Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૯

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.


الم (1)

(૧) અલિફ લામ મિમ.


اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ (2)

(૨) અલ્લાહ (તઆલા) તે છે જેના સિવાય કોઈ માઅબૂદ નથી, જે જીવિત છે અને બધાનો રક્ષક છે.


نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ (3)

(૩) જેણે સત્યની સાથે આ ક્તિાબ (પવિત્ર કુરઆન)ને ઉતારી, જે પોતાની આગળની ક્તિાબોનું સમર્થન કરે છે, અને તેણે (આના પહેલા) તૌરાત અને ઈન્જીલ ઉતાર્યા.


مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ (4)

(૪) આના પહેલાના લોકોની હિદાયતના માટે અને કુરઆન પણ તેણે ઉતાર્યું. જે લોકો અલ્લાહની આયતોથી કુફ્ર કરે છે તેમના માટે સખત અઝાબ છે. અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત છે અને બદલો લેવાવાળો છે.


إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ (5)

(૫) બેશક અલ્લાહ (તઆલા)થી ધરતી અને આકાશની કોઈ વસ્તુ છુપી નથી.


هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ (6)

(૬) તે જ માતાના ગર્ભાશયમાં તમારી મુખાકૃતિ જેવી ઈચ્છે છે તેવી બનાવે છે તેના સિવાય હકીકતમાં કોઈ પણ બંદગીને લાયક નથી, તે તાકાતવાળો અને હિકમતવાળો છે.


هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ (7)

(૭) તે જ અલ્લાહ (તઆલા) છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં સ્પષ્ટ અને મજબૂત (મુહકમ) આયતો છે, જે અસલ કિતાબ છે અને કેટલીક સમાન (મુતશાબેહ) આયતો છે, પછી જેમના દિલોમાં ખરાબી છે તેઓ મુતશાબેહ આયતોના પાછળ લાગી જાય છે, ફિતનો શોધવા માટે અને તેના અર્થઘટન (તાવીલ) માટે, પરંતુ તેનો સાચો અર્થ અલ્લાહ (તઆલા) સિવાય કોઈ નથી જાણતું. અને સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ એમ જ કહે છે કે અમે તો તેના પર ઈમાન લાવી ચૂક્યા આ બધું અમારા રબ તરફથી છે, અને નસીહત તો ફક્ત અકલમંદો જ પ્રાપ્ત કરે છે.


رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ (8)

(૮) અય અમારા રબ! અમને હિદાયત આપ્યા પછી અમારા દિલ વાંકા ન કરી દે અને અમને પોતાના પાસેથી રહમત (દયા) પ્રદાન કર, બેશક તું જ સૌથી મોટો દાતા છે.


رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ (9)

(૯) અય અમારા રબ! બેશક તું લોકોને એક દિવસે જમા કરનાર છે, જેના આવવામાં કોઈ શંકા નથી, બેશક અલ્લાહ (તઆલા) વચનથી ફરી જનાર નથી.