Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

રૂકૂઅ : ૬

આયત ૯૩ થી ૧૧૮

قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَۙ (93)

(૯૩) તમે દુઆ કરો કે, “હે મારા રબ! જો તું મને તે દેખાડે જેનો વાયદો એમને આપવામાં આવી રહ્યો છે.


رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ (94)

(૯૪) તો હે મારા રબ! તું મને આ જાલિમોના જૂથમાં સામેલ ન કરજે.”


وَ اِنَّا عَلٰۤى اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ (95)

(૯૫) અને જે કંઈ વાયદા આમને આપી રાખ્યા છે બધા તમને દેખાડી દેવાની તાકાત ધરાવીએ છીએ.


اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ (96)

(૯૬) બૂરાઈને એવી પદ્ધતિથી દૂર કરો જે પુરી રીતે ભલાઈવાળી હોય, જે કંઈ આ લોકો વર્ણન કરે છે તેને. અમે સારી રીતે જાણીએ છીએ.


وَ قُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِۙ (97)

(૯૭) અને દુઆ કરો કે, “હે મારા રબ! હું શેતાનોના વસવસાથી તારી પનાહ માંગુ છું.


وَ اَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ (98)

(૯૮) અને હે મારા રબ ! હું આનાથી પણ તારી પનાહ માગું છું કે તે મારી નજીક આવે.”


حَتّٰۤى اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِۙ (99)

(૯૯) ત્યાં સુધી કે જ્યારે તેમનામાંથી કોઈનું મૃત્યુ આવવા લાગે છે ત્યારે કહે છે કે, “હે મારા રબ! મને પાછો મોકલી દે.


لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا ؕ وَ مِنْ وَّرَآئِهِمْ بَرْزَخٌ اِلٰى یَوْمِ یُبْعَثُوْنَ (100)

(૧૦૦) કે મારી છોડેલી દુનિયામાં જઈને નેક કામો કરૂ, કદી આવું થવાનું નથી, આ તો ફક્ત એક વાત છે જેને આ કહી રહ્યો છે, તેની પીઠના પાછળ તો એક આડ છે તેમના બીજીવાર જીવતા થવાના દિવસ સુધી.


فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَئِذٍ وَّ لَا یَتَسَآءَلُوْنَ (101)

(૧૦૧) તો જ્યારે રણશિંગુ ફૂંકી દેવામાં આવશે તે દિવસે ન તો પરસ્પરના સંબંધો રહેશે, ન પરસ્પરની પૂછતાછ.


فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ (102)

(૧૦૨) તો જેમના ત્રાજવાના પલ્લાં ભારે થઈ ગયા તેઓ જ સફળતા પ્રાપ્ત કરનારા લોકો છે.


وَ مَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓئِكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَۚ (103)

(૧૦૩) અને ત્રાજવાના પલ્લાં હલકા રહી ગયા, આ છે તે લોકો જેમણે પોતાનું નુક્સાન જાતે કરી લીધુ, જેઓ હંમેશાના માટે જહન્નમમાં ચાલ્યા જશે.


تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَ هُمْ فِیْهَا كٰلِحُوْنَ (104)

(૧૦૪) તેમના મોઢાંને આગ બાળતી રહેશે, તેઓ ત્યાં બંધક બનેલા હશે.


اَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰى عَلَیْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ (105)

(૧૦૫) શું મારી આયતો તમારા સામે પઢવામાં આવતી ન હતી ? પછી પણ તમે તેને ખોટી ઠેરવતા હતા


قَالُوْا رَبَّنَا غَلَبَتْ عَلَیْنَا شِقْوَتُنَا وَ كُنَّا قَوْمًا ضَآلِّیْنَ (106)

(૧૦૬) તેઓ કહેશે કે, “હે અમારા રબ! અમારી બદનસીબી અમારા ઉપર છવાઈ ગઈ હકીકતમાં અમે જ ભટકેલા હતા.


رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْهَا فَاِنْ عُدْنَا فَاِنَّا ظٰلِمُوْنَ (107)

(૧૦૭) હે અમારા રબ! અમને અહીંથી કાઢ, જો હવે અમે આવું કરીએ તો બેશક અમે જાલિમ હોઈશું.”


قَالَ اخْسَئُوْا فِیْهَا وَ لَا تُكَلِّمُوْنِ (108)

(૧૦૮) (અલ્લાહ તઆલા) ફરમાવશે, “ફિટકાર છે તમારા ઉપર અને આમાં જ પડ્યા રહો અને મારાથી વાત ન કરો."


اِنَّهٗ كَانَ فَرِیْقٌ مِّنْ عِبَادِیْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَ ارْحَمْنَا وَ اَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَۚۖ (109)

(૧૦૯) મારા બંદાઓનું એક જૂથ હતુ જે લગાતાર એ જ કહેતું રહ્યું કે, “હે અમારા રબ ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે અને અમારા ઉપર દયા કર, તું તમામ દયા કરનારાઓમાંથી સૌથી વધારે દયાળુ છે.


فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِیًّا حَتّٰۤى اَنْسَوْكُمْ ذِكْرِیْ وَ كُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ (110)

(૧૧૦) (પરંતુ) તમે તેમનો મજાક જ ઉડાવતા રહ્યા ત્યાં સુધી કે (તેમના પાછળ) તમે મારી યાદ ભૂલાવી બેઠા અને તમે તેમના ઉપર હસતા રહ્યા.


اِنِّیْ جَزَیْتُهُمُ الْیَوْمَ بِمَا صَبَرُوْۤا ۙ اَنَّهُمْ هُمُ الْفَآئِزُوْنَ (111)

(૧૧૧) મેં આજે તેમના સબ્ર (અને તકવા) નો બદલો આપી દીધો છે, કે તેઓ પોતાના આશયને પહોંચી ચૂક્યા છે.


قٰلَ كَمْ لَبِثْتُمْ فِی الْاَرْضِ عَدَدَ سِنِیْنَ (112)

(૧૧૨) (અલ્લાહ તઆલા) પૂછશે કે, “તમે ધરતી પર વર્ષોની ગણતરીથી કેટલા દિવસ રહ્યા ?"


قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ فَسْئَلِ الْعَآدِّیْنَ (113)

(૧૧૩) તેઓ કહેશે કે, “એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો.”


قٰلَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِیْلًا لَّوْ اَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُوْنَ (114)

(૧૧૪) અલ્લાહ (તઆલા) ફરમાવશે, “હકીકત એ છે કે તમે ત્યાં ઘણું ઓછું રહ્યા છો. કાશ ! આને તમે પહેલાથી જ જાણી લેતા.


اَفَحَسِبْتُمْ اَنَّمَا خَلَقْنٰكُمْ عَبَثًا وَّ اَنَّكُمْ اِلَیْنَا لَا تُرْجَعُوْنَ (115)

(૧૧૫) શું તમે એમ સમજી બેઠા કે અમે તમને બેકાર પેદા કર્યા છે અને એ કે તમારે અમારા તરફ પાછા ફરવાનું જ નથી?”


فَتَعٰلَى اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ رَبُّ الْعَرْشِ الْكَرِیْمِ (116)

(૧૧૬) અલ્લાહ (તઆલા) સાચો બાદશાહ છે, તે ઉચ્ચતર છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, તે જ બાઈજ્જત અર્શનો રબ છે.


وَ مَنْ یَّدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۙ لَا بُرْهَانَ لَهٗ بِهٖ ۙ فَاِنَّمَا حِسَابُهٗ عِنْدَ رَبِّهٖ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ (117)

(૧૧૭) અને જે મનુષ્ય અલ્લાહ સાથે કોઈ બીજા મા'બૂદને પોકારે જેની તેના પાસે કોઈ દલીલ નથી તો તેનો હિસાબ તેના રબ ઉપર છે, બેશક કાફિર લોકો કદાપિ સફળતા પામી શકતા નથી.


وَ قُلْ رَّبِّ اغْفِرْ وَ ارْحَمْ وَ اَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۧ (118)

(૧૧૮) અને કહો કે, “હે મારા રબ! તું માફ કર અને દયા કર અને તું તમામ દયા કરનારાઓમાં સૌથી વધારે દયાળુ છે.” (ع-)