلْ یَسْمَعُوْنَكُمْ اِذْ تَدْعُوْنَۙ (72)
(૭૨) આપે પૂછ્યું કે, “જ્યારે તમે તેમને પોકારો છો તો શું તેઓ સાંભળે પણ છે ?
اَوْ یَنْفَعُوْنَكُمْ اَوْ یَضُرُّوْنَ (73)
(૫૬) અથવા તમને નફો-નુક્સાન પણ પહોંચાડી શકે છે ? ”
قَالُوْا بَلْ وَجَدْنَاۤ اٰبَآءَنَا كَذٰلِكَ یَفْعَلُوْنَ (74)
(૭૪) તેમણે કહ્યું, “આ (અમે કશુ નથી જાણતા) અમે તો અમારા પૂર્વજોને આ રીતે કરતા જોયા છે.”
قَالَ اَفَرَءَیْتُمْ مَّا كُنْتُمْ تَعْبُدُوْنَۙ (75)
(૭૫) આપે કહ્યું કે, “કશું જાણો પણ છો જેને તમે પૂજી રહ્યા છો?”
اَنْتُمْ وَ اٰبَآؤُكُمُ الْاَقْدَمُوْنَ {ز} ۖ (76)
(૫૯) તમે અને તમારા આગળના બાપદાદા.
فَاِنَّهُمْ عَدُوٌّ لِّیْۤ اِلَّا رَبَّ الْعٰلَمِیْنَۙ (77)
(૭૭) તેઓ બધા મારા દુશ્મનો છે સિવાય સાચા અલ્લાહ (તઆલા)ના જે તમામ સૃષ્ટિનો પાલનહાર છે.
الَّذِیْ خَلَقَنِیْ فَهُوَ یَهْدِیْنِۙ (78)
(૭૮) જેણે મને પેદા કર્યો છે અને તે જ મારું માર્ગદર્શન કરે છે.
وَ الَّذِیْ هُوَ یُطْعِمُنِیْ وَ یَسْقِیْنِۙ (79)
(૭૯) તે જ છે જે મને ખવડાવે-પીવડાવે છે.
وَ اِذَا مَرِضْتُ فَهُوَ یَشْفِیْنِ {صۙ } (80)
(૮૦) તથા જયારે હું બીમાર પડું છું ત્યારે મને સાજો કરે છે.
وَ الَّذِیْ یُمِیْتُنِیْ ثُمَّ یُحْیِیْنِۙ (81)
(૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને પછી જીવતો કરી દેશે.
وَ الَّذِیْۤ اَطْمَعُ اَنْ یَّغْفِرَ لِیْ خَطِیْٓئَتِیْ یَوْمَ الدِّیْنِؕ (82)
(૮૨) અને જેનાથી આશા બંધાયેલી છે કે તે મને બદલો આપવાના દિવસે મારી ભૂલોને માફ કરી દેશે.
رَبِّ هَبْ لِیْ حُكْمًا وَّ اَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَۙ (83)
(૮૩) હે મારા રબ ! મને સમજ પ્રદાન કર! અને મને નેક લોકો (સદાચારીઓ)માં સામેલ કરી દે.
وَ اجْعَلْ لِّیْ لِسَانَ صِدْقٍ فِی الْاٰخِرِیْنَۙ (84)
(૮૪) અને મારી સાચી ખ્યાતી પાછળ આવનારા લોકોમાં પણ બાકી રાખ.
وَ اجْعَلْنِیْ مِنْ وَّرَثَةِ جَنَّةِ النَّعِیْمِۙ (85)
(૮૫) અને મને જન્નતે નઈમ (ને'મતોવાળી જન્નત) ના વારસદારોમાં સામેલ કરી દે.
وَ اغْفِرْ لِاَبِیْۤ اِنَّهٗ كَانَ مِنَ الضَّآلِّیْنَۙ (86)
(૮૬) અને મારા પિતાને માફ કરી દે, બેશક તે ભટકવાવાળાઓમાંથી છે.
وَ لَا تُخْزِنِیْ یَوْمَ یُبْعَثُوْنَۙ (87)
(૮૭) અને જે દિવસે લોકોને ફરીથી જીવતા કરવામાં આવે તે દિવસે મને અપમાનિત ન કર.
یَوْمَ لَا یَنْفَعُ مَالٌ وَّ لَا بَنُوْنَۙ (88)
(૮૮) જે દિવસે માલ અને સંતાન કશુ ફાયદો નહિ આપે
اِلَّا مَنْ اَتَى اللّٰهَ بِقَلْبٍ سَلِیْمٍؕ (89)
(૮૯) પરંતુ (ફાયદાવાળો તે જ હશે) જે અલ્લાહ (તઆલા)ના સામે નિર્દોષ દિલ લઈને હાજર થાય.”
وَ اُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِیْنَۙ (90)
(૯૦) અને પરહેઝગારો (સંયમીઓ) માટે જન્નત ઘણી નજીક લાવી દેવામાં આવશે.
وَ بُرِّزَتِ الْجَحِیْمُ لِلْغٰوِیْنَۙ (91)
(૯૧) અને ભટકેલા લોકો સામે જહન્નમ ખુલ્લી મૂકી દેવામાં આવશે.
وَ قِیْلَ لَهُمْ اَیْنَمَا كُنْتُمْ تَعْبُدُوْنَۙ (92)
(૯૨) અને તેમને પૂછવામાં આવશે કે, “તમે જેમની બંદગી કરતા રહ્યા તેઓ ક્યાં છે?
مِنْ دُوْنِ اللّٰهِ ؕ هَلْ یَنْصُرُوْنَكُمْ اَوْ یَنْتَصِرُوْنَؕ (93)
(૯૩) જે અલ્લાહ (તઆલા) સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરે છેઅથવા કોઈ બદલો લઈ શકે છે ? ”
فَكُبْكِبُوْا فِیْهَا هُمْ وَ الْغَاوٗنَۙ (94)
(૯૪) છેવટે તે બધા (મા'બૂદો) અને તમામ ભટકેલા લોકોને જહન્નમમાં ઉપર-નીચે ધકેલી દેવામાં આવશે.
وَ جُنُوْدُ اِبْلِیْسَ اَجْمَعُوْنَؕ (95)
(૯૫) અને શેતાનની તમામ સેના પણ.
قَالُوْا وَ هُمْ فِیْهَا یَخْتَصِمُوْنَۙ (96)
(૯૬) ત્યાં તેઓ પરસ્પર લડતા-ઝઘડતા કહેશે,
تَاللّٰهِ اِنْ كُنَّا لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍۙ (97)
(૯૭) “અલ્લાહની કસમ ! બેશક અમે તો સ્પષ્ટ ગુમરાહીમાં હતા,
اِذْ نُسَوِّیْكُمْ بِرَبِّ الْعٰلَمِیْنَ (98)
(૯૮) જ્યારે કે તમને સમગ્ર દુનિયાના રબના બરાબર સમજી બેઠા હતા.
وَ مَاۤ اَضَلَّنَاۤ اِلَّا الْمُجْرِمُوْنَ (99)
(૯૯) અને અમને તો સિવાય ગુનેહગારોના કોઈ બીજાએ ગુમરાહ કર્યા ન હતા.
فَمَا لَنَا مِنْ شَافِعِیْنَۙ (100)
(૧૦૦) હવે તો અમારી કોઈ ભલામણ કરવાવાળો પણ નથી.
وَ لَا صَدِیْقٍ حَمِیْمٍ (101)
(૧૦૧) અને ન કોઈ (સાચો) જિગરી દોસ્ત.
فَلَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ (102)
(૧૦૨) અને અમને એક વખત ફરીથી પાછા જવાનું મળે તો અમે પાકા સાચા ઈમાનવાળા બની જઈએ.”
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ وَ مَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ (103)
(૧૦૩) આ વાતમાં બેશક એક મોટી નિશાની છે, પરંતુ આમાંના મોટા ભાગના લોકો ઈમાન લાવવાના નથી.
وَ اِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۧ (104)
(૧૦૪) અને બેશક તમારો રબ જ પ્રભુત્વશાળી અને દયાળુ છે. (ع-૫)