Surah Ya-Sin

સૂરહ યાસીન

રૂકૂ : ૪

આયત ૫૧ થી ૬૭

وَ نُفِخَ فِی الصُّوْرِ فَاِذَا هُمْ مِّنَ الْاَجْدَاثِ اِلٰى رَبِّهِمْ یَنْسِلُوْنَ (51)

(૫૧) અને રણશિંગુ ફૂંકાતા જ તમામ લોકો પોતપોતાની કબરોમાંથી પોતાના રબ તરફ (ઝડપથી) ચાલવા લાગશે.


قَالُوْا یٰوَیْلَنَا مَنْۢ بَعَثَنَا مِنْ مَّرْقَدِنَا ۘ { ؐ سكتة} هٰذَا مَا وَعَدَ الرَّحْمٰنُ وَ صَدَقَ الْمُرْسَلُوْنَ (52)

(૫૨) કહેશે કે,“હાય ! અમને અમારી આરામગાહોમાંથી કોણે ઉઠાડી દીધા ? આ જ છે જેનો વાયદો કૃપાળુ અલ્લાહે કર્યો હતો અને રસૂલોએ સાચું કહી દીધુ હતું.”


اِنْ كَانَتْ اِلَّا صَیْحَةً وَّاحِدَةً فَاِذَا هُمْ جَمِیْعٌ لَّدَیْنَا مُحْضَرُوْنَ (53)

(૫૩) આ કંઈ નહિ પરંતુ એક પ્રચંડ અવાજ થશે કે અચાનક બધાજ મનુષ્યો જમા થઈને અમારા સમક્ષ હાજર કરી દેવામાં આવશે.


فَالْیَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَیْئًا وَّ لَا تُجْزَوْنَ اِلَّا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ (54)

(૫૪) તો આજે કોઈ મનુષ્ય ઉપર જરા પણ જુલમ કરવામાં નહિ આવે, અને તમને તે જ કર્મોનો બદલો આપવામાં આવશે જેને તમે કર્યા કરતા હતા.


اِنَّ اَصْحٰبَ الْجَنَّةِ الْیَوْمَ فِیْ شُغُلٍ فٰكِهُوْنَۚ (55)

(૫૫) બેશક જન્નતવાળા લોકો આજના દિવસે પોતાના (મનોરંજનના) કામોમાં વ્યસ્ત, ખુશ અને આનંદિત હશે.


هُمْ وَ اَزْوَاجُهُمْ فِیْ ظِلٰلٍ عَلَى الْاَرَآئِكِ مُتَّكِئُوْنَ (56)

(૫૬) તેઓ અને તેમની પત્નીઓ ઘટાદાર છાયડાંઓમાં આસનો ઉપર તકિયા લગાવી બેઠા હશે.


لَهُمْ فِیْهَا فَاكِهَةٌ وَّ لَهُمْ مَّا یَدَّعُوْنَۚۖ (57)

(૫૭) તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના મેવા હશે અને બીજુ પણ જે કંઈ તેઓ માંગશે.


سَلٰمٌ {قف} قَوْلًا مِّنْ رَّبٍّ رَّحِیْمٍ (58)

(૫૮) રહમ કરવાવાળા રબ તરફથી તેમને 'સલામ' કહેવામાં આવશે.


وَ امْتَازُوا الْیَوْمَ اَیُّهَا الْمُجْرِمُوْنَ (59)

(૫૯) અને હે મુજરિમો! આજે તમે અલગ થઈ જાઓ.


اَلَمْ اَعْهَدْ اِلَیْكُمْ یٰبَنِیْۤ اٰدَمَ اَنْ لَّا تَعْبُدُوا الشَّیْطٰنَ ۚ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌۙ (60)

(૬૦) હે આદમની સંતાન ! શું મેં તમારા પાસે વચન લીધું ન હતું કે તમે શેતાનની બંદગી ન કરતા, એ તો તમારો ખુલ્લો દુશ્મન છે ?


وَّ اَنِ اعْبُدُوْنِیْ ؔؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ (61)

(૬૧) અને મારી જ બંદગી કરજો , સીધો માર્ગ આ જ છે.


وَ لَقَدْ اَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِیْرًا ؕ اَفَلَمْ تَكُوْنُوْا تَعْقِلُوْنَ (62)

(૬૨) અને શેતાને તો તમારામાંથી મોટાભાગના જૂથોને બહેકાવી દીધા, શું તમે બુદ્ધિ ધરાવતા નથી ?


هٰذِهٖ جَهَنَّمُ الَّتِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ (63)

(૬૩) આ તે જ જહન્નમ છે જેનો તમને વાયદો કરવામાં આવતો હતો.


اِصْلَوْهَا الْیَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ (64)

(૬૪) પોતાના કુફ્રનો બદલો મેળવવા માટે આજે તેમાં દાખલ થઈ જાઓ.


اَلْیَوْمَ نَخْتِمُ عَلٰۤى اَفْوَاهِهِمْ وَ تُكَلِّمُنَاۤ اَیْدِیْهِمْ وَ تَشْهَدُ اَرْجُلُهُمْ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ (65)

(૬૫) અમે આજના દિવસે આમના મોઢાં પર મહોર લગાવી દઈશું અને આમના હાથ અમારા સાથે વાતો કરશે, અને આમના પગ ગવાહી આપશે, આમના કાર્યોની જેને તેઓ કરતા હતા.


وَ لَوْ نَشَآءُ لَطَمَسْنَا عَلٰۤى اَعْیُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَاَنّٰى یُبْصِرُوْنَ (66)

(૬૬) અને જો અમે ચાહતા તો આમની આંખો આંધળી કરી દેતા, પછી આ લોકો રસ્તા તરફ ભાગદોડ કરતા પરંતુ એમને કેવી રીતે દેખાતું ?


وَ لَوْ نَشَآءُ لَمَسَخْنٰهُمْ عَلٰى مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوْا مُضِیًّا وَّ لَا یَرْجِعُوْنَ ۧ (67)

(૬૭) અને જો અમે ચાહતા તો આમની જગ્યા ઉપર જ આમના ચેહરા વિકૃત કરી દેતા, પછી ન તેઓ હરી-ફરી શકતા અને ન પાછા જઈ શકતા. (ع-)