(૪૮) અને અમે તમારી તરફ સચ્ચાઈથી ભરેલ આ કિતાબ ઉતારી છે, જે પોતાનાથી પહેલાની બધી કિતાબોનું સમર્થન કરે છે અને તેની સંરક્ષક છે એટલા માટે તમે તેમની વચ્ચે અલ્લાહની ઉતારેલ કિતાબ મુજબ ફેંસલો કરો, આ સચ્ચાઈથી હટીને તેમની તમન્નાઓ પર ન જશો, તમારામાંથી દરેક માટે અમે એક શરીઅત અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહ ચાહત તો તમને બધાને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે ચાહે છે કે જે તમને આપ્યુ છે, તેમાં તમારી પરીક્ષા લે, તો તમે નેકીની તરફ જલ્દી કરો, તમારે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે, પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો.