(૧૪૩) અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે. જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ) તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકર્રર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડીયો પર ફરી જાય છે, જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર કોઈ કઠિનાઈ નથી) અલ્લાહ (તઆલા) તમારા ઈમાનને બરબાદ નહિં કરે, અલ્લાહ (તઆલા) લોકો સાથે અનહદ માયાળુ અને મહેરબાન છે.