Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૭

આયત ૧૪૨ થી ૧૪૭

سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ (142)

(૧૪૨) નજીકમાં જ બેવકૂફ લોકો કહેશે કે જે કિબ્લા (જે દિશા તરફ મોઢુ કરીને નમાઝ પઢવામાં આવે છે) પર તેઓ હતા તેનાથી તેમને કઈ વસ્તુએ ફેરવી દીધા? (આપ) કહી દો કે પૂર્વ અને પશ્ચિમનો માલિક અલ્લાહ(તઆલા) છે તે જેને ઈચ્છે સીધો રસ્તો દેખાડે છે.


وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ (143)

(૧૪૩) અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે. જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ) તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકર્રર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડીયો પર ફરી જાય છે, જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર કોઈ કઠિનાઈ નથી) અલ્લાહ (તઆલા) તમારા ઈમાનને બરબાદ નહિં કરે, અલ્લાહ (તઆલા) લોકો સાથે અનહદ માયાળુ અને મહેરબાન છે.


قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ (144)

(૧૪૪) અમે તમારૂ મોઢું આકાશની તરફ વારંવાર ઉઠતા જોઇ રહ્યા છીએ, હવે અમે તમને તે કિબ્લાની તરફ ફેરવી દઈશું, જેનાથી તમે ખુશ થઈ જશો, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ (કાઅબા) તરફ ફેરવી લો અને તમે ગમે ત્યાં હોવ તમારૂ મોઢું એના તરફ ફેરવી દો. કિતાબવાળાઓને આ વાત અલ્લાહના તરફથી સત્ય હોવાનું સાચુ ઇલ્મ છે. અને અલ્લાહ (ત્આલા) એ કાર્યોથી બેખબર નથી જેને તેઓ કરે છે.


وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ (145)

(૧૪૫) અને તમે જો કિતાબવાળાઓને બધા પુરાવા રજૂ કરી દો, પછી પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ કરશે નહિં, અને ન તમે તેમના કિબ્લાને માનશો , ન તેઓ આપસમાં એકબીજાના કિબ્લાને માનશે, જો તમે એના સિવાય કે ઇલ્મ તમારી પાસે આવી ગયુ પછી પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અનુસરણ કરવા લાગ્યા તો બેશક તમે પણ જાલિમ થઈ જશો.


الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ (146)

(૧૪૬) જેઓને અમે કિતાબ આપી છે તેઓ તો તેને એવી રીતે ઓળખે છે જેવી રીતે કોઈ પોતાના પુત્રોને ઓળખે છે. તેમનું એક જૂથ સત્યને ઓળખીને પછી છુપાવે છે.


الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ (147)

(૧૪૭) તમારા રબ તરફથી આ સંપૂર્ણ સત્ય છે, હોંશિયાર! તમે શંકા કરનારાઓમાંથી ન બનો.