Surah Al-Haqqah
સૂરહ અલ-હાક્કા
સૂરહ અલ-હાક્કા
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સાબિત (સિદ્ધ) થવાવાળી. [1]
(૨) શું છે સાબિત (સિદ્ધ) થવાવાળી ?
(૩) અને તમને શું ખબર છે કે તે સાબિત થવાવાળી શું છે ?
(૪) તે ખખડાવી દેનાર (કયામત)ને સમૂદિઓ અને આદિઓએ જૂઠાડી હતી.
(૫) (જેના પરિણામે) સમૂદ તો ખૂબ પ્રચંડ (અને ભયાનક ઊંચા) અવાજ (ચીખ) સાથે નાશ કરી દેવામાં આવ્યા. [2]
(૬) અને આદને સખત તિવ્ર ઝડપવાળી મોટી તેજ આંધી (હવા) વડે બરબાદ કરી દેવામાં આવ્યા. [3]
(૭) જેને તેમના ઉપર સતત સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહે) લગાવી રાખી, [4] તો તમે જુઓ છો કે આ લોકો ધરતી પર એવી રીતે પટકાઈ ગયા કે જાણે ખજૂરોના ખોખલા થડો હોય. [5]
(૮) તો શું તેમનામાંથી કોઈને પણ તમે બાકી બચેલા જોઈ રહ્યા છો ?
(૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકોએ અને જેની વસ્તીઓ ઊંધી કરી દેવાઈ, તેમણે પણ ભૂલો કરી.
(૧૦) અને પોતાના રબના રસૂલની નાફરમાની કરી, (છેવટ) અલ્લાહે તેમને (પણ) પકડમાં લઈ લીધા.
(૧૧) અને જ્યારે પાણીનું પૂર આવ્યું તો તે સમયે અમે તમને નૌકા ઉપર સવાર કરાવી દીધા.
(૧૨) જેથી તેને તમારા માટે નસીહત (અને યાદગાર) બનાવી દઈએ, (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
(૧૩) તો જ્યારે રણશિંગા (શૂર)માં એક ફૂંક મારી દેવામાં આવશે.
(૧૪) અને ધરતી તથા પહાડ ઉઠાવી લેવામાં આવશે અને એક જ પ્રહારમાં કણ-કણ (ચૂરેચૂરા) કરી દેવામાં આવશે.
(૧૫) તે દિવસે થનાર ઘટના (કયામત) થઈ પડશે.
(૧૬) અને આકાશ ફાટી જશે તો તે દિવસે ખૂબ જ કમજોર થઈ જશે.
(૧૭) અને તેના કિનારાઓ ઉપર ફરિશ્તાઓ હશે [6] અને તમારા રબના અર્શને (સિંહાસન) તે દિવસે આઠ ફરિશ્તાઓ પોતાના ઉપર ઉઠાવી રાખ્યું હશે. [7]
(૧૮) તે દિવસે તમને બધાને રજૂ કરવામાં આવશે, તમારી કોઈ ગુપ્ત વાત છૂપી નહીં રહે.
(૧૯) તો જેની કર્મપોથી (આમાલનામુ) તેના જમણા હાથમાં આપવામાં આવશે તો તે કહેવા લાગશે કે, “લો, મારી કર્મપોથી (આમાલનામું) વાંચી લો.
(૨૦) મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે હું મારો હિસાબ મેળવનાર જ છું.”
(૨૧) તો તે એક સુખદ (ખુશહાલ) જીવનમાં હશે.
(૨૨) ઉચ્ચ (અને ખૂબસૂરત) જન્નતમાં. [8]
(૨૩) જેના ફળ ઝૂકી પડેલા હશે.
(૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ અને પીઓ, પોતાના તે કર્મોના બદલે જેને તમે પાછલા દિવસો (દુનિયા)માં કર્યા.
(૨૫) પરંતુ જેને તેની કર્મપોથી (આમાલનામું) ડાબા હાથમાં આપવામાં આવશે, તે તો કહેશે કે, “હાય મને મારી કર્મપોથી આપવામાં જ ન આવતી.”
(૨૬) અને હું જાણતો ન હતો કે હિસાબ શું છે.
(૨૭) કાશ ! મોત (મારું) કામ જ ખતમ કરી દેતી.
(૨૮) મારા ધન-દોલતે પણ મને કોઈ ફાયદો ન આપ્યો.
(૨૯) મારૂ રાજય પણ મારાથી જતું રહ્યું”
(૩૦) (હુકમ થશે) આને પકડી લો પછી તેને (ગળામાં) તોક પહેરાવી દો.
(૩૧) પછી આને જહન્નમમાં નાંખી દો.
(૩૨) પછી આને એવી એક સાંકળ કે જેની લંબાઈ સિત્તેર ગજની છે, તેમાં જકડી લો [9]
(૩૩) બેશક આ મહાન અલ્લાહ પર ઈમાન રાખતો ન હતો.
(૩૪) અને ગરીબોને ખવડાવવા પર ઉભારતો ન હતો. [10]
(૩૫) તો આજે અહી તેનો ન કોઈ દોસ્ત છે.
(૩૬) અને ન પીપ (ઝખમોનું ધોવાણ) સિવાય તેનો કોઈ ખોરાક છે.
(૩૭) જેને ગુનેહગારો ના સિવાય તેને કોઈ નહિં ખાય. (ع-૧) [11]