Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૭

આયત ૪૪ થી ૫૦


اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰىةَ فِیْهَا هُدًى وَّ نُوْرٌ ۚ یَحْكُمُ بِهَا النَّبِیُّوْنَ الَّذِیْنَ اَسْلَمُوْا لِلَّذِیْنَ هَادُوْا وَ الرَّبّٰنِیُّوْنَ وَ الْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَ كَانُوْا عَلَیْهِ شُهَدَآءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَ اخْشَوْنِ وَ لَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؕ وَ مَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ (44)

(૪૪) અને તૌરાત ઉતારી છે જેમાં હિદાયત અને નૂર છે, યહૂદિઓમાં આ તૌરાતના જરીએ અલ્લાહને માનવાવાળા, અંબિયા (અ.સ.) અને અલ્લાહવાળાઓ અને આલિમો ફેંસલો કર્યા કરતા હતા, કેમકે તેમને અલ્લાહની આ કિતાબની સુરક્ષાનો હુકમ આપવામાં આવ્યો હતો, અને તેઓ તેના ૫૨ કબૂલ કરવાવાળા ગવાહ હતા, હવે તમને જોઈએ કે લોકોથી ના ડરો, બલ્કે મારાથી ડરો, મારી આયતોને થોડા-થોડા મૂલ્યો પર ન વેચો અને જે અલ્લાહની ઉતારેલી વહીના આધારે ફેંસલો ન કરે તે સંપૂર્ણ કાફિર છે.


وَ كَتَبْنَا عَلَیْهِمْ فِیْهَاۤ اَنَّ النَّفْسَ بِالنَّفْسِ ۙ وَ الْعَیْنَ بِالْعَیْنِ وَ الْاَنْفَ بِالْاَنْفِ وَ الْاُذُنَ بِالْاُذُنِ وَ السِّنَّ بِالسِّنِّ ۙ وَ الْجُرُوْحَ قِصَاصٌ ؕ فَمَنْ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ؕ وَ مَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ (45)

(૪૫) અને અમે (તૌરાતમાં) યહૂદિઓના હકમાં એ વાત નક્કી કરી દીધી છે કે જીવના બદલે જીવ અને આંખના બદલે આંખ, અને નાકના બદલે નાક, અને કાનના બદલે કાન તથા દાંતના બદલે દાંત અને ખાસ જખમોનો પણ બદલો છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો તે તેના માટે પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહના હુકમો મુજબ ફેંસલો ન કરે, તે લોકો જાલિમ છે.


وَ قَفَّیْنَا عَلٰۤى اٰثَارِهِمْ بِعِیْسَى ابْنِ مَرْیَمَ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ التَّوْرٰىةِ {ص} وَ اٰتَیْنٰهُ الْاِنْجِیْلَ فِیْهِ هُدًى وَّ نُوْرٌ ۙ وَّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ التَّوْرٰىةِ وَ هُدًى وَّ مَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ؕ (46)

(૪૬) અને અમે તેમની પાછળ ઈસા ઈબ્ને મરયમને મોકલ્યા, જે પોતાનાથી પહેલાની કિતાબ એટલે કે તૌરાતનું સમર્થન કરવાવાળા હતા, અને અમે તેમને ઈન્જીલ પ્રદાન કરી, જેમાં નૂર અને હિદાયત હતી, અને તે પોતાનાથી પહેલાની કિતાબ તૌરાતનું સમર્થન કરતી હતી અને તે સ્પષ્ટ હિદાયત અને તાલીમ હતી, અલ્લાહ (તઆલા)થી ડરનારાઓ માટે.


وَ لْیَحْكُمْ اَهْلُ الْاِنْجِیْلِ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فِیْهِ ؕ وَ مَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ (47)

(૪૭) અને ઈન્જીલવાળાઓને પણ જોઈએ કે અલ્લાહ (તઆલા)એ જે કંઈ ઈન્જીલમાં ઉતાર્યું છે તેના મુજબ ફેંસલો કરે, અને જેઓ અલ્લાહ (તઆલા)ના ઉતારેલ કાનૂન મુજબ ફેંસલો ન કરે તેઓ ફાસિક છે.


وَ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ الْكِتٰبِ وَ مُهَیْمِنًا عَلَیْهِ فَاحْكُمْ بَیْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَ لَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ عَمَّا جَآءَكَ مِنَ الْحَقِّ ؕ لِكُلٍّ جَعَلْنَا مِنْكُمْ شِرْعَةً وَّ مِنْهَاجًا ؕ وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّ لٰكِنْ لِّیَبْلُوَكُمْ فِیْ مَاۤ اٰتٰىكُمْ فَاسْتَبِقُوا الْخَیْرٰتِ ؕ اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۙ (48)

(૪૮) અને અમે તમારી તરફ સચ્ચાઈથી ભરેલ આ કિતાબ ઉતારી છે, જે પોતાનાથી પહેલાની બધી કિતાબોનું સમર્થન કરે છે અને તેની સંરક્ષક છે એટલા માટે તમે તેમની વચ્ચે અલ્લાહની ઉતારેલ કિતાબ મુજબ ફેંસલો કરો, આ સચ્ચાઈથી હટીને તેમની તમન્નાઓ પર ન જશો, તમારામાંથી દરેક માટે અમે એક શરીઅત અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહ ચાહત તો તમને બધાને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે ચાહે છે કે જે તમને આપ્યુ છે, તેમાં તમારી પરીક્ષા લે, તો તમે નેકીની તરફ જલ્દી કરો, તમારે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે, પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો.


وَ اَنِ احْكُمْ بَیْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَ لَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ وَ احْذَرْهُمْ اَنْ یَّفْتِنُوْكَ عَنْۢ بَعْضِ مَاۤ اَنْزَلَ اللّٰهُ اِلَیْكَ ؕ فَاِنْ تَوَلَّوْا فَاعْلَمْ اَنَّمَا یُرِیْدُ اللّٰهُ اَنْ یُّصِیْبَهُمْ بِبَعْضِ ذُنُوْبِهِمْ ؕ وَ اِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ (49)

(૪૯) અને તમે તેમના ઝઘડામાં અલ્લાહની ઉતારેલી વહીના અનુસાર ફેંસલો કરો, તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતા નહિ, અને તેમનાથી હોંશિયાર રહેજો કે તેઓ તમને અલ્લાહના ઉતારેલા કોઈ હુકમથી અહીં-તહીં ના કરી દે, જો તેઓ મોઢું ફેરવી લે તો યકીન કરો કે અલ્લાહનો આ જ ઈરાદો છે કે તેમને તેમના કેટલાક ગુનાહોની સજા આપી જ દે અને મોટાભાગના લોકો નાફરમાન હોય છે.


اَفَحُكْمَ الْجَاهِلِیَّةِ یَبْغُوْنَ ؕ وَ مَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ حُكْمًا لِّقَوْمٍ یُّوْقِنُوْنَ ۧ (50)

(૫૦) શું આ લોકો ફરીથી અજ્ઞાનતાનો ફેંસલો ઈચ્છે છે ? અને યકીન રાખવાવાળાઓના માટે અલ્લાહ (તઆલા)થી બહેતર ફેંસલો કરવાવાળો અને હુકમ કરવાવાળો કોણ હોઈ શકે છે. (ع-)