(૧૨) અને અલ્લાહે ઈસરાઈલની સંતાનથી વચન લીધું અને તેમનામાંથી બાર સરદારો અમે નક્કી કર્યા, અને અલ્લાહ (તઆલા)એ ફરમાવી દીધું, “હું બેશક તમારા સાથે છું, જો તમે નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપતા રહેશો, અને મારા રસૂલોને માનતા રહેશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહને બહેતર કરજ આપતા રહેશો, તો બેશક હું તમારી બૂરાઈઓ તમારાથી દૂર કરીશ અને તમને તે જન્નતોમાં લઈ જઈશ જેની નીચે નહેરો વહી રહી છે, હવે આ વચન પછી પણ તમારામાંથી જે ઈન્કાર કરે તે બેશક સીધા માર્ગથી ભટકી ગયો.”